અમરેલીમાં નહીં બદલાય ભાજપના ઉમેદવાર, જિલ્લા પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી સ્પષ્ટતા, કહ્યુ નથી કોઈ રોષ કે વિરોધ

અમરેલીમાં ભાજપના લોકસભા ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પોસ્ટર લાગતા ભાજપ તુરંત એક્શનમાં આવી ગઈ છે અને વિરોધ વકરે એ પહેલા જ પૂર્વ શિક્ષણમંત્રી અને પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ડેમેજ કંટ્રોલ કરવા અમરેલી દોડાવ્યા અને બંધબારણે બેઠક યોજી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2024 | 12:01 AM

અમરેલીમાં પણ ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનો વિરોધ શરૂ થયો. જો કે આ વિરોધ શરૂ થાય તે પહેલા જ ભાજપ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગઈ અને તુરંત પાર્ટીએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અમરેલી દોડાવ્યા હતા. રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા અને પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમરેલીમાં દિલિપ સંઘાણીના નિવાસસ્થાને બંધ બારણે બેઠક યોજી હતી. જેમા પૂર્વ સાંસદ નારણ કાછડિયા, બાવકુ ઉંધાડ, હિરેન હિરપરા, ડૉ. ભરત કાનાબાર સહિતના બેઠકમાં હાજર રહ્યા. સાથે સાથે મુકેશ સંધાણી, ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા પણ બેઠકમાં હાજર રહ્યા હતા

‘અમરેલીમાં કોઈ વિરોધ કે રોષ નથી, ઉમેદવાર ભરત સુતરીયા જ રહેશે’

અમરેલી ભાજપના ઉમેદવારના વિવાદ બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સપષ્ટતા કરી કે અમરેલીમાં કોઈ વિરોધ નથી કે કોઇ રોષ નથી. ઉમેદવાર ભરત સુતરીયા જ રહેશે. રૂપાલાના વિરોધ મુદ્દે કહ્યું કે હાલ પ્રયત્ન ચાલી રહ્યા છે વિવાદનો સુખદ અંત આવશે.

અમરેલીમાં ભાજપના ઉમેદવારને લઈને પોસ્ટર વિવાદ મુદ્દે ભરત સુતરીયાએ પણ પ્રતિક્રિયા આપી. રાજુલા કાર્યકર્તા સંમેલનમાં ભરત સુતરીયા વિરોધ કરનારા સામે ખુલીને બોલ્યા. જેને કાદવ ઉછાળવા હોય તે ઊછાળે, અમરેલીમાં તો કમળ ખીલવાનું જ છે.

આ પણ વાંચો: કરણીસેનાના પદ્મિનીબા વાળાએ જયરાજ સિંહ પર સાધ્યુ નિશાન, કહ્યુ સમાજનો બાપ બનવાની કોશિષ ન કરો- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">