AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: અશોક ગેહલોતે કર્યુ અક્કલનું પ્રદર્શન, દેશના પહેલા એવા મુખ્યમંત્રી બન્યા જેમણે માસ્ક હટાવ્યા વિના ચરણામૃત પીધું!

Ashok Gehlot Viral Video: ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યપ્રધાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બનેલી ઘટના એવી છે કે તમે તેને જોઈ હસી હસીને લોટપોટ થઈ જશો.

Viral Video: અશોક ગેહલોતે કર્યુ અક્કલનું પ્રદર્શન, દેશના પહેલા એવા મુખ્યમંત્રી બન્યા જેમણે માસ્ક હટાવ્યા વિના ચરણામૃત પીધું!
Ashok Gehlot Viral VideoImage Credit source: TV9 gfx
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 7:34 PM
Share

જાહેર જનતા વચ્ચે રહેતા નેતાઓ અને મોટી હસ્તીઓએ તેમના દરેક કામ સમજી વિચારીને કરવા પડે છે. તેમને અનેક લોકો જોતા હોય છે, તેમને અનેક લોકો આઈડલ પણ માનતા હોય છે પણ કેટલીકવાર તેમની ખરાબ હરકત તેમના માટે મુશ્કેલી સર્જી શકે છે. સોશિયલ મીડિયા પર તમે નેતાઓ અને બોલિવૂડ સ્ટારને ટ્રોલ થતા જોયા જ હશે. હાલમાં આ લિસ્ટમાં અશોક ગેહલોતનું નામ જોડાયુ છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત (Ashok Gehlot) શુક્રવારે જેસલમેર પાસેના રાનદેવરાના બાબા રામદેવના મંદિરે દર્શન માટે ગયા હતા. ત્યાં તેમની સાથે એવી ઘટના બની કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ ગયો હતો.

આ વાયરલ વીડિયોમાં એક મંદિરનો નજારો દેખાય રહ્યો છે. અશોક ગેહલોત ભીડને કારણે કોરોનાથી બચવા માસ્ક પહેરીને ઉભા છે. કેટલાક અધિકારીઓની સાથે મંદિરના પૂજારી પણ આ મંદિરના ગર્ભ ગૃહમાં દેખાય રહ્યા છે. ત્યાં પૂજારી અશોક ગેહલોતને પ્રસાદ રુપે ચરણામૃત આપે છે અને અશોક ગેહલોત કઈ પણ વિચાર્યા વગર ચરણામૃતને માસ્ક કાઢ્યા વગર તેની અંદરથી જ પી જાય છે. તેમની આ હરકત જોઈ લોકો દંગ રહી ગયા હતા. કેટલાક લોકો તો આ ઘટના જોઈ હસી હસીને લોટપોટ થઈ ગયા હતા.

આ રહ્યો અશોક ગેહલોતનો વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

મંદિરની બહાર લાગી રહ્યા હતા મોદી-મોદીના નારા

આ મંદિરમાં દર્શન માટે આવેલા ભક્તોમાંથી કેટલાક લોકોએ અશોક ગેહલોતને જોઈને પહેલા ‘અશોક ગેહલોત ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. ત્યાં અશોક ગેહલોત પણ તેમની સામે હાથ હલાવી અભિવાદન કરી રહ્યા હતા પણ અચાનક ભક્તોના એક ગ્રુપમાંથી મોદી-મોદીના નારા લાગ્યા, જેને સાંભળી અશોક ગેહલોત તરત મંદિર તરફ આગળ વધ્યા અને વીઆઈપી ગેટમાં પ્રવેશ કર્યો.

અશોક ગેહલોતનો આ રમૂજી વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને જોઈ પહેલા તો દંગ રહી જાય છે પણ પછી પેટ પકડીને જોરજોરથી હશે પણ છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર રમૂજી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, ક્યાંથી આવે છે આવા લોકો? બીજા એક યુઝરે લખ્યુ છે કે આવા લોકો રાજ્યની સરકાર કઈ રીતે ચલાવે છે? અન્ય એક યુઝરે લખ્યુ છે કે બહાર મોદી-મોદીના નારા લાગી રહ્યા હતા, તેથી તણાવમાં અને દબાણમાં આવી અશોક ગેહલોતેથી આવું કામ થઈ ગયું. આ નાનકડો વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
g clip-path="url(#clip0_868_265)">