Gujarati Video: રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમ માટે 32 કમિટી તૈયાર, 3 હજારથી વધુ સ્વયંસેવકો રહેશે ખડેપગે
ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) કાર્યક્રમ માટે 32 કમિટી તૈયાર કરવામાં આવી છે. 3 હજારથી વધુ સ્વયંસેવકો તહેનાત કરવામાં આવશે. સૌથી વધારે સ્વયંસેવકો ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગે રહેશે.
રાજકોટમાં (Rajkot) 1 અને 2 જૂને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આ દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટે 32 કમિટી તૈયાર કરવામાં આવી છે. 3 હજારથી વધુ સ્વયંસેવકો તહેનાત કરવામાં આવશે. સૌથી વધારે સ્વયંસેવકો ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્ટેજની નજીક 300 જેટલા સ્વયંસેવકો સુરક્ષા પૂરી પાડશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને વહીવટી વિભાગના અધિકારીઓની પણ મદદ લેવાશે.
તો રાજકોટમાં દિવ્ય દરબાર પહેલા 29મી તારીખે શહેરના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ ભાગ લેશે. લક્ઝરિયસ કારનો કાફલો રાજમાર્ગો પરથી પસાર થશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
