Gujarati Video: અમરેલીની વડલી ગામની શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, મધ્યાહન ભોજન માટેના અનાજમાંથી નીકળી ઈયળ

Amreli: અમરેલીના વડલી ગામની શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત હોવાનું સામે આવ્યુ છે. અનાજ પણ સડેલુ હોવાનું ધ્યાને આવ્યુ છે. બાળકોમાં કુપોષણનો દર ઘટાડવા માટે શાળામાં જ બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના અમલી છે પરંતુ આ મધ્યાહન ભોજનમાં જ સડેલુ અનાજ વપરાશે તો બાળકોને પોષણ કેવી રીતે મળશે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 10:41 PM

Amreli: એક તરફ સ્વસ્થ ગુજરાત સુપોષિત ગુજરાતના દાવા કરાય છે. બાળકોને યોગ્ય પોષણ મળી રહે તે માટે શાળાઓમાં મધ્યાહન ભોજન અપાય છે પરંતુ જો આ ભોજનમાં વપરાતું અનાજ યોગ્ય ન હોય, તો પોષણ ક્યાંથી મળે? અમરેલીના જાફરાબાદમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. મધ્યાહન ભોજન માટે લવાયેલા અનાજમાં જોવા મળી સળવળતી ઈયળો. અનાજ પણ તદ્દન સડેલું. આ સડેલું અનાજ વડલી ગામની શાળામાં મધ્યાહન ભોજન માટે વપરાવવાનું હતું.

જો કે, અનાજ સડેલું હોવાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો દોડી આવ્યા હતા. તાલુકા પંચાયત સભ્ય પણ શાળામાં પહોંચ્યા હતા અને અનાજ સડેલું તેમજ ઈયળોવાળું હોવાની તપાસ કરી. આ અનાજ બાળકોને ન આપવા સૂચના અપાઈ છે. સાથે જ અપીલ કરાઈ છે કે, બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તેવું અનાજ ન આપવું.

આ પણ વાંચો:  Ahmedabad: નાઈજિરિયન હેકર્સનો તરખાટ, દેશભરની 8000 કંપનીના ઈ-મેઈલ ID ખતરામાં, સાઈબર ક્રાઈમે રિવર્સ હેક કરી ઈમેઈલ IDનો મેળવ્યો ડેટા

જો કે સૌથી મોટો સવાલ એ છે કે બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી મધ્યાહન ભોજન શાળામાં આપવામાં આવે છે ત્યારે શું આવા સડેલા અનાજમાંથી બાળકોનુ ભોજન તૈયાર થાય છે? આવા સડેલા અનાજમાંથી બનેલુ ભોજન ખાઈને શું બાળકો બીમાર નહીં પડે? આ તો ખરા સમયે અગાઉ જાણ થઈ ગઈ, પરંતુ જો જાણ ન થઈ હોત તો આ જ અનાજ બાળકોને પીરસવાનું હતુ? બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમવાનો પરવાનો કોણે આપ્યો?

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">