Uttrakhand: આ તારીખથી શ્રદ્ધાળુઓ કરી શકશે હેમકુંડ સાહિબની યાત્રા, 7 પર્વતોથી ઘેરાયેલું છે આ ધાર્મિક સ્થળ

Uttrakhand આ વર્ષે 10 મેથી ભક્તો હેમકુંડ સાહિબ (Hemkund Sahib)ના દર્શન કરી શકશે. શીખ ધર્મનું આ પવિત્ર સ્થળ ચમોલી જિલ્લામાં આવેલું છે. આ સ્થાન લગભગ 15 હજાર ફીટની ઉંચાઈએ છે અને સાત મોટા પર્વતોથી ઘેરાયેલું છે.

Uttrakhand: આ તારીખથી શ્રદ્ધાળુઓ કરી શકશે હેમકુંડ સાહિબની યાત્રા, 7 પર્વતોથી ઘેરાયેલું છે આ ધાર્મિક સ્થળ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 20, 2021 | 5:35 PM

Uttrakhand આ વર્ષે 10 મેથી ભક્તો હેમકુંડ સાહિબ (Hemkund Sahib)ના દર્શન કરી શકશે. શીખ ધર્મનું આ પવિત્ર સ્થળ ચમોલી જિલ્લામાં આવેલું છે. આ સ્થાન લગભગ 15 હજાર ફીટની ઉંચાઈએ છે અને સાત મોટા પર્વતોથી ઘેરાયેલું છે. અહીંનું વાતાવરણ ખૂબ ઠંડું છે. અહીં સમયે સમયે હિમવર્ષા થાય છે. તેથી, આ તીર્થસ્થાન એક વર્ષમાં લગભગ આઠ મહિના ભક્તો માટે બંધ રહે છે.

હેમકુંડ સાહિબ પાસે એક મોટુ તળાવ પણ છે. એવું માનવામાં આવે છે કે હેમકુંડ સાહિબમાં દસમાં શીખ ગુરુ, ગુરુ ગોવિંદસિંહે લગભગ 20 વર્ષ તપસ્યા કરી હતી. જ્યાં ગુરુજીએ ધ્યાન કર્યું ત્યાં આ ગુરુદ્વારા આવેલું છે. ગુરુદ્વારાની સાથે અહીં એક પવિત્ર તળાવ પણ છે, જેને હેમ સરોવર કહેવામાં આવે છે. ગુરુદ્વારામાં માથું નમાવતા પહેલાં શીખ ભક્તો પણ આ પવિત્ર તળાવમાં સ્નાન કરે છે. નજીકમાં ભગવાન લક્ષ્મણનું મંદિર પણ છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં ગુરુગોબિંદસિંહે પૂજા પણ કરી હતી. ગુરુ ગોવિંદસિંહજી અહીં આવ્યા તે પહેલાં જ આ સ્થાનનું ધાર્મિક મહત્વ હતું. આ સ્થળને પહેલાં લોકપાલ કહેવામાં આવતું હતું. હેમકુંડ સાહેબમાં સપ્તારીશી શિખરો પણ છે. અહીં ખાલસા પંથનું પ્રતિક નિશાન સાહિબ ધ્વજ લાગેલું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ છે મંદિરને લગતી માન્યતા: એવું માનવામાં આવે છે કે શ્રી રામના ભાઈ લક્ષ્મણનો અગાઉનો અવતાર શેષનાગ હતો. શેષનાગ લોકપાલ તળાવમાં તપ કરતાં હતા અને ભગવાન વિષ્ણુ તેની પીઠ પર વિશ્રામ કરતા હતા.

યાત્રા માટેનો યોગ્ય સમય: હેમકુંડ સાહેબ દર વર્ષે જૂનમાં ખોલવામાં આવે છે, પરંતુ આ વર્ષે યાત્રા 10 મેથી શરૂ થશે. હેમકુંદ સાહેબ સામાન્ય રીતે ઓક્ટોબર સુધી ભક્તો માટે ખુલ્લુ હોય છે. આ સમય દરમિયાન અહીં મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન -4 ડિગ્રી છે. ઓગસ્ટ પછી અહીં પણ વરસાદ શરૂ થાય છે. હેમકુંડ સાહેબ દિલ્હીથી લગભગ 515 કિ.મી. જોશીમઠથી ગોવિંદ ઘાટનું અંતર લગભગ 47 કિ.મી છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">