Ahmedabad: ગણેશ ચતુર્થીના અવસરે, સુરત અને અમરેલી જિલ્લામાંથી થયા બે અંગદાન, 83 વર્ષના વૃદ્ધાના લીવરનું મળ્યુ દાન

Ahmedabad: ગણેશ ચતુર્થીના પાવન અવસરે ગુજરાતમાં બે અંગદાન થયા છે. જેમા સુરતના 43 વર્ષિય વ્યક્તિનું બ્રેનડેડ થતા તેમના અંગોના દાનની પરિવારે સંમતિ દર્શાવી અને બે કિડની અને હ્રદયનું દાન મળ્યુ છે. જ્યારે અમરેલીના 83 વર્ષિય વૃદ્ધાનું બ્રેઈન હેમરેજ થતા બ્રેનડેડ થયા હતા. તેમના લીવરનું દાન પ્રાપ્ત થયુ છે.

Ahmedabad: ગણેશ ચતુર્થીના અવસરે, સુરત અને અમરેલી જિલ્લામાંથી થયા બે અંગદાન, 83 વર્ષના વૃદ્ધાના લીવરનું મળ્યુ દાન
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Oct 11, 2023 | 4:45 PM

Ahmedabad: દેવોમાં જેમનું ઉચ્ચ સ્થાન છે તેવા વિધ્નહર્તા ગણેશજીના વધામણા સમગ્ર દેશમાં ગણેશચતુર્થીએ શરૂ થયા છે. ગણેશચતુર્થીના પાવન અવસર પર ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે મહત્વની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગણેશચતુર્થીના દિને સુરત તેમજ અમરેલી જિલ્લામાં એક – એક અંગદાન નોંધાયું છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં ગણેશ ચતુર્થી ના પવન અવસર દરમ્યાન અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં ગણેશજીના આશીર્વાદ મળ્યા છે. જોકે સૌ પ્રથમ વખત અમરેલી જિલ્લામાં અંગદાન થયું હતું જેમાં એક લીવરનું દાન મળ્યું છે.

43 વર્ષિય વ્યક્તિને બ્રેઈનડેડ થતા 2 કિડની અને લીવરનું મળ્યુ દાન

સુરત જિલ્લામાં થયેલ અંગદાનની વિગતો તપાસીએ તો, 43 વર્ષીય બિપિન  વાધાડિયાને બ્રેઇન હેમરેજ થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનુ છે કે સારવાર દરમયના બે દિવસની સધન સારવાર બાદ અંતે બ્રેઇનડેડ થયા હતા.  જેને લઈ પરિવારના સભ્યો દ્વારા અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. પરિવારજનોના આ નિર્ણય અને તેમના ઉમદા ભાવને લઈ હોસ્પિટલના સમગ્ર તંત્રએ બિરદાવ્યું હતું. જે બાદ બિપિન વાધાડિયાના અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયા શરૂ કરવામાં આવી. અંદાજે 6 થી 7 કલાક ના અંતે બે કિડની અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી હતી. આ બંને અંગોને સુરતની જ ખાનગી હોસ્પિટલમાં SOTTO માં રજીસ્ટર દર્દીઓના અગ્રતા ક્રમ પ્રમાણે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી.

અમરેલીમાં સૌપ્રથમ અંગદાન, 83 વર્ષિય વૃદ્ધાના લીવરનું દાન

બીજી તરફ અમરેલી જીલ્લામાં પ્રથમ વખત થયેલ અંગદાનની વિગતો જાણીએ તો, 83 વર્ષના વયોવૃધ્ધ દમયંતિબેન મહેતાનું પણ બ્રેઇનહેમરેજ ને કારણે તેમને અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં ચાર દિવસની સારવાર બાદ તબીબો દ્વારા તેમણે બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. પરિવારજનોએ પરોપકારની ભાવના સાથે આ સમગ્ર અંગદાન માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. જેમાં બ્રેઇનડેડ દમંયતિબેનના લીવરનું દાન મળ્યું છે. આ તમામ ઓર્ગનનું અમદાવાદ સ્થ્તિ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આ પણ વાંચો: Surat: ઓ બાપરે ! આવી પાડોશી ભગવાન કોઈને ન આપજો, બાળકીને મહિલાએ નિર્દયતાથી માર્યો માર, કારણ જાણીને આપ પણ ચોંકી જશો

હિન્દુ ધર્મમાં અંગોના પ્રત્યારોપણનું ઉત્તમ ઉદાહરણ શ્રી ગણેશ- ડૉ પ્રાંજલ મોદી

આ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સંદર્ભે SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, હિન્દુ ધર્મમાં અંગોના પ્રત્યારોપણનું ઉત્તમ ઉદાહરણ શ્રી ગણેશ છે. આજના પવિત્ર દિને રાજ્યમાં બે બ્રેઇનડેડ યુવક અંગદાનથી ચાર જરૂરિયાતમંદોના જીવનના વિધ્નહર્તા બન્યા છે. જેમાં આ બંને અંગદાન અને ચાર ટ્રાન્સપ્લાન્ટથી ગણેશ ચતુર્થીની ઉજવણી ખરા અર્થમાં સાર્થક થઇ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">