AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો છો રાત્રે કૂતરા કેમ રડે છે? કારણ જાણીને વિશ્વાસ નહીં આવે

આપણા સમાજમાં પ્રાચીનકાળથી એવી ઘણી માન્યતાઓ ચાલતી આવી છે. એ માન્યતાઓ એવી છે જે માત્ર મનાતી હોય છે. જ્યારે કે તે માન્યતાઓ પાછળના તર્ક કે વાર્તાને શોધવાનો પ્રયત્ન કરો તો ભાગ્યે જ સફળતા મળે.  આવી જ એક માન્યતા છે કે કૂતરાઓનું રડવું ખરાબ હોય છે. એટલે કે અપશુકન. કહેવાય છે કે કૂતરાઓનું રોવાનો અર્થ થાય […]

જાણો છો રાત્રે કૂતરા કેમ રડે છે? કારણ જાણીને વિશ્વાસ નહીં આવે
| Updated on: Jan 06, 2019 | 9:44 AM
Share

આપણા સમાજમાં પ્રાચીનકાળથી એવી ઘણી માન્યતાઓ ચાલતી આવી છે. એ માન્યતાઓ એવી છે જે માત્ર મનાતી હોય છે. જ્યારે કે તે માન્યતાઓ પાછળના તર્ક કે વાર્તાને શોધવાનો પ્રયત્ન કરો તો ભાગ્યે જ સફળતા મળે. 

આવી જ એક માન્યતા છે કે કૂતરાઓનું રડવું ખરાબ હોય છે. એટલે કે અપશુકન. કહેવાય છે કે કૂતરાઓનું રોવાનો અર્થ થાય છે કે આવનારા સમયમાં તમારી આસપાસની કોઈ વ્યક્તિની મોતની પૂર્વ સૂચના. સ્વાભાવિક છે કે આવી વાત સાંભળીને તો કોઈ પણ ડરી જાય.

શું કહે છે જ્યોતિષ?

આજ સુધી આપણે જે સાંભળતા આવ્યા છીએ આસપાસના લોકો પાસેથી અને જ્યોતિષીઓનું પણ માનવું છે કે કૂતરાઓ ત્યારે સૌથી વધારે રડે છે જ્યારે તેમની આસપાસ કોઈ આત્મા દેખાય. એટલે કે જે આત્માઓને આપણે નથી જોઈ શકતા પણ કૂતરાઓ તેમને જોઈ શકે છે. અને આત્માઓને ભગાડવા તે અવાજ કરે છે.

વિજ્ઞાન અને વિશેષજ્ઞોનું કહેવું છે એકદમ અલગ

માન્યતાઓ અને જ્યોતિષીઓથી આગળ વધીને વિજ્ઞાનની વાત કરીએ.

પહેલી વાત તો એ છે કે કૂતરાઓ રોતા જ નથી. તેઓ જે રડવા જેવો અવાજ કાઢે છે તેને હાઉલ કે હૌલ કરે છે તેમ કહેવાય. રાતના સમયે જ્યારે કૂતરાઓ આવો અવાજ કાઢે છે ત્યારે ખરેખર તો તેઓ તેમનાથી દૂર તેમના સાથીઓ સુધી મેસેજ પહોંચાડતા હોય છે. આ તેમના સાથીઓ સુધીનો મેસેજ હોય છે કે તેઓ ક્યાં છે.

દર્દમાં સાથીઓને બોલાવવાની પણ એક રીત

સ્વાભાવિક છે કે તેઓ પણ એક જીવ છે, તેમને પણ વાગે, ઈજા પહોંચે. દર્દ થાય. શારીરિક પરેશાની હોય. આવા સ્થિતિમાં પણ કૂતરાઓ હાઉલ કરે છે. તો વળી ક્યારેક જો તેમાંનું કોઈ પોતાના ઝુંડથી એકલું  પડી ગયું હોય તો પણ પોતાના સાથીઓને બોલાવવા આવો અવાજ કાઢે છે.

એકલતા લાગે ત્યારે પણ કરે હાઉલ

વ્યક્તિની જેમ કૂતરાઓને પણ એકલું રહેવું પસંદ નથી હોતું. એટલે જ જ્યારે તેમને એકલતા લાગે ત્યારે તેઓ પોતાના સાથીઓને બોલાવા હૌલ કરે છે.

આ પણ વાંચો: તમારી કાર કે વાહન પાછળ કૂતરા ભસે અને ભાગે છે? જાણી લો શું છે કારણ!

કૂતરાઓને મોટા અવાજ પણ પસંદ નથી હોતા અને એટલે જ્યારે તેવો કોઈ અવાજ પણ સાંભળી લે ત્યારે તેમના કાનમાં તકલીફ પહોંચે છે. અને એટલે જ તેઓ મોટા અવાજથી દૂર ભાગે છે અને તેવો અવાજ કાઢે છે.

[yop_poll id=492]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">