Ambaji : 2 એપ્રિલથી શરૂ થતાં ચૈત્રી નવરાત્રીમાં આરતીના સમયમાં ફેરફાર કરાયો

ચૈત્ર સુદ આઠમના દિવસે સવારની આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમે એટલે કે, 16 એપ્રિલે સવારે 6.00 કલાકે આરતી થશે. આ વખતે અંબાજી મંદિરમાં 9 દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પણ મંજૂરી અપાઈ છે. ચૈત્રી નવરાત્રી મુદ્દે અંબાજીમાં યાત્રિકોની ભારે ભીડ રહે છે..આ વખતે પણ હજારો ભક્તો અંબાજીના શરણોમાં પહોંચી તેવી શક્યતા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 9:56 PM

2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો(Chaitra Navratri) પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે આવતા હજારો દર્શનાર્થીઓને આરતીનો(Aarti) લાભ મળી રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે. 2 એપ્રિલથી દર્શન-આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં અને નવરાત્રીના દિવસે ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે.અંબાજીની આરતીના સમયની વાત કરીએ તો સવારની આરતી- 07.00 થી 07.30, ઘટ સ્થાપન સવારે – 08.15 થી 09.15, સવારે દર્શન- 07.30 થી 11.30, બપોરે દર્શન- 12.30 થી 16.30 સુધી, સાંજની આરતી- 07.00 થી 07.30, સાંજના દર્શન -07.30થી રાત્રીનાં 9 વાગે યોજાશે. જ્યારે ચૈત્ર સુદ આઠમના દિવસે સવારની આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમે એટલે કે, 16 એપ્રિલે સવારે 6.00 કલાકે આરતી થશે. આ વખતે અંબાજી મંદિરમાં 9 દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પણ મંજૂરી અપાઈ છે. ચૈત્રી નવરાત્રી મુદ્દે અંબાજીમાં યાત્રિકોની ભારે ભીડ રહે છે..આ વખતે પણ હજારો ભક્તો અંબાજીના શરણોમાં પહોંચી તેવી શક્યતા છે.

નવરાત્રીના 9 દિવસનું મહત્વ

નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. જેમાં સમગ્ર 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસની રહેશે. શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે 8 દિવસની નવરાત્રિ શુભ માનવામાં આવતી નથી. 10 દિવસની નવરાત્રી ખૂબ જ ખાસ હોય છે.નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે જ્યારે તારીખ સામાન્ય હોય છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 દિવસ સુધી ચાલશે.

આ પણ વાંચો :  Surat : યુવતીએ લૂંટારુઓને ભગાડી બતાડી બહાદુરી, સુરત રેન્જ આઈજીએ રોકડ ઇનામ આપ્યું

આ પણ વાંચો : Narmada : SOU અધિકારીની વાંધાજનક ટિપ્પણીનો વિરોધ કરી રહેલા આદિવાસીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો

Follow Us:
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">