AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગણેશ ચતુર્થીના અવસરે, સુરત અને અમરેલી જિલ્લામાંથી થયા બે અંગદાન, 83 વર્ષના વૃદ્ધાના લીવરનું મળ્યુ દાન

Ahmedabad: ગણેશ ચતુર્થીના પાવન અવસરે ગુજરાતમાં બે અંગદાન થયા છે. જેમા સુરતના 43 વર્ષિય વ્યક્તિનું બ્રેનડેડ થતા તેમના અંગોના દાનની પરિવારે સંમતિ દર્શાવી અને બે કિડની અને હ્રદયનું દાન મળ્યુ છે. જ્યારે અમરેલીના 83 વર્ષિય વૃદ્ધાનું બ્રેઈન હેમરેજ થતા બ્રેનડેડ થયા હતા. તેમના લીવરનું દાન પ્રાપ્ત થયુ છે.

Ahmedabad: ગણેશ ચતુર્થીના અવસરે, સુરત અને અમરેલી જિલ્લામાંથી થયા બે અંગદાન, 83 વર્ષના વૃદ્ધાના લીવરનું મળ્યુ દાન
Jignesh Patel
| Edited By: | Updated on: Oct 11, 2023 | 4:45 PM
Share

Ahmedabad: દેવોમાં જેમનું ઉચ્ચ સ્થાન છે તેવા વિધ્નહર્તા ગણેશજીના વધામણા સમગ્ર દેશમાં ગણેશચતુર્થીએ શરૂ થયા છે. ગણેશચતુર્થીના પાવન અવસર પર ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે મહત્વની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગણેશચતુર્થીના દિને સુરત તેમજ અમરેલી જિલ્લામાં એક – એક અંગદાન નોંધાયું છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં ગણેશ ચતુર્થી ના પવન અવસર દરમ્યાન અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં ગણેશજીના આશીર્વાદ મળ્યા છે. જોકે સૌ પ્રથમ વખત અમરેલી જિલ્લામાં અંગદાન થયું હતું જેમાં એક લીવરનું દાન મળ્યું છે.

43 વર્ષિય વ્યક્તિને બ્રેઈનડેડ થતા 2 કિડની અને લીવરનું મળ્યુ દાન

સુરત જિલ્લામાં થયેલ અંગદાનની વિગતો તપાસીએ તો, 43 વર્ષીય બિપિન  વાધાડિયાને બ્રેઇન હેમરેજ થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનુ છે કે સારવાર દરમયના બે દિવસની સધન સારવાર બાદ અંતે બ્રેઇનડેડ થયા હતા.  જેને લઈ પરિવારના સભ્યો દ્વારા અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. પરિવારજનોના આ નિર્ણય અને તેમના ઉમદા ભાવને લઈ હોસ્પિટલના સમગ્ર તંત્રએ બિરદાવ્યું હતું. જે બાદ બિપિન વાધાડિયાના અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયા શરૂ કરવામાં આવી. અંદાજે 6 થી 7 કલાક ના અંતે બે કિડની અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી હતી. આ બંને અંગોને સુરતની જ ખાનગી હોસ્પિટલમાં SOTTO માં રજીસ્ટર દર્દીઓના અગ્રતા ક્રમ પ્રમાણે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી.

અમરેલીમાં સૌપ્રથમ અંગદાન, 83 વર્ષિય વૃદ્ધાના લીવરનું દાન

બીજી તરફ અમરેલી જીલ્લામાં પ્રથમ વખત થયેલ અંગદાનની વિગતો જાણીએ તો, 83 વર્ષના વયોવૃધ્ધ દમયંતિબેન મહેતાનું પણ બ્રેઇનહેમરેજ ને કારણે તેમને અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં ચાર દિવસની સારવાર બાદ તબીબો દ્વારા તેમણે બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. પરિવારજનોએ પરોપકારની ભાવના સાથે આ સમગ્ર અંગદાન માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. જેમાં બ્રેઇનડેડ દમંયતિબેનના લીવરનું દાન મળ્યું છે. આ તમામ ઓર્ગનનું અમદાવાદ સ્થ્તિ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.

આ પણ વાંચો: Surat: ઓ બાપરે ! આવી પાડોશી ભગવાન કોઈને ન આપજો, બાળકીને મહિલાએ નિર્દયતાથી માર્યો માર, કારણ જાણીને આપ પણ ચોંકી જશો

હિન્દુ ધર્મમાં અંગોના પ્રત્યારોપણનું ઉત્તમ ઉદાહરણ શ્રી ગણેશ- ડૉ પ્રાંજલ મોદી

આ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સંદર્ભે SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, હિન્દુ ધર્મમાં અંગોના પ્રત્યારોપણનું ઉત્તમ ઉદાહરણ શ્રી ગણેશ છે. આજના પવિત્ર દિને રાજ્યમાં બે બ્રેઇનડેડ યુવક અંગદાનથી ચાર જરૂરિયાતમંદોના જીવનના વિધ્નહર્તા બન્યા છે. જેમાં આ બંને અંગદાન અને ચાર ટ્રાન્સપ્લાન્ટથી ગણેશ ચતુર્થીની ઉજવણી ખરા અર્થમાં સાર્થક થઇ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">