AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishno Devi Fake Website Fraud: માતા વૈષ્ણોદેવી જવા માટે ઓનલાઈન ટિકિટ ખરીદતા પહેલા રાખો સાવચેતી, તમારી સાથે થઈ શકે છેતરપિંડી

આજથી નવરાત્રી શરૂ થઈ છે, ત્યારે આ સમય દરમિયાન માતાના દર્શન માટે ભક્તોનો ધસારો રહે છે, તેનો ફાયદો છેતરપિડી (Cyber Crime) કરનારા લોકો ઉઠાવી રહ્યા છે. માતા વૈષ્ણોદેવીની ફેક વેબસાઇટ (Mata Vaishno Devi Fake Website Fraud) દ્વારા હેલિકોપ્ટર બુકિંગ સહિતની જુદી-જુદી સર્વિસના નામે શ્રદ્ધાળુ પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. ફ્રોડ કેસ સામે આવ્યા બાદ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે આ બાબતે લોકોને જાગૃત રહેવા માટે અપીલ કરી છે.

Vaishno Devi Fake Website Fraud: માતા વૈષ્ણોદેવી જવા માટે ઓનલાઈન ટિકિટ ખરીદતા પહેલા રાખો સાવચેતી, તમારી સાથે થઈ શકે છેતરપિંડી
Ticket Booking Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 1:03 PM
Share

દર વર્ષે લાખો ભક્તો કટરા સ્થિત માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે જાય છે. આજથી નવરાત્રી શરૂ થઈ છે, ત્યારે આ સમય દરમિયાન માતાના દર્શન માટે ભક્તોનો ધસારો રહે છે, તેનો ફાયદો છેતરપિડી (Cyber Crime) કરનારા લોકો ઉઠાવી રહ્યા છે. માતા વૈષ્ણોદેવીની ફેક વેબસાઇટ (Mata Vaishno Devi Fake Website Fraud) દ્વારા હેલિકોપ્ટર બુકિંગ સહિતની જુદી-જુદી સર્વિસના નામે શ્રદ્ધાળુ પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. ફ્રોડ કેસ સામે આવ્યા બાદ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે આ બાબતે લોકોને જાગૃત રહેવા માટે અપીલ કરી છે.

ફેક વેબસાઈટ દ્વારા નકલી ટિકિટ બુકિંગ

ઘણા ભક્તો સાથે છેતરપિંડી થયા બાદ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે ફેક વેબસાઈટને બ્લોક કરવા માટે જરૂરી પગલા લીધા છે. બોર્ડના સીઈઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ફેક વેબસાઈટ દ્વારા નકલી ટિકિટ બુકિંગ થઈ રહ્યુ છે., તેથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. તેમણે એમ પણ કહ્યું કે, શ્રાઈન બોર્ડ દ્વારા આપવામાં આવતી તમામ ઓનલાઈન સર્વિસ માત્ર શ્રાઈન બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ maavaishnodevi.org અથવા એપ પર ઉપલબ્ધ છે.

ફેક વેબસાઈટ દ્વારા હેલિકોપ્ટર ટિકિટનું વેચાણ

બોર્ડને ભક્તો તરફથી એવી ઘણી ફરિયાદો મળી છે કે, તેઓને ફેક વેબસાઈટ દ્વારા હેલિકોપ્ટર દ્વારા દર્શન માટેની નકલી ટિકિટ આપવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે ફેક વેબસાઈટ દ્વારા હેલિકોપ્ટર ટિકિટનું વેચાણ કરીને લોકોને છેતરવાના આરોપમાં લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Cyber Crime: એક ફોન દ્વારા ખાલી થઈ શકે છે તમારૂ બેંક એકાઉન્ટ! બચવા આ ટિપ્સ કરો ફોલો

શ્રાઈન બોર્ડની ઓફિશિયલ વેબસાઈટનો ઉપયોગ કરવાની સલાહ

વરિષ્ઠ પોલીસ અધિક્ષક શૈલેન્દ્ર સિંહે શ્રદ્ધાળુઓને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની ઓફિશિયલ વેબસાઈટનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ પહેલા પણ માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે હેલિકોપ્ટરની ટિકિટ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. દેશમા અનેક તીર્થ સ્થાનો આવેલા છે, તો જ્યારે પણ આ પ્રકારે બુકિંગ કે કોઈ સર્વિસ લેવાની થાય તો માત્ર સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરવો જોઈએ.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
g clip-path="url(#clip0_868_265)">