AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો કોઈ વ્યક્તિ પાસે બે PPF ખાતાં હોય તો ટેક્સ કપાત કેટલી મળશે? જાણો શું કહે છે આવકવેરાનો નિયમ

એક વર્ષમાં PPF ખાતામાં 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે પરંતુ જો તમારા PAN પર બીજું PPF ખાતું પણ ચાલી રહ્યું છે તો તમે બંને ખાતા પર 1.5 લાખ રૂપિયાના ટેક્સનો લાભ લઈ શકશો કે નહિ

જો કોઈ વ્યક્તિ પાસે બે PPF ખાતાં હોય તો ટેક્સ કપાત કેટલી મળશે? જાણો શું કહે છે આવકવેરાનો નિયમ
PPF Account Rules
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 6:09 PM
Share

લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) રોકાણનો સારો માર્ગ છે. જોખમ શૂન્ય છે અને કમાણી બમ્પર છે. ટેક્સ બચત માટે પણ સારી તક છે. ધારો કે તમે પહેલેથી જ તમારા PAN પર PPF સ્કીમ શરૂ કરી દીધી છે અને તમારી દીકરીના નામે બીજી સ્કીમ લો છો, પરંતુ પુત્રી સગીર હોવાને કારણે તેનું PPF પણ તમારા PAN પર ખોલ્યું છે તો આવી સ્થિતિમાં ટેક્સના નિયમ અલગ રહશે.

એક રીતે બંને PPF તમારા નામે રહશે. આવી સ્થિતિમાં તમે કર બચતનો બેવડો લાભ લઈ શકો છો? આ પ્રશ્ન ઉઠે છે. એક વર્ષમાં PPF ખાતામાં 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે પરંતુ જો તમારા PAN પર બીજું PPF ખાતું પણ ચાલી રહ્યું છે તો તમે બંને ખાતા પર 1.5 લાખ રૂપિયાના ટેક્સનો લાભ લઈ શકશો કે નહિ તે જાણવું જરૂરી છે. કલમ 80C હેઠળ પીપીએફમાં 1.5 લાખની કર મુક્તિ ઉપલબ્ધ છે. જો ખાતા ધારક ઇચ્છે તો તે વાર્ષિક બે ખાતામાં અલગ અલગ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે પણ કરમુક્તિનો બન્નેને મળશે?

બે PPF નો નિયમ પુત્રી સગીર છે તેથી તમે તેના PPF ખાતામાં 1.5 લાખ રૂપિયા પણ જમા કરાવી શકો છો. પીપીએફ વ્યાજ પર કોઈ ટેક્સ નથી તેથી આવકને ક્લબ કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી. આમાં આવકવેરાનો નિયમ છે કે દીકરીના પીપીએફ ખાતામાં 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે પરંતુ પાન એક હોવાથી કરમુક્તિનો લાભ માત્ર એક જ વ્યક્તિને મળશે. ક્યાં તો તમે અથવા તમારી પુત્રીનું PPF એકાઉન્ટ બેમાંથી એકને લાભ મળે છે. બંને પીપીએફ પર એકસાથે કર મુક્તિનો લાભ આપવામાં આવતો નથી. જો તમે ઈચ્છો છો, તો તમે બંને ખાતાઓ પર કર મુક્તિ લઈ શકો છો પરંતુ કુલ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે.

મર્યાદામાં કરમુક્તિનો લાભ મળે છે PPFના નિયમો કહે છે કે જો રોકાણકાર એક હોય તો અલગથી ખાતા પર મહત્તમ ટેક્સ છૂટ 1.5 લાખ રૂપિયા હોઈ શકે છે. આ છૂટ એક ખાતામાં અથવા બંને પર લઈ શકાય છે પરંતુ મર્યાદા 1.5 લાખ રૂપિયા હશે. અત્રે નોંધનીય છે કે કોઈ વ્યક્તિ વ્યાજ અને પીપીએફની પાકતી રકમ પર કર મુક્તિ મેળવી શકે છે. જો કોઈ વ્યક્તિ તેની પુત્રી અથવા પત્નીના નામે PPF ખાતું ખોલે છે તો તેના રોકાણની મર્યાદા 3 લાખ રૂપિયા હશે. આ રીતે તમે બંને ખાતાઓ પર પ્રાપ્ત વ્યાજ અને પાકતી મુદતની રકમ પર ટેક્સ બચાવી શકશો.

પાકતી મુદતના નાણાં ઉપર લાભ મળે છે જ્યારે એક વ્યક્તિના નામે બે PPF ખાતા ચલાવવામાં આવે છે, તો તે જ વ્યક્તિના ખાતામાં ‘આવકનો સ્ત્રોત’ નોંધાય છે. હવે પીપીએફ વ્યાજ પર કોઈ ટેક્સ ન હોવાથી, પુત્રીનું પીપીએફ ખાતું પિતાની ચોખ્ખી આવક સાથે જોડવામાં આવશે નહીં. તેવી જ રીતે પિતાની પીપીએફ પરિપક્વતા પર કર લાભો ઉપલબ્ધ થશે, તેમજ પુત્રીના નામે પીપીએફ ખાતાની પરિપક્વતા પર વધારાના કર લાભો ઉપલબ્ધ થશે. પરંતુ જ્યારે બંને ખાતામાં જમા નાણાં પર કર મુક્તિની વાત આવે છે, તો આ સુવિધા માત્ર 1.5 લાખ રૂપિયામાં ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો :  TATA-BIRLA-AMBANI અને ADANI પૈકી કોણે બનાવ્યા રોકાણકારોને સૌથી વધુ માલામાલ, વાંચો રસપ્રદ માહિતી અહેવાલમાં

આ પણ વાંચો :  1 ઓક્ટોબરથી બદલાઈ રહયા છે આ 5 નિયમ, પેમેન્ટ અને ચેકબુકથી લઈ પગાર સુધી પડશે અસર

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">