AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: સરકારે મોબાઈલ અને સ્માર્ટવોચના ફરજિયાત ટેસ્ટિંગમાં છૂટ આપી, જાણો શું થશે ફાયદો

આ નવા નિયમના અમલને કારણે સ્માર્ટફોન (Smartphone) અને સ્માર્ટવોચના લોન્ચિંગમાં વિલંબ થવાની સંભાવના હતી. આ કારણે કેન્દ્ર સરકારે ફોન અને ઘડિયાળને ફરજિયાત પરીક્ષણમાંથી મુક્તિ આપી છે.

Tech News: સરકારે મોબાઈલ અને સ્માર્ટવોચના ફરજિયાત ટેસ્ટિંગમાં છૂટ આપી, જાણો શું થશે ફાયદો
Smartphone Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 2:46 PM
Share

ટેલિકોમ વિભાગ (Department of Telecommunications)2017માં દૂરસંચારમાં વપરાતા ઈલેક્ટ્રોનિક સાધનોના ફરજિયાત પરીક્ષણ માટે MTCTE નિયમ લાગુ કર્યો હતો. બીજી તરફ, ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (Compulsory Registration)ઓર્ડર, 2012 હેઠળ લેપટોપ, વાયરલેસ કીબોર્ડ, POS મશીન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની નોંધણી ફરજિયાત બનાવે છે. DoTના નિયમથી કંપનીઓ બેવડા પાલનનો સામનો કરી રહી હતી. આ નવા નિયમના અમલને કારણે સ્માર્ટફોન અને સ્માર્ટવોચના લોન્ચિંગમાં વિલંબ થવાની સંભાવના હતી. આ કારણે કેન્દ્ર સરકારે ફોન અને ઘડિયાળને ફરજિયાત પરીક્ષણમાંથી મુક્તિ આપી છે.

સરકારનું કહેવું છે કે બિઝનેસ કરવાની સરળતાને ધ્યાનમાં રાખીને DoT એ અમુક ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન, સ્માર્ટવોચ અને POS મશીનને ફરજિયાત પરીક્ષણમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી કંપનીઓ પર અનુપાલનનું દબાણ ઘટશે અને બિઝનેસ કરવામાં સરળતા રહેશે.

શું ફાયદો થશે

આ રેગ્યુલેટરી ઓવરલેપિંગને સમાપ્ત કરવા માટે ઉદ્યોગ અને સંગઠનો દ્વારા લાંબા સમયથી માગ કરવામાં આવી હતી. હવે મંત્રાલય સાથે પરામર્શ કર્યા પછી, ટેલિકોમ્યુનિકેશન વિભાગે MTCTEમાંથી મોબાઈલ યુઝર ઈક્વિપમેન્ટ/ મોબાઈલ ફોન, સર્વર, સ્માર્ટવોચ, સ્માર્ટ કેમેરા, POS મશીનોને બાકાત રાખવાનો નિર્ણય લીધો છે. તેનાથી ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે બિઝનેસ કરવાનું સરળ બનશે. કંપનીઓ તેમના ઉત્પાદનો સમયસર અને સરળતાથી બજારમાં લાવી શકશે.

MTECTE યોજના શું હતી

અહેવાલ મુજબ, તાજેતરમાં સરકારે દેશમાં વેચાતા તમામ 5G ઉપકરણોનું સ્થાનિક પરીક્ષણ અને પ્રમાણપત્ર હાથ ધરવાની જાહેરાત કરી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગની વિંગ ટેલિકોમ એન્જિનિયરિંગ સેન્ટર (TEC)ની આંતરિક બેઠકમાં 5G ઉપકરણોના ટેલિકોમ સાધનોનું ઓનલાઈન પરીક્ષણ અને પ્રમાણપત્ર (MTCTE) હાથ ધરવાનું આયોજન કરી રહી છે.

આ યોજના હેઠળ, 5G સક્ષમ સ્માર્ટફોન, સ્માર્ટ ઘડિયાળો, પહેરી શકાય તેવા સ્માર્ટ કેમેરા પરીક્ષણ અને પ્રમાણપત્ર પછી વેચવામાં આવશે. તમામ 5G ઉપકરણોના પરીક્ષણ અને પ્રમાણપત્ર માટેની યોજના જાન્યુઆરી 1, 2023 થી શરૂ થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: WhatsApp પર આવી રહ્યું છે આ નવું ફીચર, યુઝર્સની ચેટિંગ પહેલા કરતા બનશે વધુ સરળ અને મજેદાર

આ પણ વાંચો: Naatu Naatu ગીત પર ડાન્સના ચક્કરમાં ગટરમાં પડ્યો યુવક, લોકોએ કહ્યું ‘ગટર જોઈ પછી નાચો-નાચો’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">