સામાન્ય ટીવી હોય કે સ્માર્ટ ટીવી, સ્ક્રીન પર ધૂળ અને ફિંગરપ્રિન્ટ્સ હોવી તે સામાન્ય બાબત છે. જો તમે ઘરના ઉપકરણોની જેમ ટીવી સ્ક્રીન સાફ કરો છો, તો તમારું ટીવી બગડી શકે છે. ટીવીમાં લગાવેલી સ્ક્રીન એકદમ નાજુક હોય છે, જેના કારણે તેને સાફ કરતાં પહેલા કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે.
આજે અમે તમને એવી ત્રણ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સામાન્ય રીતે ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે કરતા હોય છે જેના કારણે સ્ક્રીન ખરાબ થઈ જાય છે.
LED, LCD અને OLED ડિસ્પ્લે સાથે આવતા ટીવી મોડલ્સમાં સેન્સિટિવ સ્ક્રીન હોય છે. જેના કારણે સ્ક્રીન પર નિશાન સરળતાથી દેખાઈ શકે છે. ઘણા લોકો સ્ક્રીન સાફ કરવા માટે ટુવાલનો ઉપયોગ કરે છે, પરંતુ આમ કરવાથી સ્ક્રીનને નુકસાન થાય છે. તેથી જ ટીવી સ્ક્રીનને માત્ર માઇક્રોફાઇબર કાપડથી સાફ કરવાની સલાહ આપવામાં આવે છે.
ટીવી સ્ક્રીન નાજુક હોય છે, તેથી જ્યારે પણ તમે સ્ક્રીનને સાફ કરો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે સ્ક્રીનને દબાણ કે બળ લગાવ્યા વગર સાફ કરવાની છે. સ્ક્રીનને હળવા હાથે સાફ કરો, નહીંતર સ્ક્રીનને નુકસાન થઈ શકે છે.
ઘણા લોકો એવું વિચારે છે કે કાચ પર ડાયરેક્ટ ક્લિનિંગ સોલ્યુશન લગાવીને જે રીતે સાફ કરવામાં આવે છે તેવી જ રીતે ટીવી સ્ક્રીનને પણ સાફ કરવી જોઈએ. પરંતુ એવું નથી. જો તમે ક્લિનિંગ સોલ્યુશનને સીધું જ સ્ક્રીન પર લગાવો છો તો સ્ક્રીનને નુકસાન થઈ શકે છે અને સ્ક્રીન પર કાળા નિશાન દેખાઈ શકે છે. સૌપ્રથમ ક્લિનિંગ સોલ્યુશનને માઈક્રોફાઈબર કાપડ પર સ્પ્રે કરો અને પછી સ્ક્રીનને હળવા હાથે સાફ કરો.
ઘરમાં ભેજ એ નવી વાત નથી, પરંતુ મોટાભાગના લોકોને તેની જાણ પણ હોતી નથી અને આ ભેજ ટીવી સ્ક્રીનને થોડાં સમયમાં બગાડે છે. તમે પૂછશો કે કેવી રીતે? ભીનાશને કારણે ભેજ આવે છે અને ભેજને કારણે સ્ક્રીનને નુકસાન થાય છે.
Published On - 8:05 am, Thu, 25 April 24