Banaskantha: પાણીના પ્રશ્નને લઇ 100 ગામના ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં, અખાત્રીજના દિવસે ટ્રેકટર રેલી યોજી વિરોધ દર્શાવશે

થોડા દિવસ પહેલા પણ પાલનપુર તાલુકાના ખેડૂતોએ (Farmers) ટ્રેક્ટર રેલી યોજીને સરકારને પાણી આપવા માટે માગ કરી હતી. જે બાદ હવે કાંકરેજ અને દિયોદર પંથકના 100 ગામના ખેડૂતો પાણી (Water) માટેની માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 1:03 PM

ઉનાળો (Summer 2022) જેમ જેમ જામતો જાય જાય છે. તેમ તેમ હવે પાણીના પ્રશ્નો પણ વિકટ બનતા જઇ રહ્યા છે. બનાસકાંઠાના (Banaskantha) દિયોદરમાં ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. “પાણી નહીં તો વોટ નહીં”ના સૂત્ર સાથે દિયોદર અને કાંકરેજ પંથકના ખેડૂતોએ (Farmers) આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે. પાણી ન મળતાં 100 ગામના ખેડૂતો અખાત્રીજના દિવસે એકત્ર થઈ ટ્રેક્ટર રેલી યોજીને ધરણા કરશે. ખેડૂતો સરકાર પાસે પાણીની માંગ કરશે. ખેડૂતોએ વિરોધ વ્યક્ત કરતા ગામે-ગામ “પાણી નહીં તો વોટ નહીં”ના બેનર લગાવ્યા છે. સાથે જ રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ખેડૂતોની માગ છે કે સરકાર કોઈપણ ભોગે સુજલામ સુફલામ કેનાલને નર્મદાના પાણીથી ભરે. જેથી પાણીની સમસ્યા દૂર થાય. જો કેનાલમાં પાણી નહીં છોડાય તો ખેડૂતોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લામાં ઉંડા જતા ભૂગર્ભજળ અને ઓછા વરસાદે ખેડૂતો માટે સૌથી મોટી મુશ્કેલી સર્જી છે. જિલ્લામાં પાણીનો પ્રશ્ન વિકરાળ બની ગયો છે.

થોડા દિવસ પહેલા પણ પાલનપુર તાલુકાના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજીને સરકારને પાણી આપવા માટે માગ કરી હતી. જે બાદ હવે કાંકરેજ અને દિયોદર પંથકના 100 ગામના ખેડૂતો પાણી માટેની માગ સાથે આંદોલનના મૂડમાં છે. જેના માટે ગામે-ગામ બેઠકો મળી રહી છે.

આ પણ વાંચોઃ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે, કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોને અને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકરોને સંબોધશે

આ પણ વાંચોઃ Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો, સ્વામીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">