AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શશિ થરૂરની અંગ્રેજી ડિક્શનરીઃ કેન્દ્ર સરકાર પર નિશાન સાધવા ફરી એક નવા શબ્દનો ઉપયોગ, જાણો તેનો શું છે અર્થ

આ પહેલીવાર નથી જ્યારે સાંસદ શશિ થરૂરે પોતાના શબ્દકોશમાંથી નવા અને વિચિત્ર શબ્દો કાઢ્યા હોય. અગાઉ, તેમણે ટ્વિટર પર "એલોડોક્સાફોબિયા" અને "પોગોનોટ્રોફી" જેવા અંગ્રેજી શબ્દો શેર કર્યા હતા અને તેનું અર્થઘટન કર્યું હતું.

શશિ થરૂરની અંગ્રેજી ડિક્શનરીઃ કેન્દ્ર સરકાર પર નિશાન સાધવા ફરી એક નવા શબ્દનો ઉપયોગ, જાણો તેનો શું છે અર્થ
Shashi Tharoor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 11:51 AM
Share

અંગ્રેજી ભાષાના તેમના જ્ઞાન માટે જાણીતા, કોંગ્રેસ સાંસદ શશિ થરૂર (shashi tharoor) કેટલીકવાર કેટલાક અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે જે મોટાભાગના લોકો જાણતા નથી. પછી તેઓ તેનો અર્થ પણ સમજાવે છે. આ વખતે તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધવા માટે ટ્વિટર પર એક નવો શબ્દ “એનોક્રસી” (Anocracy)નો ઉપયોગ કર્યો છે. તેમણે તેનો અર્થ ‘લોકશાહીમાં નિરંકુશતા વહન કરતી સરકાર’ એવો અર્થઘટન કર્યો.

કેરળના તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે ભારતમાં હવે એક શબ્દ એનોક્રસી શીખવાનું શરૂ કરવું જોઈએ. તેમણે ધ્યાન દોર્યું કે સરકારનું એક સ્વરૂપ જે નિરંકુશ તેમજ લોકશાહી છે, જે ચૂંટણીની મંજૂરી આપે છે પરંતુ વિરોધ પક્ષો અને અન્ય સંસ્થાઓને ઓછી સ્પર્ધાની મંજૂરી આપે છે અને ભાગ્યે જ જવાબદારી સાથે કામ કરે છે.

આ પહેલીવાર નથી જ્યારે સાંસદ થરૂરે પોતાના શબ્દકોશમાંથી આવા નવા અને વિચિત્ર શબ્દો લાવ્યા હોય. અગાઉ, તેમણે ટ્વિટર પર “એલોડોક્સાફોબિયા” અને “પોગોનોટ્રોફી” જેવા અંગ્રેજી શબ્દો શેર કર્યા હતા અને તેનું અર્થઘટન કર્યું હતું.

એલોડોક્સાફોબિયાનો અર્થ વિગતવાર સમજાવવામાં આવ્યો હતો

શશિ થરૂરે ‘એલોડોક્સાફોબિયા’ને વિચારોના અર્થહીન ભય તરીકે વ્યાખ્યાયિત કર્યું. આ શબ્દના ઉપયોગનું ઉદાહરણ આપતા કોંગ્રેસ નેતાએ લખ્યું કે ‘યુપીમાં ભાજપ સરકાર લોકો પર રાજદ્રોહ અને UAPAના કેસ લાદે છે કારણ કે તેનું નેતૃત્વ એલોડોક્સાફોબિયાથી પીડાય છે’.

આ શબ્દનો અર્થ વધુ વિગતે સમજાવતા થરૂરે કહ્યું કે ગ્રીક શબ્દ એલો(Allo)નો અર્થ અલગ અથવા ડિફરન્ટ છે, જ્યારે ડોક્સો(Doxo)નો અર્થ અભિપ્રાય અથવા સલાહ અને ફોબોસ(Phobos)નો અર્થ ભય અથવા ડર છે. આ શબ્દ પછી, ઘણા લોકોએ તેમને અંગ્રેજીના શિક્ષક કહ્યા હતા.

PM મોદી પર શાબ્દિક પ્રહાર

શશિ થરૂરે પોગોનોટ્રોફી શબ્દનો અર્થ સમજાવતા કહ્યું કે તેઓ તેમના એક મિત્ર પાસેથી એક નવો શબ્દ શીખ્યા છે, પોગોનોટ્રોફી, જેનો અર્થ થાય છે દાઢી ઉગાડવી. તેમણે આ શબ્દનો ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આડકતરી રીતે નિશાન સાધતા કર્યો હતો. તમને જણાવી દઈએ કે કોરોનાના સમયગાળા દરમિયાન પીએમ મોદીએ ઘણી દાઢી વધારી હતી.

અગાઉ ‘ફારાગો’ અને ‘ટ્રોગ્લોડાઇટ’ દ્વારા આશ્ચર્યચકિત કર્યા હતા

શશિ થરૂરે અગાઉ ભાગ્યે જ ઉપયોગમાં લેવાતા અંગ્રેજી શબ્દો જેમ કે ‘ફાર્રાગો’ (Farrago) અને ‘ટ્રોગ્લોડાઇટ’ (Troglodyte) વડે વપરાશકર્તાઓને દંગ કરી દીધા હતા. ફારાગો શબ્દનો અર્થ થાય છે ભેળસેળવાળું મિશ્રણ. એ જ રીતે ટ્રોગ્લોડાયટ એટલે એવી વ્યક્તિ કે જેને જાણીજોઈને અજ્ઞાન અથવા જૂના જમાનાની માનવામાં આવે છે.

આ પણ વાંચો: Viral: કાકા પોલીસની ગાડી રોકી સાઈરન પર કરવા લાગ્યા ડાન્સ, લોકો બોલ્યા ડર કે આગે જીત હૈ

આ પણ વાંચો: Success Story: કૃષિ ક્ષેત્રમાં આવ્યો મોબાઈલ લેબોરેટરીનો નવો કન્સેપ્ટ, કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કર્યો કમાલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">