AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TATA-BIRLA-AMBANI અને ADANI પૈકી કોણે બનાવ્યા રોકાણકારોને સૌથી વધુ માલામાલ, વાંચો રસપ્રદ માહિતી અહેવાલમાં

 સત્તાવાર વેબસાઇટ અનુસાર ટાટા ગ્રુપની 29 કંપનીઓ લિસ્ટેડ છે. જાન્યુઆરી 2021 થી અત્યાર સુધી આ કંપનીઓએ 6 લાખ કરોડની સંપત્તિ બનાવી છે જે દેશમાં કોઈ પણ ગ્રુપ દ્વારા ઉભી કરાયેલી આવકના મામલે સૌથી વધુ છે.

TATA-BIRLA-AMBANI અને ADANI પૈકી કોણે બનાવ્યા રોકાણકારોને સૌથી વધુ માલામાલ, વાંચો રસપ્રદ માહિતી અહેવાલમાં
Ratan Tata , Mukesh Ambani & Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 1:04 PM
Share

શેરબજાર હાલમાં સર્વોચ્ચ સ્તરે છે અને તેના કારણે તમામ કંપનીઓના વેલ્યુએશનમાં નોંધપાત્ર વધારો થયો છે. બજારની આ તેજીમાં રિલાયન્સ અને ટાટા ગ્રુપની કંપનીઓનો મોટો ફાળો રહ્યો છે. શેરબજારની ઝડપી વૃદ્ધિથી માત્ર કંપનીઓને જ ફાયદો થયો નથી પરંતુ તેના શેરધારકો અને રોકાણકારો પણ સમૃદ્ધ બન્યા છે.એક મીડિયા રિપોર્ટ મુજબ ટાટા ગ્રુપે તેના શેરધારકોને સૌથી વધુ રિટર્ન આપ્યું છે . રોકાણકારોને માલામાલ બનાવવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બીજા ક્રમે છે.

રેવેન્યૂની દ્રષ્ટિએ ટાટા ગ્રુપ દેશની સૌથી મોટી કંપની સત્તાવાર વેબસાઇટ અનુસાર ટાટા ગ્રુપની 29 કંપનીઓ લિસ્ટેડ છે. જાન્યુઆરી 2021 થી અત્યાર સુધી આ કંપનીઓએ 6 લાખ કરોડની સંપત્તિ બનાવી છે જે દેશમાં કોઈ પણ ગ્રુપ દ્વારા ઉભી કરાયેલી આવકના મામલે સૌથી વધુ છે.રેવેન્યૂની દ્રષ્ટિએ ટાટા ગ્રુપ દેશની સૌથી મોટી કંપની છે. ટાટા ગ્રુપે આ વર્ષે તેના શેરધારકોને 40 ટકા રિટર્ન આપ્યું છે. મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ યાદીમાં બીજા નંબરે છે. રિલાયન્સ ગ્રુપની 9 કંપનીઓ લિસ્ટેડ છે અને તેણે કુલ 4 લાખ કરોડનું રિટર્ન આપ્યું છે. તેનું વળતર 28 ટકા છે. બજાજ ગ્રુપ આ યાદીમાં ત્રીજા ક્રમે અને ત્યારબાદ અનુક્રમે અદાણી ગ્રુપ, આદિત્ય બિરલા ગ્રુપ અને લાર્સન એન્ડ ટુબ્રો છે.

ટાટા ગ્રુપનો શેરહોલ્ડર બેઝ સૌથી વધુ આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ટાટા ગ્રુપનો બિઝનેસ વૈવિધ્યસભર છે. તેનો શેરહોલ્ડર બેઝ પણ સૌથી મોટો છે અને કંપનીમાં 85 લાખ શેરધારકો છે. સેન્સેક્સે આ વર્ષે અત્યાર સુધીમાં 26 ટકા રિટર્ન આપ્યું છે. ભારતના ટોપ -10 માં સાત બિઝનેસ ગ્રુપે માર્કેટ કેપના આધારે સારું પ્રદર્શન કર્યું છે. એચડીએફસી ગ્રુપે અંડર પર્ફોમન્સ કર્યું છે. હીરો મોટોકોર્પ, ઇન્ડિયાબુલ્સ અને કિશોર બિયાનીના નેતૃત્વવાળા ફ્યુચર ગ્રુપે તેમના રોકાણકારોને નેગેટિવ રિટર્ન આપ્યું છે. સેન્સેક્સે આ વર્ષે અત્યાર સુધીમાં 26 ટકા વળતર આપ્યું છે.

રોકાણકારોના વિશ્વાસ દ્રષ્ટિએ ટાટા ગ્રુપ સૌથી આગળ ટાટા ગ્રુપની સૌથી મોટી તાકાત તેની સાથે જોડાયેલ વિશ્વાસ છે. ઇક્વિટી માસ્ટર દ્વારા હાથ ધરાયેલા સર્વે અનુસાર ટાટા ગ્રુપને વિશ્વાસના મામલામાં 66 ટકા મત મળ્યા છે. આ અગાઉ 2013 માં પણ આવો જ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં તેને માત્ર 32 ટકા મત મળ્યા હતા. આ કિસ્સામાં 153 વર્ષ જુના આદિત્ય બિરલા ગ્રુપ બીજા ક્રમે આવ્યું અને તેને માત્ર 5 ટકા મતો મળ્યા. રિલાયન્સ ગ્રુપ ત્રીજા નંબરે હતું અને તેને માત્ર 4.7 ટકા મત મળ્યા હતા.

આ પણ વાંચો :  1 ઓક્ટોબરથી બદલાઈ રહયા છે આ 5 નિયમ, પેમેન્ટ અને ચેકબુકથી લઈ પગાર સુધી પડશે અસર

આ પણ વાંચો : High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને 3 મહિનામાં બનાવ્યા 15.98 લાખ, જાણો કંપની વિશે અહેવાલમાં

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">