પાલનપુરમાં વિશ્વ ઉમિયા ધામ દ્વારા પાટીદાર મહાસંમેલન યોજવામાં આવ્યુ હતુ. સંમેલનમાં ભાજપના નેતાઓ અને ધારાસભ્યો સહિત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના પાટીદાર આગેવાનો અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલે નિવેદન કર્યુ હતુ કે, પાટીદાર સમાજ સનાતન વાળી પાર્ટી સાથે રહેશે. જે પાર્ટી સનાતન સાથે હશે વિશ્વ ઉમિયા ધામ ટ્રસ્ટ પણ એ પાર્ટી સાથે રહેશે. આમ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં મહત્વનું નિવેદન કરવામાં આવ્યું હતુ.
Published On - 3:43 pm, Sun, 17 March 24