AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Insurance : શું છે ફાયર ઈન્સ્યોરન્સ, કંઈ પરિસ્થિતિમાં મળે છે લાભ, શું છે તેની કિંમત, જાણો સમગ્ર વિગત

ફાયર ઈન્સ્યોરન્સ હેઠળ જો આગને કારણે પોલિસીધારકની મિલકતને નુકસાન થાય છે, તો વીમા કંપની તે નુકસાનની ભરપાઈ કરે છે.

Fire Insurance : શું છે ફાયર ઈન્સ્યોરન્સ, કંઈ પરિસ્થિતિમાં મળે છે લાભ, શું છે તેની કિંમત, જાણો સમગ્ર વિગત
Fire insurance ( Symbolic photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 8:44 AM
Share

આજના સમયમાં વીમાનું (Insurance) મહત્વ ઘણું વધી ગયું છે. સામાન્ય રીતે તમે જીવન વીમો, આરોગ્ય વીમો, મોટર વાહન વીમા વિશે સાંભળ્યું જ હશે. પરંતુ આજે અમે તમને ફાયર ઈન્સ્યોરન્સ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. ફાયર ઈન્સ્યોરન્સ (Fire Insurance) હેઠળ જો આગને કારણે પોલિસીધારકની મિલકતને નુકસાન થાય છે, તો વીમા કંપની તે નુકસાનની ભરપાઈ કરે છે. જે કંપનીઓ ફાયર ઈન્સ્યોરન્સ વેચે છે, તેઓ આગના જુદા જુદા સંજોગો અનુસાર કવર આપે છે. પોલિસીબઝાર.કોમ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ભારતમાં ચોક્કસ પોલિસી, કોમ્પ્રીહેન્સિવ પોલિસી, ફ્લોટિંગ પોલિસી, રિપ્લેસમેન્ટ પોલિસી વગેરે સહિત અનેક પ્રકારના ફાયર ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ છે.

બહુ જ કામની ચીજ છે ફાયર ઈન્સ્યોરન્સ

તમને જણાવી દઈએ કે ફાયર ઈન્સ્યોરન્સએ પ્રોપર્ટી ઈન્સ્યોરન્સનો એક ભાગ છે. ફાયર ઈન્સ્યોરન્સની વિશેષતા એ છે કે તે મિલકતના માલિક તેમજ ભાડૂત દ્વારા ખરીદી શકાય છે. ફાયર ઈન્સ્યોરન્સ માત્ર ઘરને જ નહીં પરંતુ તમારા વ્યવસાય અને તેની સાથે સંકળાયેલી ઓફિસો અને ફેક્ટરીઓને પણ સુરક્ષા પ્રદાન કરે છે. ઘર માટે ખરીદેલ ફાયર ઈન્સ્યોરન્સ આગને કારણે થયેલા નુકસાનને આવરી લે છે. તે બળી ગયેલા સામાન અને મિલકતને થયેલા નુકસાનને આવરી લે છે. આ સિવાય ઔદ્યોગિક બાબતો આગને કારણે નુકસાન પામેલા મશીનો અને તેની જાળવણીને આવરી લે છે.

ફાયર ઈન્સ્યોરન્સમાં શું આવરી લે છે

– આગથી થતું નુકસાન

– પાણીથી બગડેલી વસ્તુઓ

– આગને કારણે સામાન બહાર ફેંકી દેવાથી નુકસાન

– આગ ઓલવવામાં રોકાયેલા લોકોના વેતનની ચુકવણી

– વિસ્ફોટને કારણે નુકસાન

– વીજળીના કારણે નુકસાન

આ સંજોગોમાં કવર ઉપલબ્ધ નથી

ધરતીકંપના કારણે આગ લાગવાથી થયેલા નુકસાનની ભરપાઈ થતી નથી. હુમલો, બળવો, યુદ્ધથી થયેલા નુકસાનમાં ભરપાઈ થતી નથી.

ભૂગર્ભ આગને કારણે થયેલા નુકસાનની ભરપાઈ પણ કરવામાં આવતી નથી

આગ દરમિયાન થતી ચોરી અથવા આગ પછીની ચોરીને કારણે થયેલ નુકશાન આવરી લેવામાં આવતું નથી.

– વીમાધારક વ્યક્તિ દ્વારા જાણીજોઈને નુકસાનને કરવું

પોલિસી બજારઅનુસાર, ભારતીય બજારમાં 11 રૂપિયા પ્રતિ માસના પ્રીમિયમ પર 7 લાખ રૂપિયાનો ફાયર ઈન્સ્યોરન્સ લઈ શકાય છે. આ સિવાય તમે તમારી પ્રોપર્ટી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોટા કવર સાથે વીમો પણ ખરીદી શકો છો.

આ પણ વાંચો : Agriculture Drone : ખેડૂતોને મળશે 1000 ડ્રોન, તીડને મારવાનું અને પાકને સ્પ્રે કરવાનું બનશે સરળ

આ પણ વાંચો : શું તમને ખબર છે કે ધરતી પણ છે બુદ્ધિશાળી, ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન છે તેનું ઉદાહરણ, જાણો તેનો ચોંકાવનારો રિપોર્ટ

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">