સર્વેક્ષણમા થયો ખુલાસોઃ વિશ્વસનીય ઈન્ટરનેટ કનેક્શન મેળવવું એ, આજના આ વર્ગ માટે પ્રેમ શોધવો અને પ્રેમમાં પડવા કરતા વધુ છે મહત્વપૂર્ણ

ડેલોઈટના રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ (Internet) સુવિધાથી સજ્જ મોબાઈલ ફોનના વેચાણમાં વધારો થવાથી સ્માર્ટફોન યુઝર્સની સંખ્યામાં વધારો થશે.

સર્વેક્ષણમા થયો ખુલાસોઃ વિશ્વસનીય ઈન્ટરનેટ કનેક્શન મેળવવું એ, આજના આ વર્ગ માટે પ્રેમ શોધવો અને પ્રેમમાં પડવા કરતા વધુ છે મહત્વપૂર્ણ
Symbolic Image (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 12:24 PM

ભારતમાં 2026 સુધીમાં એક અબજ સ્માર્ટફોન (Smartphones)યુઝર્સ હશે. મંગળવારે જાહેર થયેલા ડેલોઈટના રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ(Internet)સુવિધાથી સજ્જ મોબાઈલ ફોનના વેચાણમાં વધારો થવાથી સ્માર્ટફોન યુઝર્સની સંખ્યામાં વધારો થશે. ભારતમાં વર્ષ 2021 સુધીમાં 1.2 બિલિયન મોબાઈલ ફોન યુઝર્સ હતા. તેમાંથી 750 મિલિયન સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ડેલોઈટના 2022 ગ્લોબલ ટીએમટી (ટેક્નોલોજી, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ, ટેલિકોમ્યુનિકેશન્સ) અંદાજ મુજબ, “2026 સુધીમાં સ્થાનિક બજારમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા વધીને એક અબજ થવાનો અંદાજ છે.”

ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટફોનના ગ્રાહકો ઝડપથી વધી રહ્યા છે

ડેલોઈટ અનુસાર, 2021 અને 2026 ની વચ્ચે, ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટફોન ગ્રાહકોની સંખ્યા વાર્ષિક ધોરણે 6 ટકાના દરે વધશે.  શહેરી વિસ્તારોમાં, તે વાર્ષિક 2.5 ટકા વધશે. ડેલોઈટના વિશ્લેષણ મુજબ, ભારતની સ્માર્ટફોન માગ 2021માં 300 મિલિયનથી 2026માં 6 ટકા વધીને 400 મિલિયન થઈ જશે.

‘જનરેશન ઝેડ’ (Generation Z)નું યુવાધન

ડેઈલી મેલમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, કિશોર અને યુવાનો પર કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે આ વર્ગો માટે પ્રેમ શોધવા અથવા પ્રેમમાં પડવા કરતાં વિશ્વસનીય ઇન્ટરનેટ કનેક્શન મેળવવું વધુ મહત્વપૂર્ણ છે. આ સર્વે અનુસાર, 1997 અને 2012ની વચ્ચે જન્મેલી પેઢી માટે વેકેશનમાં ફરવા, મિત્રો બનાવવા અને ઘર ખરીદવા કરતાં પણ ઓનલાઈન રહેવું વધુ મહત્વનું છે. આ પેઢીને ‘જનરેશન Z’ અથવા ‘ઝૂમર્સ’ (Zoomers)પણ કહેવામાં આવે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

બ્રિટિશ મોબાઇલ નેટવર્ક ઓપરેટર EE દ્વારા 2022 માટેના પ્રાથમિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 74 % ઝૂમર માટે ‘કનેક્ટિવિટી’ અત્યંત મહત્વની છે, જ્યારે 77 % માટે કારકિર્દીની પ્રગતિ વધુ મહત્વપૂર્ણ છે. 70 % ઝૂમર્સ વેકેશન પર જવાની તકને મોટી વાત માને છે, જ્યારે 69 % કિશોર અને આ ઉંમરના યુવાનો નવા મિત્રો બનાવવાનું પસંદ કરે છે. સ્માર્ટફોન યુઝર્સમાં વધારો થવાનું આ એક મુખ્ય કારણ છે.

નિષ્ણાતો શું કહે છે

સર્વેક્ષણ જૂથમાં ફક્ત 51 % યુવાનોએ કહ્યું કે જીવનસાથી સાથે સ્થાયી થવું તેમની ટોચની પ્રાથમિકતાઓમાંનું છે, જ્યારે માત્ર 43 % લગ્ન કરવા માંગે છે અને 40 % બાળક ઈચ્છે છે. ‘જનરેશન Zની અન્ય પ્રાથમિકતાઓ 55 % માટે ઘર માટે નાણાં એકત્ર કરવાની અને 52% માટે વર્લ્ડ કપ જોવાની છે.

આ પણ વાંચો: TV9 Exclusive interview with Paresh Rawal : પરેશ રાવલે 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં કર્યું રીડેબ્યું, આ ફિલ્મને લઈને છે ઉત્સાહિત

આ પણ વાંચો: આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો, એક બતકે સાંઢના ટોળાને પરસેવો વાળી દીધો, લોકોએ કહ્યું ‘એ બતક ઝુકેગા નહીં’

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">