સપનામાં આવી દુશ્મનની બાતમી આપતા શહીદ ! દેશના આ વીર સપૂતની કહાની છે રસપ્રદ

સિક્કિમ બોર્ડર પર તૈનાત સૈનિકોનું કહેવું છે કે મૃત્યુ પછી પણ આ જવાન સરહદ પર પોતાની ફરજ નિભાવે છે. આ માટે તેમને યોગ્ય પગાર પણ આપવામાં આવે છે. મંદિરમાં તેમનો એક ઓરડો પણ છે, જેમાં દરરોજ પલંગ સાફ કરવામાં આવે છે. તેમનો આર્મી યુનિફોર્મ અને શૂઝ એ જ રૂમમાં રાખવામાં આવ્યા છે.

| Updated on: Sep 29, 2024 | 5:27 PM

આપણા દેશના સૈનિકો હંમેશા દુશ્મનોથી દેશની રક્ષા કરે છે, પરંતુ શું તમે એક એવા સૈનિક વિશે જાણો છો જેના માટે દેશનો જુસ્સો એવો છે કે, શહીદ થયાના વર્ષો પછી પણ દેશની રક્ષા કરી રહ્યા છે. તમને આ સાંભળીને અજીબ લાગશે, પરંતુ હરભજન સિંહ આજે પણ સિક્કિમ બોર્ડર પર દેશની રક્ષા કરી રહ્યા છે. એટલું જ નહીં, આ સરહદ પર તેમનું મંદિર પણ આવેલું છે. હરભજન સિંહનો ડર એટલો છે કે દુશ્મનો પણ તેમના નામથી ડરે છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ સૈનિકોનું માનવું છે કે હરભજન સૈનિકોને ચીન દ્વારા ઘડવામાં આવતા ષડયંત્ર વિશે અગાઉથી જાણ કરે છે.

સિક્કિમ બોર્ડર પર તૈનાત સૈનિકોનું કહેવું છે કે મૃત્યુ પછી પણ બાબા સરહદ પર પોતાની ફરજ નિભાવે છે. આ માટે બાબા હરભજન સિંહને યોગ્ય પગાર પણ આપવામાં આવે છે. મંદિરમાં બાબાનો એક ઓરડો પણ છે, જેમાં દરરોજ પલંગ સાફ કરવામાં આવે છે. બાબાનો આર્મી યુનિફોર્મ અને શૂઝ એ જ રૂમમાં રાખવામાં આવ્યા છે. 2006માં તેમને ઓફિશિયલી નિવૃત્ત કરવામાં આવ્યા હતા.

સેનામાં જોડાયાના 2 વર્ષ બાદ જ તેઓ શહીદ થયા હતા. બે દિવસની સઘન શોધખોળ બાદ પણ તેમનો મૃતદેહ મળ્યો ન હતો. આ પછી હરભજન સિંહ એક સૈનિકના સપનામાં આવ્યા અને તેમનો મૃતદેહ ક્યાં છે, તે જણાવ્યું. જ્યારે તે સૈનિક બીજા દિવસે અન્ય સૈનિકો સાથે તે જ જગ્યાએ ગયો ત્યારે તેમને હરભજન સિંહનો મૃતદેહ મળ્યો. ત્યારથી બાબા હરભજન સિંહના બંકરને મંદિરમાં ફેરવી દેવામાં આવ્યું હતું.

Follow Us:
પાછોતરો વરસાદ આફત બનીને વરસ્યો, ખેતરોમાં ઉભો પાક થયો બરબાદ
પાછોતરો વરસાદ આફત બનીને વરસ્યો, ખેતરોમાં ઉભો પાક થયો બરબાદ
સપનામાં આવી દુશ્મનની બાતમી આપતા શહીદ !
સપનામાં આવી દુશ્મનની બાતમી આપતા શહીદ !
સોમનાથ ખાતે નવેમ્બરમાં યોજાશે ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન બેઠક
સોમનાથ ખાતે નવેમ્બરમાં યોજાશે ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન બેઠક
વડોદરામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
વડોદરામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
કડાણા ડેમની જળસપાટીમાં વધારો, 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા
કડાણા ડેમની જળસપાટીમાં વધારો, 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ 85 ટકા ભરાયો
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ 85 ટકા ભરાયો
બાળક રડ્યું તો સ્ટિયરિંગ પકડાવ્યું, જુઓ ટેમ્પો ટ્રાવેલરનો જોખમી વીડિયો
બાળક રડ્યું તો સ્ટિયરિંગ પકડાવ્યું, જુઓ ટેમ્પો ટ્રાવેલરનો જોખમી વીડિયો
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો, 10 દરવાજા ખોલાયા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો, 10 દરવાજા ખોલાયા
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
g clip-path="url(#clip0_868_265)">