Ahmedabad : ચોમાસા બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત્, શાહીબાગ ડફનાળા પાસે 20 ફૂટ ઊંડો ભૂવો પડયો

ચાલુ સિઝનમાં અમદાવાદ શહેરમાં 20થી ભુવા પડ્યા છે.એક તારણ મુજબ અમદાવાદમાં 20 વર્ષ જૂની લાઈન હોવાને કારણે ભૂવા પડે છે. અમદાવાદના રસ્તાઓ પર પડતાં ભૂવા જ્યાં જયાં પડ્યા છે. ત્યાં કાં તો પાણીની લાઈન હોય છે. કાં તો મેટ્રો ટ્રેનનું કામકાજ ચાલતું હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 1:25 PM

ચોમાસાએ ભલે વિદાય લઈ લીધી પણ અમદાવાદ શહેરના રસ્તા પર પડતા ભૂવા વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યા. શહેરના શાહીબાગ ડફનાળા પાસે 20 ફૂટ ઊંડો મહાકાય ભૂવો પડી ગયો છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો સિવિલ હોસ્પિટલને જોડે છે. જેથી દિવસમાં ઘણી વખત એમ્બ્યુલન્સ પણ પસાર થતી હોય છે. એટલે ભૂવાનું સમારકામ ઝડપથી થાય તે ખૂબ જરૂરી છે. જોકે કોર્પોરેશને દાવો કર્યો છે કે 10થી 15 દિવસમાં ભૂવાનું સમારકામ પૂર્ણ કરી દેવાશે. કોર્પોરેશનના ઈજનેરનું કહેવું છે કે ઝાડના મૂળિયા સ્ટોર્મ વૉટરલાઈનમાં ઘૂસી જતા આ ભૂવો પડ્યો છે. જેનું કામ ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્નો ચાલી રહ્યા છે.

ચાલુ સિઝનમાં અમદાવાદ શહેરમાં 20થી ભુવા પડ્યા છે.એક તારણ મુજબ અમદાવાદમાં 20 વર્ષ જૂની લાઈન હોવાને કારણે ભૂવા પડે છે. અમદાવાદના રસ્તાઓ પર પડતાં ભૂવા જ્યાં જયાં પડ્યા છે. ત્યાં કાં તો પાણીની લાઈન હોય છે. કાં તો મેટ્રો ટ્રેનનું કામકાજ ચાલતું હોય છે.

અમદાવાદના શાસ્ત્રીનગર પાસે આવેલો આજથી 25 દિવસ પહેલાં પડ્યો હતો. અમદાવાદના રન્નાપાર્ક વિસ્તારમાં 10 દિવસ પહેલા ભૂવો પડયો હતો. આમ, શહેરમાં ભુવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહીં. ભુવા પડવાને કારણે જે-તે વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે અગવડનો સામનો કરવો પડે છે. પરંતુ, આ મામલે તંત્ર દ્વારા ખાસ કોઇ ઠોસ પગલાં લેવાઇ નથી રહ્યાં. તેથી લોકોમાં ખાસ નારાજગી જોવા મળે છે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">