AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો કોઈ વ્યક્તિ પાસે બે PPF ખાતાં હોય તો ટેક્સ કપાત કેટલી મળશે? જાણો શું કહે છે આવકવેરાનો નિયમ

એક વર્ષમાં PPF ખાતામાં 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે પરંતુ જો તમારા PAN પર બીજું PPF ખાતું પણ ચાલી રહ્યું છે તો તમે બંને ખાતા પર 1.5 લાખ રૂપિયાના ટેક્સનો લાભ લઈ શકશો કે નહિ

જો કોઈ વ્યક્તિ પાસે બે PPF ખાતાં હોય તો ટેક્સ કપાત કેટલી મળશે? જાણો શું કહે છે આવકવેરાનો નિયમ
PPF Account Rules
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 6:09 PM
Share

લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) રોકાણનો સારો માર્ગ છે. જોખમ શૂન્ય છે અને કમાણી બમ્પર છે. ટેક્સ બચત માટે પણ સારી તક છે. ધારો કે તમે પહેલેથી જ તમારા PAN પર PPF સ્કીમ શરૂ કરી દીધી છે અને તમારી દીકરીના નામે બીજી સ્કીમ લો છો, પરંતુ પુત્રી સગીર હોવાને કારણે તેનું PPF પણ તમારા PAN પર ખોલ્યું છે તો આવી સ્થિતિમાં ટેક્સના નિયમ અલગ રહશે.

એક રીતે બંને PPF તમારા નામે રહશે. આવી સ્થિતિમાં તમે કર બચતનો બેવડો લાભ લઈ શકો છો? આ પ્રશ્ન ઉઠે છે. એક વર્ષમાં PPF ખાતામાં 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે પરંતુ જો તમારા PAN પર બીજું PPF ખાતું પણ ચાલી રહ્યું છે તો તમે બંને ખાતા પર 1.5 લાખ રૂપિયાના ટેક્સનો લાભ લઈ શકશો કે નહિ તે જાણવું જરૂરી છે. કલમ 80C હેઠળ પીપીએફમાં 1.5 લાખની કર મુક્તિ ઉપલબ્ધ છે. જો ખાતા ધારક ઇચ્છે તો તે વાર્ષિક બે ખાતામાં અલગ અલગ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે પણ કરમુક્તિનો બન્નેને મળશે?

બે PPF નો નિયમ પુત્રી સગીર છે તેથી તમે તેના PPF ખાતામાં 1.5 લાખ રૂપિયા પણ જમા કરાવી શકો છો. પીપીએફ વ્યાજ પર કોઈ ટેક્સ નથી તેથી આવકને ક્લબ કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી. આમાં આવકવેરાનો નિયમ છે કે દીકરીના પીપીએફ ખાતામાં 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે પરંતુ પાન એક હોવાથી કરમુક્તિનો લાભ માત્ર એક જ વ્યક્તિને મળશે. ક્યાં તો તમે અથવા તમારી પુત્રીનું PPF એકાઉન્ટ બેમાંથી એકને લાભ મળે છે. બંને પીપીએફ પર એકસાથે કર મુક્તિનો લાભ આપવામાં આવતો નથી. જો તમે ઈચ્છો છો, તો તમે બંને ખાતાઓ પર કર મુક્તિ લઈ શકો છો પરંતુ કુલ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે.

મર્યાદામાં કરમુક્તિનો લાભ મળે છે PPFના નિયમો કહે છે કે જો રોકાણકાર એક હોય તો અલગથી ખાતા પર મહત્તમ ટેક્સ છૂટ 1.5 લાખ રૂપિયા હોઈ શકે છે. આ છૂટ એક ખાતામાં અથવા બંને પર લઈ શકાય છે પરંતુ મર્યાદા 1.5 લાખ રૂપિયા હશે. અત્રે નોંધનીય છે કે કોઈ વ્યક્તિ વ્યાજ અને પીપીએફની પાકતી રકમ પર કર મુક્તિ મેળવી શકે છે. જો કોઈ વ્યક્તિ તેની પુત્રી અથવા પત્નીના નામે PPF ખાતું ખોલે છે તો તેના રોકાણની મર્યાદા 3 લાખ રૂપિયા હશે. આ રીતે તમે બંને ખાતાઓ પર પ્રાપ્ત વ્યાજ અને પાકતી મુદતની રકમ પર ટેક્સ બચાવી શકશો.

પાકતી મુદતના નાણાં ઉપર લાભ મળે છે જ્યારે એક વ્યક્તિના નામે બે PPF ખાતા ચલાવવામાં આવે છે, તો તે જ વ્યક્તિના ખાતામાં ‘આવકનો સ્ત્રોત’ નોંધાય છે. હવે પીપીએફ વ્યાજ પર કોઈ ટેક્સ ન હોવાથી, પુત્રીનું પીપીએફ ખાતું પિતાની ચોખ્ખી આવક સાથે જોડવામાં આવશે નહીં. તેવી જ રીતે પિતાની પીપીએફ પરિપક્વતા પર કર લાભો ઉપલબ્ધ થશે, તેમજ પુત્રીના નામે પીપીએફ ખાતાની પરિપક્વતા પર વધારાના કર લાભો ઉપલબ્ધ થશે. પરંતુ જ્યારે બંને ખાતામાં જમા નાણાં પર કર મુક્તિની વાત આવે છે, તો આ સુવિધા માત્ર 1.5 લાખ રૂપિયામાં ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો :  TATA-BIRLA-AMBANI અને ADANI પૈકી કોણે બનાવ્યા રોકાણકારોને સૌથી વધુ માલામાલ, વાંચો રસપ્રદ માહિતી અહેવાલમાં

આ પણ વાંચો :  1 ઓક્ટોબરથી બદલાઈ રહયા છે આ 5 નિયમ, પેમેન્ટ અને ચેકબુકથી લઈ પગાર સુધી પડશે અસર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">