રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યના દરેક એકમો પર ફાયર સેફ્ટી અને ફાયર NOCને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.જેના પગલે અમદાવાદની 150થી વધુ પ્રિ પ્રાઈમરી શાળાઓને સીલ કરવામાં આવી છે.અમદાવાદમાં પ્રી – પ્રાયમરી શાળાઓના સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં સીલ કરેલી શાળાઓ ખોલવા માટે પ્રિ – સ્કૂલ સંચાલકોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે. આ સાથે રાજકોટ અને સુરતમાં પ્રિ- સ્કૂલના સીલ ખોલી નાખ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. જેથી અમદાવાદમાં પણ શાળાઓ ખોલી દેવા માગ કરી છે. 2021ના પરિપત્ર પ્રમાણે ફાયરના સાધનો ઉપલબ્ધ હોવા છતા સીલ મારી હોવાની પ્રિસ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી છે.