Tech News: હવે ચંદ્ર અને મંગળ પરથી ધરતી પર થશે નોર્મલ કોલ! આ ભારતીય પર છે તેને શક્ય બનાવવાની જવાબદારી
યુએસ સ્પેસ એજન્સી નાસા (NASA)ચંદ્ર પર માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. નાસાએ નોકિયાને ચંદ્ર પર 4G નેટવર્ક સ્થાપિત કરવાની જવાબદારી સોંપી છે. ખાસ વાત એ છે કે આ અશક્યને શક્ય બનાવનાર જો વ્યક્તિ ભારતીય હોય તો ખુશી વધારે થાય છે.

હવે ચંદ્ર અને મંગળ પરથી પૃથ્વી (Moon and Mars)પર વાત કરવાનું શક્ય બનશે. ખાસ વાત એ છે કે આ મુશ્કેલને શક્ય બનાવનાર જો વ્યક્તિ ભારતીય હોય તો ખુશી વધારે થાય છે. હા, ટૂંક સમયમાં જ અવકાશયાત્રીઓ ચંદ્ર અને મંગળ પરથી તેમના ઘર અને સંબંધીઓ સાથે વાત કરવાનું શરૂ કરશે. એટલું જ નહીં, અવકાશયાત્રીઓ ચંદ્ર અને મંગળ પર ફોન પર ફિલ્મો અને વીડિયો પણ જોઈ શકશે. આપને જણાવી દઈએ કે યુએસ સ્પેસ એજન્સી નાસા (NASA)ચંદ્ર પર માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. નાસાએ નોકિયા(Nokia)ને ચંદ્ર પર 4G નેટવર્ક સ્થાપિત કરવાની જવાબદારી સોંપી છે.
જણાવી દઈએ કે આ કંપનીની કમાન હાલમાં એક ભારતીય નિશાંત બત્રાના હાથમાં છે. નિશાંત બત્રા દિલ્હીના એક મધ્યમ વર્ગના વેપારી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. નિશાંત નોકિયામાં ગ્લોબલ સ્ટ્રેટેજી ટેક્નોલોજી હેડ છે. નિશાંત હાલમાં ફિનલેન્ડના ઈસ્પુમાં રહે છે. આ સાથે બત્રા પાસે બેલ લેબ્સમાં ટેકનોલોજી અને સંશોધનની જવાબદારી પણ છે. આ લેબને 9 નોબેલ પ્રાઈઝ અને પાંચ ટ્યુરિંગ એવોર્ડ મળ્યા છે. નાસાએ નોકિયાને તેના ચંદ્ર મિશન માટે મોબાઈલ કનેક્ટિવિટી પૂરી પાડવાની જવાબદારી સોંપી છે.
હવે તમે ચંદ્ર અને મંગળ પરથી પૃથ્વી પર વાત કરી શકશો
નિશાંતનો જન્મ વર્ષ 1978માં થયો હતો અને તેણે INSEAD બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું હતું. નિશાંતે દેવી અહિલ્યા યુનિવર્સિટી, ઈન્દોરમાંથી કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, સધર્ન મેટોડિસ્ટ યુનિવર્સિટી, યુએસએમાંથી કમ્પ્યુટર વિજ્ઞાનમાં સ્નાતક થયા. નિશાંતને ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનો લાંબો અનુભવ છે.
નિશાંત બત્રાનું ભારત સાથે શું જોડાણ છે?
આપને જણાવી દઈએ કે નાસાએ વર્ષ 2020માં આ પ્રોજેક્ટ લૂર કનેક્ટિવિટીને આપ્યો હતો. વર્ષ 2024માં નાસા મનુષ્યને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી રહ્યું છે. અત્યાર સુધી માત્ર નાસાએ જ ચંદ્ર પર માનવ મિશન મોકલ્યા છે. નીલ આર્મસ્ટ્રોંગ 1969માં ચંદ્ર પર ઉતરનાર પ્રથમ માનવ હતા. નાસા તેના ચંદ્ર મિશન માટે નોકિયાના નેટવર્કનો ઉપયોગ કરવા માંગે છે.
ચંદ્ર પર 4G નેટવર્ક કેવી રીતે સ્થાપિત થશે?
બત્રાના કહેવા પ્રમાણે, ‘ચંદ્ર પર 4G નેટવર્ક સ્થાપિત થયા બાદ પૃથ્વી પર કોલ કરી શકાશે. વળી, ત્યાં ઈન્ટરનેટ સ્થાપિત કર્યા પછી મોબાઈલ. લેપટોપ પર મૂવી, વીડિયો અને ગીતો પણ સાંભળી શકાય છે. આપને જણાવી દઈએ કે નિશાંતની ટીમ 6જી ટેક્નોલોજીમાં પણ રિસર્ચ કરી રહી છે.
નિશાંતે વધુમાં કહ્યું કે ‘અમે ચંદ્ર પર કોમ્યુનિકેશન માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. ભારતના આઇટી એન્જિનિયરો વિશ્વની શ્રેષ્ઠ પ્રતિભાઓમાંના એક છે. આ લોકો ભવિષ્યમાં ટેક્નોલોજીના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. ખૂબ જ ટૂંક સમયમાં નોકિયા આવી ભારતીય પ્રતિભાને સામેલ કરશે.’
આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર: કૃષિ મંત્રાલય લાવી રહ્યું છે નવી યોજના, 2500 કરોડ ખર્ચ કરશે સરકાર