Ambaji : 2 એપ્રિલથી શરૂ થતાં ચૈત્રી નવરાત્રીમાં આરતીના સમયમાં ફેરફાર કરાયો
ચૈત્ર સુદ આઠમના દિવસે સવારની આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમે એટલે કે, 16 એપ્રિલે સવારે 6.00 કલાકે આરતી થશે. આ વખતે અંબાજી મંદિરમાં 9 દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પણ મંજૂરી અપાઈ છે. ચૈત્રી નવરાત્રી મુદ્દે અંબાજીમાં યાત્રિકોની ભારે ભીડ રહે છે..આ વખતે પણ હજારો ભક્તો અંબાજીના શરણોમાં પહોંચી તેવી શક્યતા છે
2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો(Chaitra Navratri) પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે આવતા હજારો દર્શનાર્થીઓને આરતીનો(Aarti) લાભ મળી રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે. 2 એપ્રિલથી દર્શન-આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં અને નવરાત્રીના દિવસે ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે.અંબાજીની આરતીના સમયની વાત કરીએ તો સવારની આરતી- 07.00 થી 07.30, ઘટ સ્થાપન સવારે – 08.15 થી 09.15, સવારે દર્શન- 07.30 થી 11.30, બપોરે દર્શન- 12.30 થી 16.30 સુધી, સાંજની આરતી- 07.00 થી 07.30, સાંજના દર્શન -07.30થી રાત્રીનાં 9 વાગે યોજાશે. જ્યારે ચૈત્ર સુદ આઠમના દિવસે સવારની આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમે એટલે કે, 16 એપ્રિલે સવારે 6.00 કલાકે આરતી થશે. આ વખતે અંબાજી મંદિરમાં 9 દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પણ મંજૂરી અપાઈ છે. ચૈત્રી નવરાત્રી મુદ્દે અંબાજીમાં યાત્રિકોની ભારે ભીડ રહે છે..આ વખતે પણ હજારો ભક્તો અંબાજીના શરણોમાં પહોંચી તેવી શક્યતા છે.
નવરાત્રીના 9 દિવસનું મહત્વ
નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. જેમાં સમગ્ર 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસની રહેશે. શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે 8 દિવસની નવરાત્રિ શુભ માનવામાં આવતી નથી. 10 દિવસની નવરાત્રી ખૂબ જ ખાસ હોય છે.નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે જ્યારે તારીખ સામાન્ય હોય છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 દિવસ સુધી ચાલશે.
આ પણ વાંચો : Surat : યુવતીએ લૂંટારુઓને ભગાડી બતાડી બહાદુરી, સુરત રેન્જ આઈજીએ રોકડ ઇનામ આપ્યું
આ પણ વાંચો : Narmada : SOU અધિકારીની વાંધાજનક ટિપ્પણીનો વિરોધ કરી રહેલા આદિવાસીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
