સીમ્પલ, રીસ્પોન્સીવ અને ઇનોવેટીવ ફાયનાન્શીયલ સોલ્યુશનનું બીજું નામ એટલે STATE BANK OF INDIA
આત્મનિર્ભર ભારતનો સંકલ્પ એ દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે. આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા દેશમાં ઉત્પાદન વધશે અને વિદેશથી આયાતમાં ઘટાડો થશે, જેનો લાભ દેશની અર્થ વ્યવસ્થાને થશે.
STATE BANK OF INDIA દેશની સૌથી જૂની બેંકમાંથી એક રાષ્ટ્રીયકૃત બેંક. સીમ્પલ, રીસ્પોન્સીવ અને ઇનોવેટીવ ફાયનાન્શીયલ સોલ્યુશનનું બીજુ નામ એટલે SBI. ગુજરાતમાં જ આ બેંકની 1200થી વધુ શાખાઓ છે અને આપને જાણી ગર્વ થશે કે ગુજરાતમાં ATMનું સૌથી મોટુ નેટવર્કSTATE BANK OF INDIAનું છે અને આ જ ગ્રાહકલક્ષી એપ્રોચના કારણે જ 214 વર્ષથી એસબીઆઇની બેંકીગ સર્વિસથી ગ્રાહકો પ્રભાવિત છે. આત્મનિર્ભરતા એ SBIની બેંકીગ સર્વિસના પાયામાં છે.STATE BANK OF INDIA હોમ લોનથી માંડીને નાના ઉદ્યોગોને પોસાય તેવા વ્યાજ દરે લોન આપીને જરુરિયાતમંદોને આત્મનિર્ભર બનાવે છે.
આત્મનિર્ભર ભારત અભિયાન અંગે SBIના જનરલ મેનેજર પુરુષોત્તમ બેડેકરે કહ્યું કે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ એ દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે. આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા દેશમાં ઉત્પાદન વધશે અને વિદેશથી આયાતમાં ઘટાડો થશે, જેનો લાભ દેશની અર્થ વ્યવસ્થાને થશે. SBI બેન્ક આત્મનિર્ભર ભારત અભિયાનને સાકાર કરવા માટે નાના વ્યક્તિને મુદ્રા લોન (MUDRA LOAN)થી લઈને મોટા ઔદ્યોગિક એકમોને મોટી લોન આપે છે અને આર્થિક રીતે સશક્ત કરે છે.