Gujarati Video: સુરત પહોંચ્યા બાબા બાગેશ્વર, બે દિવસ યોજાશે ભવ્ય કાર્યક્રમ,

|

May 25, 2023 | 11:55 PM

બાબાનો દિવ્ય દરબાર સુરતમાં યોજાશે જેને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત પહોંચી ચૂક્યા છે. કાર્યક્ર્મમાં બે લાખથી વધુ લોકો દરબારમાં આવવાની શક્યતા છે. સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં સુરક્ષાનો લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સુરત એરપોર્ટ પર બાબા બાગેશ્વરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ બાબાનો દિવ્ય દરબાર સુરતમાં યોજાશે. બે લાખથી વધુ લોકો દરબારમાં આવવાની શક્યતા છે. મહત્વનુ છે કે સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં સુરક્ષાનો લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત અંદાજે બે લાખ ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત જોડાશે. બાબાના દિવ્ય દરબારમાં એક JCP, બે DCP, 4 ACP સહિતના વરિષ્ઠ અધિકારીઓ દેખરેખ રાખશે. દિવ્ય દરબાર પહેલા બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ શો યોજે તેવી શક્યતા છે. આ રોડ-શોમાં પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.

આ પણ વાંચો : સુરતમાં બાબાના દિવ્ય દરબાર પહેલા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ, જુઓ Video

આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના સ્થળ અને તેની આસપાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હિંદુ સંગઠનોના હજારો સ્વયંસેવકો કાર્યક્રમ સ્થળની અંદર અને બહાર ટ્રાફિકથી લઈ અન્ય વ્યવસ્થાઓમાં સહકાર આપશે. તો બાબાની ઝેડ કેટેગરીની સુરક્ષાને જોતા મંચ આસપાસ પોલીસનો ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:53 pm, Thu, 25 May 23

Next Video