Ahmedabad: બ્રોકર અશેષ અગ્રવાલના ભેદી સંજોગોમાં ગુમ થવાનો કેસ, અશેષ હરિયાણા કે મુંબઈ હોવાની શક્યતા

રિયલ એસ્ટેટની દલાલીમાં રોકાણકારો સાથે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડી આચરી ગુમ થયેલા 39 વર્ષિય બ્રોકર (Broker) અશેષ અગ્રવાલ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસને પરસેવો પડાવી રહ્યો છે. તેની ચોક્કસ ભાળ મળી શકતી નથી. એવામાં પોલીસે હરિયાણા અને મુંબઈમાં તપાસ શરૂ કરી છે. એવી અટકળોએ જોર પકડ્યુ છે કે, અશેષનું પગેરૂ હરિયાણા અથવા મુંબઈમાં હોઈ શકે છે. […]

| Updated on: May 27, 2021 | 11:59 AM

રિયલ એસ્ટેટની દલાલીમાં રોકાણકારો સાથે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડી આચરી ગુમ થયેલા 39 વર્ષિય બ્રોકર (Broker) અશેષ અગ્રવાલ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસને પરસેવો પડાવી રહ્યો છે. તેની ચોક્કસ ભાળ મળી શકતી નથી. એવામાં પોલીસે હરિયાણા અને મુંબઈમાં તપાસ શરૂ કરી છે. એવી અટકળોએ જોર પકડ્યુ છે કે, અશેષનું પગેરૂ હરિયાણા અથવા મુંબઈમાં હોઈ શકે છે.

અશેષ તરફથી થયેલા એક ફોન કોલથી પોલીસને તે હરિયાણા કે મુંબઈમાં હોવાની શંકા ગઈ છે. સેટેલાઈટના આશાવરી ટાવર્સમાં રહેતા અને સાઉથ બોપલમાં પ્રોપર્ટી વર્લ્ડના નામે રિઅલ એસ્ટેટની દલાલી કરતો અશેષ અગ્રવાલ 18 મે ના રોજ લાપતા થયો હતો. તેના ગુમ થવાની વાતે રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

અશેષ ગુજરાત છોડીને બહાર ગયો હોવાનું અનુમાન છે. વળી તેણે સન બિલ્ડરના નામે કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર કેસમાં તેના સ્ટાફ સંબંધી સહિત 20 લોકોના નિવેદન લીધા છે. જેમા ઓફિસના બે માણસો દ્વારા તે કોઈ વ્યક્તિ સાથે રૂપિયાની લેવડ દેવડ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જોકે ચોંકાવનારી વાત એ છે કે, હજુ સુધી અશેષ અગ્રવાલ સામે એક પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે અશેષ પાસે કેટલાક સિનિયર પોલીસ અધિકારીથી લઈને પ્રસાશનિક અધિકારીઓના પણ નાણા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે હાલ તો પોલીસ અશેષની બિનવારસી હાલતમાં મળેલી કાર અને સીમકાર્ડના આધારે તેની શોધખોળ કરી રહી છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">