1 Mayથી તમારા ફોન પર અનિચ્છનીય કોલ આવવાનું થઈ જશે બંધ, સરકારે આપ્યો આ આદેશ

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ટેલિકોમ કંપનીઓને 1 મે સુધીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ સ્પામ ફિલ્ટર્સ ઈન્સ્ટોલ કરવા જણાવ્યું છે, જેથી લોકોને પરેશાન કરતા અનિચ્છનીય કોલ્સ નેટવર્ક પર જ બ્લોક થઈ જાય.

1 Mayથી તમારા ફોન પર અનિચ્છનીય કોલ આવવાનું થઈ જશે બંધ, સરકારે આપ્યો આ આદેશ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 6:10 PM

ઘણી વખત જરૂરી કામમાં હોય અને અનિચ્છનીય કોલથી સમય બગડતો હોય છે અથવા તો વારંવાર આવા કોલ આવવવાથી ઘણી સમસ્યા પણ થતી હોય છે ત્યારે હવે 1 મેથી તમારા ફોન પર અનિચ્છનીય કોલ આવવાનું બંધ થઈ જશે. લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાઈએ કડકાઈ દાખવી છે. આ અંગે કંપનીઓને કડક આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: દેશમાં પ્રથમ ‘ક્વોન્ટમ કમ્પ્યુટિંગ’ આધારિત ટેલિકોમ નેટવર્ક લિંક શરૂ, હેક કરનારને મળશે 10 લાખ રૂપિયા

કંપનીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળા સ્પામ ફિલ્ટર્સ ઈન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ટેલિકોમ કંપનીઓને 1 મે સુધીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ સ્પામ ફિલ્ટર્સ ઈન્સ્ટોલ કરવા જણાવ્યું છે, જેથી લોકોને પરેશાન કરતા અનિચ્છનીય કોલ્સ નેટવર્ક પર જ બ્લોક થઈ જાય.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સામાન્ય લોકોને આનો લાભ મળશે

TRAIની નવી માર્ગદર્શિકા અનુસાર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ સ્પામ ફિલ્ટર નેટવર્ક પર જ કૉલ્સ બંધ કરી દેશે, જેનો અર્થ છે કે આવા કૉલ સામાન્ય લોકોના ફોન નંબર સુધી નહીં પહોંચે. આનો ફાયદો એ થશે કે મીટિંગ, હોસ્પિટલ કે અગત્યના કામની વચ્ચે તમને ખલેલ પહોંચાડતા અનિચ્છનીય કોલ અથવા સ્પામ કોલ હવે આવી શકશે નહીં. તે પહેલા આ કોલ્સનું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે.

કંપનીઓ પાસે એક કોમન પ્લેટફોર્મ હશે

આ સેવા માટે કંપનીઓએ એક કોમન પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડશે. દેશમાં વિવિધ ટેલિકોમ નેટવર્કને કારણે, આ પ્લેટફોર્મ તમામ નેટવર્ક્સ પર અનિચ્છનીય અથવા સ્પામ કૉલ્સને અવરોધિત કરવામાં મદદ કરશે. કંપનીઓએ આ પ્લેટફોર્મ પર તે બ્લોક કરેલા નંબરો વિશે માહિતી આપવી પડશે, જે લોકોને સ્પામ અથવા અનિચ્છનીય કોલ કરે છે. આ કાર્યવાહી પૂર્ણ કરવા માટે કંપનીઓને 1 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. 1 મે ​​પછી આવા નંબરો પરથી આવતા કોલ્સને નેટવર્ક પર જ બ્લોક કરવાના રહેશે.

બેંક, આધાર વગેરે માટે નવા નંબર આપવામાં આવશે

ટ્રાઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે બેંક, આધાર અથવા અન્ય કોઈપણ આવશ્યક સેવા સંબંધિત સંદેશાઓ અને કૉલ્સ માટે અલગથી નંબરોની શ્રેણી ફાળવવામાં આવશે. અન્ય તમામ નંબરો બ્લોક કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે આ બધા SMS અને કૉલ્સ ફક્ત એક વિશેષ શ્રેણીના નંબરથી જ આવશે. એટલે કે આ કોલ્સ જોતા જ ખબર પડશે કે આ જરૂરી કોલ છે કે એસએમએસ.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">