સગી ત્રણ બહેનોને એક જ યુવાક સાથે થઈ ગયો પ્રેમ, બાદમાં જે થયું તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

|

Sep 28, 2021 | 8:22 PM

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં પ્રેમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો જાણીને તમે પણ ચોકી ઉઠશો. ત્રણ સગી બહેનોએ એક જ યુવાનના પ્રેમમા પાગલ થઈ ગઈ હતી.

સગી ત્રણ બહેનોને એક જ યુવાક સાથે થઈ ગયો પ્રેમ, બાદમાં જે થયું તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં પ્રેમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો જાણીને તમે પણ ચોકી ઉઠશો. ત્રણ સગી બહેનોએ એક જ યુવાનના પ્રેમમા પાગલ થઈ ગઈ હતી. જ્યારે પરિવારને આ વિશે ખબર પડી ત્યારે તેઓએ વિરોધ કર્યો. સંબંધીઓના વિરોધ પર ત્રણેય બહેનો યુવક સાથે ઘરમાંથી ભાગી ગઈ હતી. આ ઘટના બાદ હાલ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

જણાવવામાં આવ્યું હતું કે, સમાડના ડરને કારણે પરિવારના સભ્યોએ પોલીસને આ બાબતે જાણ કરી ન હતી અને સંબંધીઓની મદદથી ત્રણેય પુત્રીઓની શોધમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બે પુખ્ત છે જ્યારે એક પુત્રી સગીર છે. આ ઘટના ગામમાં ચર્ચાનો વિષય બની રહી છે.

આઠ દિવસથી ત્રણેયની કોઈ ભાળ મળી નથી

મળતી માહિતી મુજબ, આ મામલો રામપુર જિલ્લાના અઝીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યાં ત્રણ બહેનો એક યુવાન સાથે એટલી હદે પ્રેમ કરતી હતી કે તે એક જ યુવાન સાથે ભાગી ગઈ છે. પરિવારના સભ્યો દ્વારા ઘણી શોધખોળ કરવા છતાં ત્રણેયનો પત્તો મળ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે, આઠ દિવસ થઈ ગયા છે પરંતુ પરિવારે પોલીસને આ અંગે જાણ કરી નથી. જ્યારે મીડિયાએ પોલીસ પાસેથી આ બાબતની માહિતી લીધી ત્યારે તેઓએ કહ્યું કે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. પોલીસનું કહેવું છે કે, પરિવારના સભ્યોની ફરિયાદ મળ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

પણ વાંચો: UGC NET 2021 Admit Card: NET પરીક્ષાનું એડમિટ કાર્ડ ટૂંક સમયમાં આવશે, તમે આ રીતે કરી શકશો ડાઉનલોડ

આ પણ વાંચો: પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી નવજોતસિંહ સિદ્ધુએ આપ્યુ રાજીનામુ, કેપ્ટન અમરિંદરે કહ્યુ-પંજાબ જેવા સરહદી રાજ્ય માટે તેઓ અનુકુળ નથી

Next Article