AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : મહેસૂલ પ્રધાનના નિવેદન મામલે લારીગલ્લા-પાથરણા સંઘમાં રોષ, પ્લે કાર્ડ બતાવી વિરોધ દર્શાવ્યો

અમદાવાદ : મહેસૂલ પ્રધાનના નિવેદન મામલે લારીગલ્લા-પાથરણા સંઘમાં રોષ, પ્લે કાર્ડ બતાવી વિરોધ દર્શાવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 7:05 PM
Share

શુક્રવારે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં રસ્તા પર ઉભી રહેતી ઈંડા અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing)સમાન છે.

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ફૂટપાથ પર ધંધો કરનારને ભૂમાફિયા સાથે સરખાવતા લારી ગલ્લા પાથરણા સંઘ રોષે ભરાયું છે. અમદાવાદમાં આજે લારી-ગલ્લા અને પાથરણા સંઘે કલેક્ટર કચેરી ખાતે પ્લે કાર્ડ બતાવી વિરોધ વ્યક્ત કર્યો. અને રાજ્ય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી માફી માગે તેવી માગણી કરી.

નોંધનીય છેકે શુક્રવારે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં રસ્તા પર ઉભી રહેતી ઈંડા અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing)સમાન છે. કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ એક લાંબા ગાળાનો પ્રશ્ન છે. રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે. દુકાન લઈને ધંધો કરે. કચ્છમાં કાર્યક્રમ દરમિયાન મહેસૂલ મંત્રીએ વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહિ કરવા માટે મ્યુનિસિપાલિટીના પગલાંની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી.

રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ફૂટપાથ રાહદારીઓ માટે છે અને તેના પર કોઈ અતિક્રમણ કરી શકાય નહીં. ફૂટપાથ પર લારીઓ મૂકવી એ પોતે જ એક પ્રકારની જમીન હડપ કરવાની વાત છે. જેઓ કોઈપણ પ્રકારનું સ્ટ્રીટ ફૂડ, વેજ, નોન વેજ બનાવે છે, તેમાંથી નીકળતા ધુમાડા અને મસાલાના કારણે પસાર થતા લોકોને મુશ્કેલી પડે છે, આંખોમાં બળતરા થાય છે. આવા આદેશો બદલ રાજકોટ અને વડોદરાના મેયરોનો આભાર, તેઓ અભિનંદનને પાત્ર છે.

 

g clip-path="url(#clip0_868_265)">