Amreli : ભાજપ કાર્યકરને માર મારનાર પોલીસ અધિકારી ASP અભય સોનીની ગાંધીનગર બદલી

Amreli : રાજ્યના ગૃહવિભાગે ASP અભય સોનીની ગાંધીનગર બદલી કરી.

| Updated on: Apr 04, 2021 | 9:06 PM

Amreli : અમરેલીમાં પોલીસે ભાજપના બે કાર્યકરોને ફટકારતા મામલો બિચક્યો હતો અને પોલીસ વિરુદ્ધ રાજકારણનો મુદ્દો બની ગયો હતો.કોરોના રસીકરણનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા પોલીસે ભાજપ કાર્યકરોને માર માર્યો હોવાનો આક્ષેપ કરીને દિલીપ સાંધાણીએ જવાબદાર પોલીસ સામે પગલા ભરવા માંગ કરી હતી. દિલીપ સંઘણીની રજૂઆતના પગલે આખરે પોલીસ અધિકારીની બદલી કરાઈ છે.

ASP અભય સોનીની ગાંધીનગર બદલી
Amreli માં ભાજપ કાર્યકરોને માર મારવાની ઘટનામાં જેમના પર આરોપ લાગ્યા હતા તે પોલીસ અધિકારી ASP અભય સોની વિરૂદ્ધ કડક પગલા લેવા માટે ભાજપના જ મોટા નેતા દિલીપ સંઘાણીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. આખરે સરકાર અને સંગઠન વચ્ચેનો મામલો થાળે પાડવા રાજ્યના ગૃહવિભાગે ભાજપ કાર્યકરને માર મારનાર પોલીસ અધિકારી ASP અભય સોનીની ગાંધીનગર બદલી કરી દીધી છે.

શું ઘટી હતી સમગ્ર ઘટના ?
રસીકરણના કાર્યક્રમ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ Amreli માં આવવાના હતા. જેના માટે અમરેલી ભાજપ દ્વારા કેટલીક તૈયારીઓ કરવામાં આવી રહી હતી . જેમાં ભાજપના બે કાર્યકરોને પોલીસે માર મારતા બન્ને કાર્યકરોએ અમરેલી ભાજપના મોટા માથાઓને, પોલીસે માર્યા હોવાની જાણ કરી હતી. અને બન્ને કાર્યકરો સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા હતા.

કાર્યકરો માટે દિલીપ સંઘાણી ઉતર્યા મેદાને
આ સમગ્ર ઘટના બાદ કાર્યકરોનો પોલીસ સામે ગુસ્સો જોઈને નેતાઓએ પણ પોલીસની કામગીરીની આકટી ટીકા કરી હતી. અમરેલીના પૂર્વ સાંસદ અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ ASP અભય સોની સામે આક્ષેપ કરતા ત્યા સુધી કહ્યું કે કોરોના સામેની રસીકરણના કાર્યક્રમને સંપૂર્ણ નિષ્ફળ બનાવવા માટે પોલીસે આ પ્રકારે રસીકરણના કાર્યક્રમમાં જોડાયેલા કાર્યકરોને માર માર્યો છે. સંઘાણીએ આ ઘટનામાં જવાબદાર જે કોઈ પોલીસ અધિકારી હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દિલીપ સંઘાણી ઉપરાંત સંસદસભ્ય નારાયણ કાછડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરે સીવીલ હોસ્પિટલ પહોચીને ઉશ્કેરાયેલા ભાજપના અન્ય કાર્યકરોને ઠંડા પાડવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની હાજરીમાં આજે વેક્સિનેશનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, અમારો મુખ્ય હેતુ સેવાનો હતો. જેથી અમે સેવાના બદલે કાર્યકર્તાઓ આંદોલનના માર્ગે ના ચડે તે માટે શાંત રહ્યા. દિલીપ સંઘાણીએ 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે બાદ સરકારે સંબંધિત પોલીસ અધિકારીની ગાંધીનગર બદલી કરી છે.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">