MP સરકારનો દાવો : ભોપાલ 5G સેવા શરૂ કરનાર ભારતનું પ્રથમ શહેર હશે

ભારત સરકાર દ્વારા દેશને વિકાસના પંથે સતત આગળ ધપાવવા માટે અનેક વિકાસના કર્યો ચાલુ છે. માધ્ય પ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ, ભોપાલ એ દેશનું સૌપ્રથમ 5G નેટવર્ક ટેક્નોલોજીથી સજ્જ શહેર બનશે.

MP સરકારનો દાવો : ભોપાલ 5G સેવા શરૂ કરનાર ભારતનું પ્રથમ શહેર હશે
Bhopal City File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 8:49 PM

મધ્યપ્રદેશનું (Madhya Pradesh) પાટનગર ભોપાલ (Bhopal) એ ભારતનું પ્રથમ 5G સક્ષમ સ્માર્ટ (5G Smart City) સિટી હશે. મધ્યપ્રદેશ સરકારે હાલમાં જ ટ્વિટર પર એક પોસ્ટ શેયર કરીને આ જાહેરાત કરી છે. ભોપાલના રહેવાસીઓ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં ભારતમાં 5G (5G ઈન્ડિયા) લાવવાની તૈયારીઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જેના માટે દેશમાં અલગ-અલગ જગ્યાએ તેનું ટ્રાયલ પણ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર 5Gને વહેલી તકે લાગુ કરવા માટે નવી યોજનાઓ પર કામ કરી રહી છે.

તાજેતરમાં MP MyGov ટ્વિટર એકાઉન્ટે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ભોપાલ નાગરિકો માટે 5G સેવાઓ શરૂ કરનાર ભારતમાં પ્રથમ શહેર તરીકે ઉભરી આવશે. એટલે કે, ભોપાલ ભારતનું પ્રથમ 5G સક્ષમ સ્માર્ટ સિટી હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ સરકારે હાલમાં જ આ જાહેરાત કરી છે. ભારતના સૌથી મોટા રાજ્યોમાંના એકનું પાટનગર ભોપાલ આગામી ચાર મહિનામાં પસંદગીના વિસ્તારોમાં 5G ઇન્ટરનેટ સેવાઓનું સંચાલન કરશે, જે નાગરિકોને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ જાહેરાત સાથે, ભોપાલ મુંબઈ, નવી દિલ્હી, લખનૌ અને બેંગલુરુ જેવા ભારતીય શહેરોની યાદીમાં જોડાય છે, કે જ્યાં દૂરસંચાર વિભાગ હેઠળ 5G સેવાઓ ઉપલબ્ધ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાયલોટ પ્રોજેક્ટ, જે આગામી ચાર મહિનામાં શરૂ થશે. તેમાં કેન્દ્ર સરકાર અને ભારતીય ટેલિકોમ કંપની વચ્ચે 5G ટ્રાયલ હાથ ધરવા માટે ભાગીદારી સામેલ હશે. જો કે, આ પ્રોજેક્ટ માટે કઈ કંપની પસંદ કરવામાં આવશે તે અંગેની માહિતી હાલ જાહેર કરવામાં આવી નથી.

ભારતના આ શહેરોમાં 5જી સેવા શરૂ થશે

ગત મહિને ફેબ્રુઆરીમાં ‘બજેટ 2022’ સત્ર દરમિયાન, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ભારતમાં 5G સેવાઓની વ્યાવસાયિક ગતિવિધિઓ  2022ના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. સ્પેક્ટ્રમની હરાજી વર્ષના મધ્યમાં થાય તેવી શક્યતા છે. અમે તમને જણાવી દઈએ કે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે પુષ્ટિ કરી છે કે પસંદગીના શહેરોમાં 5G ટ્રાયલ સાઇટ્સ પહેલેથી જ ઇન્સ્ટોલ થઈ ગઈ છે. જેમાં ગુરુગ્રામ, બેંગ્લોર, કોલકાતા, મુંબઈ, ચંદીગઢ, દિલ્હી, જામનગર, અમદાવાદ, ચેન્નાઈ, હૈદરાબાદ, લખનૌ, પુણે અને ગાંધીનગર જેવા ભારતના મુખ્ય શહેરોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભોપાલ આ સૂચિનો ભાગ ન હતું, પરંતુ મધ્યપ્રદેશ સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે કે, તે 5G સેવાઓ ધરાવતું ભારતનું પ્રથમ શહેર હશે. ભારતની મુખ્ય ટેલિકોમ કંપનીઓ, જેમાં એરટેલ, જિયો અને Vi ઈન્ડિયાએ હજુ સુધી ભોપાલમાં 5G ટ્રાયલ સાઇટ્સ વિશે કોઈ વિગતોની પુષ્ટિ કરી નથી.

આ દરમિયાન, આ ત્રણેય મુખ્ય ટેલિકોમ કંપનીઓ અન્ય મોટા શહેરોમાં ટ્રાયલ ચલાવી રહી છે. એરટેલે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, સ્પેક્ટ્રમની હરાજી થતાંની સાથે જ ભારતમાં એરટેલ 5G નેટવર્ક લોન્ચ કરવા માટે તૈયાર છે. તેવી જ રીતે Jio અને Vi પણ 5જી નેટવર્ક ઇન્સ્ટોલ તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો – World Backup Day 2022: તમે આ 4 પ્લેટફોર્મ પર તમારા કન્ટેન્ટને મફતમાં સાચવી શકો છો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">