AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ વ્યક્તિ 67 વર્ષથી નાહ્યો નથી! ખાય છે ગંદી વસ્તુઓ, સ્વસ્થ જોઈને વૈજ્ઞાનિકો પણ છે આશ્ચર્યચકિત

87 વર્ષીય અમો હાજી ઈરાનના રહેવાસી છે. 67 વર્ષથી તેમણે પોતાના શરીર પર પાણીનું ટીપું પણ નથી નાખ્યું. એટલા માટે તેને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ પણ કહેવામાં આવે છે. અમો હાજી ખાવામાં પણ તાજા ખોરાકને બદલે સડેલા માંસને મહત્વ આપે છે.

આ વ્યક્તિ 67 વર્ષથી નાહ્યો નથી! ખાય છે ગંદી વસ્તુઓ, સ્વસ્થ જોઈને વૈજ્ઞાનિકો પણ છે આશ્ચર્યચકિત
Amou Haji ( PS: Internet)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 12:20 PM
Share

હાલ જબરદસ્ત ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી જ નહાવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો ઠંડીને કારણે ગરમ પાણીથી પણ નાહવાનું ટાળે છે. જો કે આવા લોકો એક-બે દિવસના અંતરાલમાં સ્નાન પણ કરે છે. ખરેખર, સ્વચ્છતા સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાની વિચિત્ર આદતોના કારણે ચર્ચામાં છે. આ વ્યક્તિએ છેલ્લા 67 વર્ષથી સ્નાન કર્યું નથી. હા, તમે તે એકદમ સાચું વાંચ્યું. 87 વર્ષીય અમો હાજી (Amou Jaji) ઈરાનના રહેવાસી છે.

આટલા વર્ષોમાં તેણે પોતાના શરીર પર પાણીનું ટીપું પણ નથી નાખ્યું. તેથી જ તેને દુનિયાનો સૌથી ગંદો માણસ પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં, અમો હાજી ખાવામાં તાજા ખોરાકને બદલે સડેલા માંસને મહત્વ આપે છે. છેવટે સડેલી વસ્તુઓ ખાઈને વ્યક્તિ આટલા લાંબા સમય સુધી સ્વસ્થ કેવી રીતે રહી શકે? સામાન્ય રીતે લોકોને સ્વચ્છતા વિના ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થાય છે, પરંતુ હાજી 87 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ છે.

અમો હાજી પર સંશોધન કરી રહેલી ટીમનું આ કહેવું છે. અમો હાજીનું સંપૂર્ણ સ્કેનિંગ કરવાની સાથે સંશોધકોએ તેની રહેણીકરણી પર પણ સંશોધન કર્યું. જે બાદ તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે 67 વર્ષથી નહાયા વગર રહેનાર આ વ્યક્તિ રસ્તા પરના ખોરાક અને ગટરના પાણીના બળ પર સંપૂર્ણ સ્વસ્થ છે.

આ વ્યક્તિ શા માટે સ્નાન નથી કરતી?

87 વર્ષીય અમો હાજી કહે છે કે તેણે પોતાની જીવનશૈલી બદલી નાખી છે. ખરેખર આ વ્યક્તિને લાગે છે કે જો તે સ્નાન કરશે તો તે બીમાર પડી જશે. તેથી જ તેણે એવું જીવન પસંદ કર્યું છે, જેમાં ગંદકી સિવાય બીજું કંઈ નથી. નહાવાના કારણે હાજીનો ચહેરો કાળો અને ખૂબ જ દુર્ગંધવાળો થઈ ગયો છે. તેમની આસપાસ કોઈ ઊભું પણ રહી શકતું નથી. આ જ કારણ છે કે તેઓ લોકોથી દૂર ઈરાનના રણમાં એકલા રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્યક્તિ આરામ કરવા માટે સૌથી દુર્ગંધવાળી અને ગંદી જગ્યા પણ શોધે છે

હાજી પોતાના વાળ કાપવાને બદલે તેને બાળીને પોતે જ ટૂંકા કરે છે. આ સિવાય શિયાળામાં ઠંડીથી બચવા માટે તેણે પોતાની સાથે હેલ્મેટ પણ રાખ્યું છે. જેનો એક સમયે યુદ્ધ દરમિયાન ઉપયોગ થતો હતો. તેના શરીર પર વર્ષોથી એક જ કપડું છે. તેઓ એક પછી એક નવા મળેલા કપડા પહેરતા જાય છે. જોકે, હાજી યુવાનીમાં આવો ન હતો. ત્યારે તેઓ સ્વચ્છ રહેતા હતા.

આ પણ વાંચો  : Pariksha Pe Charcha 2022: PM મોદી સાથે પરીક્ષા પર ચર્ચા કરવા માટે રજીસ્ટ્ર્રેશનની તારીખ લંબાવાઈ, આ રીતે કરો એપ્લાય

આ પણ વાંચો : ચીની સેનાએ ભારતીય કિશોરને કર્યો કિડનેપ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું ‘દરેક સ્તર પર કેન્દ્રનું ધ્યાન, જરૂરીયાત મુજબ થશે કાર્યવાહી’

Follow Us
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
g clip-path="url(#clip0_868_265)">