અમદાવાદમાં તંત્રની પોલ ખુલ્લી પડી, નારોલમાં ઉબડ ખાબડ રસ્તાઓથી લોકો પરેશાન

નારોલ વિસ્તારમાં વરસાદ બાદ રંગોલીનગર રોડ, તુલસીનગર, ઉમંગ ફ્લેટ રોડ સહિતના રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડ્યા છે.સ્થાનિકોની રજૂઆતો કોર્પોરેશન સાંભળતુ નથી તેવો આક્ષેપ કરવામ આવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 10:46 AM

અમદાવાદના(Ahmedabad) નારોલ (Narol)વિસ્તારમાં બિસ્માર રસ્તાઓને(Poor Road)કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યારે વરસાદ(Monsoon)બાદ રંગોલીનગર રોડ, તુલસીનગર, ઉમંગ ફ્લેટ રોડ સહિતના રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડ્યા છે.સ્થાનિકોની રજૂઆતો કોર્પોરેશન સાંભળતુ નથી તેવો આક્ષેપ કરવામ આવી રહ્યો છે. તો બીજી તરફ કોર્પોરેશનના રોડ અને બિલ્ડીંગ કમિટીના ચેરમેને રસ્તાઓ રીપેર કરાયા હોવાનું જણાવ્યું છે.

ગુજરાતમાં ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે. જો કે ચોમાસામાં પડેલા વરસાદમાં અનેક રસ્તાઓ ધોવાઇ ગયા છે તેમજ અને રોડને નુકશાન પણ થયું છે. જો કે હવે આ રસ્તા સમારકામની કામગીરી ચાલી રહી છે. ત્યારે અનેક જગ્યા પર રસ્તા રીપેર થવાના તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે જ્યારે અનેક સ્થળોએ રસ્તા રીપેર ન થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વરસાદને કારણે રસ્તાઓ પર 30 હજારથી વધારે ખાડાઓ પડ્યા છે. વરસાદે વિરામ લેતા કોર્પોરેશન દ્વારા ખાડાઓ પુરવાની કવાયત શરૂ કરાઈ છે.નવરાત્રી સુધીમાં શહેરના રસ્તાઓમાં પડેલા તમામ ખાડાઓ પુરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સૂચના આપી છે.

એક જ દિવસમાં ખાડાઓ પુરવા માટે 700 ટન હોટ મિક્સનો વપરાશ કરવામાં આવ્યો છે. જેમાં મોટા ખાડાઓ પડ્યા છે ત્યાં કપચી અને પથ્થરથી પુરાણ કરી રીપેર કરવામાં આવશે.જ્યાં પેચરથી કામ કરવાની જરૂર લાગશે ત્યાં જેટ પેચર મશીનથી રિસરફેશ કરવાની કામગીરી કરવામાં આવશે..

કોર્પોરેશન દ્વારા 1 જુલાઈથી 3 ઓક્ટોબર સુધી ત્રણ મહિનામાં 20,300 જેટલા ખાડાઓ પુરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે.ત્રણ મહિનામાં ખાડાઓના પેચવર્ક માટે 20 હજાર ટન મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો.આ ઉપરાંત એપ્રિલ 2022 સુધીમાં 225 કિલોમીટરના રોડને રિસરફેસ કરવામાં આવશે.

આ પણ વાંચો :  ગુજરાતમાં ભાજપનું ઓબીસી કાર્ડ, આજે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપુરા સભા ગજવશે

આ પણ વાંચો : મહેસાણા : પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની રિયલ એસ્ટેટમાં અસર, મકાનોની કિંમત આસમાને પહોંચી

 

 

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">