Ahmedabad: ગણેશ ચતુર્થીના અવસરે, સુરત અને અમરેલી જિલ્લામાંથી થયા બે અંગદાન, 83 વર્ષના વૃદ્ધાના લીવરનું મળ્યુ દાન

Ahmedabad: ગણેશ ચતુર્થીના પાવન અવસરે ગુજરાતમાં બે અંગદાન થયા છે. જેમા સુરતના 43 વર્ષિય વ્યક્તિનું બ્રેનડેડ થતા તેમના અંગોના દાનની પરિવારે સંમતિ દર્શાવી અને બે કિડની અને હ્રદયનું દાન મળ્યુ છે. જ્યારે અમરેલીના 83 વર્ષિય વૃદ્ધાનું બ્રેઈન હેમરેજ થતા બ્રેનડેડ થયા હતા. તેમના લીવરનું દાન પ્રાપ્ત થયુ છે.

Ahmedabad: ગણેશ ચતુર્થીના અવસરે, સુરત અને અમરેલી જિલ્લામાંથી થયા બે અંગદાન, 83 વર્ષના વૃદ્ધાના લીવરનું મળ્યુ દાન
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Oct 11, 2023 | 4:45 PM

Ahmedabad: દેવોમાં જેમનું ઉચ્ચ સ્થાન છે તેવા વિધ્નહર્તા ગણેશજીના વધામણા સમગ્ર દેશમાં ગણેશચતુર્થીએ શરૂ થયા છે. ગણેશચતુર્થીના પાવન અવસર પર ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે મહત્વની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગણેશચતુર્થીના દિને સુરત તેમજ અમરેલી જિલ્લામાં એક – એક અંગદાન નોંધાયું છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં ગણેશ ચતુર્થી ના પવન અવસર દરમ્યાન અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં ગણેશજીના આશીર્વાદ મળ્યા છે. જોકે સૌ પ્રથમ વખત અમરેલી જિલ્લામાં અંગદાન થયું હતું જેમાં એક લીવરનું દાન મળ્યું છે.

43 વર્ષિય વ્યક્તિને બ્રેઈનડેડ થતા 2 કિડની અને લીવરનું મળ્યુ દાન

સુરત જિલ્લામાં થયેલ અંગદાનની વિગતો તપાસીએ તો, 43 વર્ષીય બિપિન  વાધાડિયાને બ્રેઇન હેમરેજ થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનુ છે કે સારવાર દરમયના બે દિવસની સધન સારવાર બાદ અંતે બ્રેઇનડેડ થયા હતા.  જેને લઈ પરિવારના સભ્યો દ્વારા અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. પરિવારજનોના આ નિર્ણય અને તેમના ઉમદા ભાવને લઈ હોસ્પિટલના સમગ્ર તંત્રએ બિરદાવ્યું હતું. જે બાદ બિપિન વાધાડિયાના અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયા શરૂ કરવામાં આવી. અંદાજે 6 થી 7 કલાક ના અંતે બે કિડની અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી હતી. આ બંને અંગોને સુરતની જ ખાનગી હોસ્પિટલમાં SOTTO માં રજીસ્ટર દર્દીઓના અગ્રતા ક્રમ પ્રમાણે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી.

અમરેલીમાં સૌપ્રથમ અંગદાન, 83 વર્ષિય વૃદ્ધાના લીવરનું દાન

બીજી તરફ અમરેલી જીલ્લામાં પ્રથમ વખત થયેલ અંગદાનની વિગતો જાણીએ તો, 83 વર્ષના વયોવૃધ્ધ દમયંતિબેન મહેતાનું પણ બ્રેઇનહેમરેજ ને કારણે તેમને અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં ચાર દિવસની સારવાર બાદ તબીબો દ્વારા તેમણે બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. પરિવારજનોએ પરોપકારની ભાવના સાથે આ સમગ્ર અંગદાન માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. જેમાં બ્રેઇનડેડ દમંયતિબેનના લીવરનું દાન મળ્યું છે. આ તમામ ઓર્ગનનું અમદાવાદ સ્થ્તિ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

આ પણ વાંચો: Surat: ઓ બાપરે ! આવી પાડોશી ભગવાન કોઈને ન આપજો, બાળકીને મહિલાએ નિર્દયતાથી માર્યો માર, કારણ જાણીને આપ પણ ચોંકી જશો

હિન્દુ ધર્મમાં અંગોના પ્રત્યારોપણનું ઉત્તમ ઉદાહરણ શ્રી ગણેશ- ડૉ પ્રાંજલ મોદી

આ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સંદર્ભે SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, હિન્દુ ધર્મમાં અંગોના પ્રત્યારોપણનું ઉત્તમ ઉદાહરણ શ્રી ગણેશ છે. આજના પવિત્ર દિને રાજ્યમાં બે બ્રેઇનડેડ યુવક અંગદાનથી ચાર જરૂરિયાતમંદોના જીવનના વિધ્નહર્તા બન્યા છે. જેમાં આ બંને અંગદાન અને ચાર ટ્રાન્સપ્લાન્ટથી ગણેશ ચતુર્થીની ઉજવણી ખરા અર્થમાં સાર્થક થઇ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">