અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ વધતા તંત્રએ કવાયત હાથ ધરી, સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે

અમદાવાદમાં જીએમડીસી ખાતે આવેલી ગવર્મેન્ટ સમરસ બોયઝ હોસ્ટેલ ફરી એક વખત કોરોના દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 5:40 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદમાં (Ahmedabad) પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેની સાથે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. જેના પગલે શહેરના કોરોના દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તે માટે સમરસ કેન્દ્રોને કોવિડ કેર સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. અમદાવાદના જીએમડીસી ખાતે આવેલા સરકારી હોસ્ટેલને ફરી એક વખત સમરસ હોસ્ટેલમાં રૂપાંતરી કરવાની કવાયત તંત્ર દ્વારા કરાઇ છે.

જેમાં જીએમડીસી ખાતે આવેલી ગવર્મેન્ટ સમરસ બોયઝ હોસ્ટેલ ફરી એક વખત કોરોના દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવશે. મહત્વનું છે કે વધતા કેસને લઇને હાલ સરકારી બિલ્ડીંગ કોરોના દર્દીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવી રહી છે અને આગામી ટૂંક જ સમયમાં ફરી એક વખત બોયસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર તરીકે શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં શહેરમાં 01 જાન્યુઆરીથી કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1903 થી લઇને 15 જાન્યુઆરી સુધી 20870 એ પહોંચી છે.

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને જોતા મહાનગરપાલિકાએ ખાનગી લેબોરેટરીની મદદ લીધી છે.. જે અંતર્ગત કોરોના ટેસ્ટિંગ માટે AMC 9 ખાનગી લેબોરેટરીની મદદ લેશે. હેલ્થ કમિટીની ચેરમેનનું કહેવું છે કે આગામી સમયમાં જરૂરિયાત મુજબ સ્થળ અને ટેસ્ટિંગ દર નક્કી કરવામાં આવશે. જેનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી લેવામાં આવશે.

આ પણ વાંચો : બનાસકાંઠાઃ લાખણીના દેતાલ ગામમાં સાસંદની હાજરીમાં કોરોના મહામારી વચ્ચે સન્માન સમારોહ

આ પણ વાંચો : ગાંધીનગર : કલોલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કોરોના નિયમોનો ભંગ

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">