AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દર્શનનો ‘ત્રિવેણી’ સંગમ ! બીજે ક્યાંય નહીં થાય મા આશાપુરીની આવી ‘ત્રિમૂર્તિ’ના દર્શન !

નવસારી શહેરમાં દેવી આશાપુરીનું સુંદર મંદિર વિદ્યમાન છે. પણ, આ સ્થાનકની સૌથી મોટી વિશેષતા તો છે અહીં સર્જાયેલો દર્શનનો ‘ત્રિવેણી’ સંગમ ! અહીં એક જ શિલ્પમાં કંડારાયા છે ત્રણ રૂપ !

દર્શનનો ‘ત્રિવેણી’ સંગમ ! બીજે ક્યાંય નહીં થાય મા આશાપુરીની આવી ‘ત્રિમૂર્તિ'ના દર્શન !
આશા પૂર્ણ કરતા મા આશાપુરીનું દુર્લભ સ્વરૂપ
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 03, 2021 | 4:14 PM
Share

ભગવતી જગદંબા (JAGDAMBA) ભક્તોના વિવિધ કાર્યોને સિદ્ધ કરે છે. અને એ જ સિદ્ધિ અનુસાર નામ ધારણ કરી વિધ-વિધ નામે પૂજાય છે. આદ્યશક્તિનું એક આવું જ રૂપ, એટલે તેમનું ‘આશાપુરી’ સ્વરૂપ. મા શક્તિનું આ એ સ્વરૂપ છે કે જે સર્વની આશાઓને પરિપૂર્ણ કરે છે. ગુજરાતના નવસારી શહેરમાં દુધિયા તળાવની સમીપે દેવી આશાપુરીનું સુંદર મંદિર વિદ્યમાન છે. પણ, આ સ્થાનકની સૌથી મોટી વિશેષતા તો છે અહીં સર્જાયેલો દર્શનનો ‘ત્રિવેણી’ સંગમ !

લગભગ 400 વર્ષ પ્રાચીન આ સ્થાનકમાં મા આશાપુરીના અત્યંત દિવ્ય રૂપના દર્શન થઈ રહ્યા છે. તો, અહીં માતાની એક તરફ ગણેશજી અને બીજી તરફ ઋષિ માર્કેંડય પણ બિરાજમાન થયા છે. ઉલ્લેખનિય છે કે એ ઋષિ માર્કંડેય જ હતા કે જેમણે આદિશક્તિનો મહિમા ગાઈને તેમની કૃપાને પ્રાપ્ત કરી હતી. આમ તો ઘણાં મંદિરોમાં આ રીતે એક કરતાં વધુ પ્રતિમાઓના દર્શન થતાં હોય છે. પણ આ ‘ત્રિમૂર્તિ’નું રહસ્ય સૌ કોઈને દંગ કરી દેનારું છે.

મા આશાપુરીના સ્થાનકમાં દર્શન દેતી આ ‘ત્રિમૂર્તિ’ વાસ્તવમાં તો એક જ મૂર્તિનો ભાગ છે ! એટલે કે એક જ શિલ્પમાં કંડારાયેલા છે આ ત્રણ રૂપ ! સૌથી મહત્વની વાત તો એ છે કે આ પ્રતિમાઓ સ્વયંભૂ જ મળી આવી હતી. પ્રચલિત કથા અનુસાર મલ્હારરાવ ગાયકવાડ સરકારના સમયમાં માતાએ સ્વયં તેમના સ્વપ્નમાં આવી પોતે આ સ્થાન પર હોવાનો નિર્દેશ આપ્યો હતો. માતાના નિર્દેશ અનુસાર ખોદતા અલભ્ય ત્રિમૂર્તિનું પ્રાગટ્ય થયું. માતાએ સ્વપ્ન નિર્દેશ અનુસાર જ પ્રગટ થઈ મલ્હારરાવ ગાયકવાડની આશા પૂરી કરી, અને એટલે જ દેવી આશાપુરીના નામે અહીં પૂજાયા.

અનેક જીર્ણોદ્ધાર બાદ આજે નવસારીમાં માતાનું સુંદર મંદિર શોભાયમાન છે. પણ, સૌથી રોચક વાત એ છે કે આ મૂર્તિને ક્યારેય તેના સ્થાન પરથી ખસેડવામાં નથી આવતી. કારણ કે, માતા તે માટે મંજૂરી જ નથી દેતા ! ગુજરાતમાંથી તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે જ છે. પણ, સાથે જ વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ જ્યારે નવસારી આવે, ત્યારે મા આશાપુરીના આશીર્વાદ ચોક્કસ લે છે. આ સ્થાનકને લઈને એવી લોકવાયકા છે કે અહીં આસ્થા સાથે આવનારને ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવતો. ખાસ તો મા આશાપુરી નિઃસંતાનને સંતાનની પ્રાપ્તિ કરાવનારા મનાય છે.

એક જ સ્થાન પર ભક્તો શુભકર્તા દેવ વિનાયક, દીર્ઘ આયુષ્ય અર્પતા ઋષિ માર્કંડેય અને આશાઓને પૂર્ણ કરતા મા આશાપુરીના દર્શન કરી રહ્યા છે. અને સાથે જ તેમના અહીં હાજરાહજૂર હોવાની અનુભૂતિ પણ કરી રહ્યા છે. ત્યારે સ્થાનકની આ દિવ્યતા જ તો શ્રદ્ધાળુઓને વારંવાર મા આશાપુરીના મંદિરે ખેંચી લાવે છે.

આ પણ વાંચો સુરતનું વિશાળ પારદ શિવલિંગ ! કરાવશે અપાર ઐશ્વર્યની પ્રાપ્તિ !

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">