વસત પંચમીના દિવસે કયા મુહૂર્તમાં પૂજા કરી સરસ્વતી માતાને કરશો પ્રસન્ન, શું છે પૂજાની વિધિ ?
રવિવારે માગશર માસના શુક્લ પક્ષની પંચમી છે, જે દિવસે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે. જેને વસતપંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ અંગે એવી ધાર્મિક માન્યતા છે કે, શબ્દોની શક્તિએ મનુષ્યના જીવનમાં પ્રેવશ કર્યો હતો. સરસ્વતી માતાના જન્મ દિવસ તરીકે પણ માનવવામાં આવે છે. શાસ્ત્રોમાં સરસ્વતી માતાને પ્રસન્ન કરવા માટેના ઘણાં નિયમો આપ્યા છે. […]
રવિવારે માગશર માસના શુક્લ પક્ષની પંચમી છે, જે દિવસે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે. જેને વસતપંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ અંગે એવી ધાર્મિક માન્યતા છે કે, શબ્દોની શક્તિએ મનુષ્યના જીવનમાં પ્રેવશ કર્યો હતો. સરસ્વતી માતાના જન્મ દિવસ તરીકે પણ માનવવામાં આવે છે.
શાસ્ત્રોમાં સરસ્વતી માતાને પ્રસન્ન કરવા માટેના ઘણાં નિયમો આપ્યા છે. જેમાંથી સૌથી યોગ્ય વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવા જોઇએ અને સરસ્વતી માતાને પીળા અને સફેદ રંગના ફૂલો ચઢાવવા જોઇએ તેવું પણ કહેવામાં આવ્યું છે.
વસંત પંચમીના પૂજા કરવાના શુભ મુહૂર્ત
પંચમીનો પ્રારંભ : શનિવાર 9 ફેબ્રુઆરીના બપોરે 12.25 કલાકથી થશે પંચમીની તિથિનો અંત : રવિવારે 10 ફેબ્રુઆરીના બપોરે 2.08 કલાકે થશે પૂજા મુહૂર્ત : સવારે 7.15 થી બપોરે 12.52 સુધી
સરસ્વતીની પૂજા વિધિ
સવારે સ્નાન કરી સફેદ અથવા પીળા વસ્ત્ર પહેરવા સરસ્વતી માતનો ફોટો અથવા મૂર્તિ ઉ-પૂર્વ દિશામાં રાખવી જેના પર ચંદન લગાવવું અને સફેદ અને પીળા પુષ્પ ચઢાવવા જ પછી ઓમ એં સરસ્વતૈય નમ: મંત્રની 108 વખત માળા કરવી
[yop_poll id=1263]