હવે પબ્લિક પ્લેસ પર યુએસબી (USB) પોર્ટ દ્વારા મોબાઈલ ચાર્જ કરવો ખતરનાક બની ગયો છે. કારણ કે રેલ્વે સ્ટેશન કે એરપોર્ટ પર યુએસબી પોર્ટ દ્વારા મોબાઈલ ચાર્જ કરતા ઘણા લોકો સાયબર એટેકનો શિકાર બની રહ્યા છે. જોત જોતામાં તેમના ખાતામાંથી લાખો રૂપિયા ઉડી ગયા. અત્યાર સુધીમાં હૈદરાબાદ, દિલ્હી અને ઓડિશામાં આવા કેસ નોંધાયા છે. ત્યારે આ પ્રકારની છેતરપિંડીને ‘જ્યુસ જેકીંગ’ (Juice Jacking) નામ આપવામાં આવ્યું છે. એટલા માટે લોકોએ જ્યુસ જેકીંગથી સાવધાન રહેવાની જરૂર છે.
ખરેખર, આ એક USB ચાર્જર સ્કેમ છે જે તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે એક પ્રકારનો સાયબર હુમલો છે જે એરપોર્ટ, કાફે અને બસ સ્ટેન્ડ જેવા સાર્વજનિક સ્થળો પર સ્થાપિત યુએસબી ચાર્જિંગ પોર્ટમાંથી ઉદ્દભવે છે. જો તમારો મોબાઈલ રસ્તામાં જ ડિસ્ચાર્જ થઈ જાય, તો એરપોર્ટ, કાફે અને બસ સ્ટેન્ડ જેવા સાર્વજનિક સ્થળો પર મુકવામાં આવેલા યુએસબી પોર્ટ દ્વારા તમારા સેલ ફોનને ચાર્જ કરવું ભારે પડી શકે છે. તમે પણ જ્યુસ જેકીંગનો શિકાર બની શકો છો અને તમારા ખાતામાંથી પૈસા ઉડી જશે.
યુએસબી પોર્ટનો ઉપયોગ ઘણીવાર ડેટા ટ્રાન્સફર માટે માધ્યમ તરીકે થાય છે. મોટાભાગના ફોન પર ડેટા ટ્રાન્સફર ડિફોલ્ટ રૂપે Unable હોય છે. અને જોડાણ ફક્ત એન્ડમાં જ દેખાય છે જે પાવર પ્રોવાઈડ કરે છે. તે બેક-એન્ડ-ફોરવર્ડ ડેટા ટ્રાન્સફર સિસ્ટમ છે, જેના દ્વારા તમે એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરમાં ફોટા, વીડિયો અથવા દસ્તાવેજો ટ્રાન્સફર કરી શકો છો.
જ્યુસ જેકીંગના કિસ્સામાં, ઉપકરણ માલિક જોઈ શકતા નથી કે કયો USB પોર્ટ જોડાયેલ છે. જ્યારે ફોન પ્લગ ઇન હોય અને બીજા છેડે કોઈ વ્યક્તિ તે જ સમયે ચેક ઇન કરી રહી હોય, ત્યારે તે તમારા ઉપકરણ પર અને તેમાંથી ડેટા ટ્રાન્સફર કરી શકે છે.
જ્યારે કોઈ ઉપકરણને સાર્વજનિક USB પોર્ટમાં પ્લગ કરવામાં આવે છે, ત્યારે હેકર તમારા પ્લગ-ઇન ઉપકરણને પ્રભાવિત કરવા માટે તે પોર્ટ સાથે કનેક્ટ કરી શકે છે. આ તમારા મોબાઇલ ઉપકરણના ડેટાની ચોરી કરી શકે છે. સાયબર અપરાધીઓ પછી તમારા ઉપકરણ પર નાણાકીય માહિતી અથવા અન્ય સંવેદનશીલ વિગતો શોધવા માટે ક્રાઉલર પ્રોગ્રામનો ઉપયોગ કરી શકે છે.
સાયબર અપરાધીઓ તમારા ફોન ડેટાને ક્લોન કરવા અને તેને તમારા ઉપકરણ પર સ્થાનાંતરિત કરવા માટે માલવેર એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકે છે. આમાં GPS સ્થાન, ખરીદી, ફોટા અને કૉલ લોગનો સમાવેશ થઈ શકે છે. હેકર તમારા ઉપકરણને ફ્રિજ પણ કરી શકે છે અને તેને પુનઃસ્થાપિત કરવા માટે ખંડણી માંગી શકે છે.