AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અહીં કરવામાં આવે છે શ્વાનની પૂજા, જાણો શું છે તેની પાછળનો ઈતિહાસ

કુકુરદેવના દર્શન કરનારને ક્યારેય કૂતરું કરડતું નથી.આ મંદિર એક વિશ્વાસુ કૂતરાની યાદમાં બાંધવામાં આવ્યું હતું. જાણો આ પાછળની પૌરાણિક કથા

અહીં કરવામાં આવે છે શ્વાનની પૂજા, જાણો શું છે તેની પાછળનો ઈતિહાસ
KUKUR DEV (File image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 11:09 AM
Share

ભારતમાં ઘણા મંદિરો સ્થાપિત છે. જે તેની વિશેષતા માટે જાણીતા છે. ભારત (INDIA)ને આસ્થાનો દેશ માનવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર (Temple) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં કોઈ ભગવાનની નહીં, પરંતુ કૂતરાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

એટલું જ નહીં મંદિરમાં કૂતરાની પૂજા પણ કરવામાં આવે છે અને આ જગ્યાને કુકુરદેશ તરીકે ઓળખાય છે. મંદિરની માન્યતા વિશે જાણીને તમને નવાઈ લાગશે. તમને જણાવી દઈએ કે તે છત્તીસગઢના રાયપુરથી લગભગ 132 કિલોમીટર દૂર દુર્ગ જિલ્લાના ખાપરી ગામમાં આવેલું છે. આ મંદિરના ગર્ભગૃહમાં કૂતરાની પ્રતિમા સ્થાપિત છે.

અહીં કુતરાના મંદિર ઉપરાંત એક શિવલિંગ પણ છે. શ્રાવણ મહિનામાં આ મંદિરની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. શિવની સાથે લોકો કુકુરદેવની પણ એવી જ રીતે પૂજા કરે છે જે રીતે શિવ મંદિરોમાં નંદીની પૂજા કરવામાં આવે છે. તે 200 મીટરની ત્રિજ્યામાં ફેલાયેલો આ મંદિરના પ્રવેશદ્વાર પર બે કૂતરાઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

video courtesy-Girlee Corner

એવું માનવામાં આવે છે કે કુકુરદેવના દર્શન કરનારને ક્યારેય કૂતરું કરડતું નથી.આ મંદિર એક વિશ્વાસુ કૂતરાની યાદમાં બાંધવામાં આવ્યું હતું.પૌરાણિક કથાઓ અનુસાર એવું કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા ગામમાં એક બંજારા આવ્યો હતો. આ પછી ગામમાં દુકાળ પડ્યો. તેણે બંજરેના એક શાહુકાર પાસેથી પૈસા લીધા હતા. જ્યારે તેણે પૈસા ન ચૂકવ્યા ત્યારે શાહુકારે તેનો કૂતરો છીનવી લીધો.

પરંતુ થોડા દિવસો પછી શાહુકારના ઘરમાં ચોરી થઈ. ચોરોએ બધા પૈસા દાટી દીધા. સવારે કૂતરો શાહુકારને લઈને તે જગ્યાએ ગયો. જ્યારે શાહુકારે કૂતરાએ જણાવેલ જગ્યાએ ખાડો ખોદ્યો ત્યારે તેને તેનો બધો સામાન મળી ગયો. આ વાતથી શાહુકારે કુતરાને તેના માલિક પાસે જવા માટે છોડી મુક્યો, સાથે ગળામાં એક કાગળની ચીઠ્ઠી પણ મુકી જેમા સમગ્ર ઘટના ક્રમ વર્ણવામાં આવ્યો હતો, કુતરો આઝાદ થતા સીધો માલિક પાસે ગયો.

પરંતુ કુતરાને જોઈ માલિકને ગુસ્સો આવ્યો કારણ કે તેને શાહુકાર પાસે હોવુ જોઈએ અને તે ત્યાંથી ભાગી નીકળ્યો, આમ સમજી માલિકે કુતરાને ખુબ માર્યો અને કુતરો મરી ગયો પછી તેમણે તેના ગળાની ચીઠ્ઠી વાંચી ત્યારે ખુબ પસ્તાવો થયો થયો, બાદમાં માલિકે કુતરાની યાદમાં તે મંદિરમાં તેની સમાધી બંધાવી અને પછીથી ત્યાં મંદિર પણ બન્યુ.

આ પણ વાંચો :બે કૂતરાઓની લડાઈમાં ત્રીજાએ બાજીમારી, વીડિયો જોઈને લોકોએ કહ્યું ‘આને કહેવાય તકનો ફાયદો ઉઠાવવો’

આ પણ વાંચો :Health : શાકભાજીના રાજા મનાતા રીંગણમાં છે વજન ઓછું કરવાથી લઈને એનીમિયાને રોકવાની તાકાત

રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">