AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: કર્મચારી WORK FROM HOME કરતાં હોય તો HRA કેવી રીતે Claim કરી શકાય? જાણો શું છે નિયમ

કર્મચારીઓના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જ્યારે તેઓ ભાડાના મકાનમાં રહેતા નથી અને તેમના ગામ/શહેરમાં તેમના માતાપિતા સાથે રહે છે ત્યારે તેમને HRA નો લાભ મળશે કે કેમ? જો HRA મળે છે તો તે કરપાત્ર બનશે?

Income Tax: કર્મચારી WORK FROM HOME કરતાં હોય તો HRA કેવી રીતે Claim કરી શકાય? જાણો શું છે નિયમ
Important News For WORK FROM HOME Employee
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 6:59 AM
Share

કોરોના મહામારીએ ‘વર્ક ફ્રોમ હોમ’ (WORK FROM HOME – WFH) ને જીવનનો મહત્વનો ભાગ બનાવી દીધો છે. હવે ઓફિસનું લગભગ તમામ કામ ઘરેથી જ કરવામાં આવી રહ્યું છે. આની મોટી અસર કર્મચારીના હાઉસ રેન્ટ એલાઉન્સ(House Rent Allowance – HRA) પર જોવા મળી રહી છે. કેટલાક કિસ્સાઓમાં કર્મચારીઓની ટેક્સની જવાબદારી વધી છે. કર્મચારીઓના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જ્યારે તેઓ ભાડાના મકાનમાં રહેતા નથી અને તેમના ગામ/શહેરમાં તેમના માતાપિતા સાથે રહે છે ત્યારે તેમને HRA નો લાભ મળશે કે કેમ? જો HRA મળે છે તો તે કરપાત્ર બનશે?

ચાલો આ એક ઉદાહરણ સાથે સમજીએ. હસમુખભાઈ અમદાવાદમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. હસમુખભાઈની કંપની તેમને HRA આપે છે પરંતુ તે તેના ગામમાં તેના માતા -પિતા સાથે રહેવા આવી છે. હાલમાં તેમણે અમદાવાદમાં ભાડાનું મકાન ખાલી કર્યું છે. હવે સવાલ એ છે કે જો હસમુખભાઈ ભાડે રહેતા નથી, તો પછી તે HRA નો ઉપયોગ કેવી રીતે કરશે અને કંપનીમાં તે કેવી રીતે બતાવશે.

આ ઉદાહરણ સાથે સમજો તેનું ફંડ ખૂબ જ સરળ છે. હસમુખભાઈ માતાપિતાને ભાડાના પૈસા આપે અને પછી તે પૈસા HRA તરીકે દાવો કરી શકે છે. આ માટે હસમુખભાઈએ તેમના માતા -પિતા સાથે ભાડાનો કરાર કરવો પડશે. આ કરાર હેઠળ દર મહિને માતા કે પિતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા પડશે. આમ કરવાથી બે ફાયદા થશે. એક, માતાપિતાને થોડી આવક મળશે. બીજું, જસમુખભાઈ રકમ HRA માં બતાવીને કર મુક્તિનો દાવો કરી શકે છે. જો કે, માતાપિતાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ITR ફાઇલ કરતી વખતે હસમુખભાઈ પાસેથી મળેલા પૈસાને આવક તરીકે દર્શાવો. જો માતાપિતાની અન્ય આવક કરની મૂળભૂત મર્યાદા કરતાં ઓછી હોય, તો તેમને ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ સાથે ઘરના પૈસા ઘરમાં જ રહેશે.

ટેક્સ બચાવવા માટે શું કરવું જોઈએ? એવું પણ બની શકે છે કે તમારી કંપની તમારા HRA Claimને સ્વીકારતી નથી અને HRA તરીકે ચૂકવેલ તમામ નાણાં પર ટેક્સ કાપી લે છે. તમને લાગશે કે આ એક મોટી ખોટ બની ગઈ છે. જે કિસ્સામાં HRA માં નાણાં બચાવવાના હતા પરંતુ અહીં તે કપીલવામાં આવ્યા છે. જો કે, આવું થાય તો પણ ચિંતા કરશો નહીં. રાહતનો બીજો રસ્તો છે. તમારે ફક્ત ITR રિટર્ન ફાઈલ કરવાનું છે અને કંપની દ્વારા કાપવામાં આવેલા વધારાના ટેક્સ પર કર મુક્તિનો દાવો કરવો. આ માટે તમારે ભાડાની રસીદ અને બેંક સ્ટેટમેન્ટ વગેરે આપવાની જરૂર પડશે એટલે કે, જો તમે માતાપિતાને ભાડું આપો છો, તો ચોક્કસપણે તેમની પાસેથી ભાડાની રસીદ લો. હંમેશા ખાતામાંથી ભાડાના પૈસા ટ્રાન્સફર કરો. જો તમે તમારા પોતાના ઘરમાં ભાડે રહો છો, તો આ માટે તમારા નામે કોઈ પણ કુરિયર અથવા પોસ્ટને પુરાવા તરીકે રજૂ કરો.

તમે કેટલો ટેક્સ બચાવી શકો છો? ધારો કે તમે એક કંપનીમાં કામ કરો છો અને ભાડા પર ફ્લેટ લીધો છે જેનું ભાડું 15,000 રૂપિયા પ્રતિ માસ છે. બેઝિક પગાર રૂ. 25,000 અને 2,000 રૂપિયાના DA સાથે મળે છે. કંપની તરફથી એક વર્ષમાં 1 લાખ રૂપિયાનો HRA પણ મળે છે. આ કિસ્સામાં કંપની દ્વારા પ્રાપ્ત HRA પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નિયમો અનુસાર જો તમે મેટ્રો શહેરમાં રહો છો તો મૂળભૂત પગારના 50 ટકા સુધી અને બિન-મેટ્રો શહેરમાં રહેતા લોકોને મૂળ પગારના 40 ટકા સુધી HRA ટેક્સ મુક્તિનો લાભ મળે છે. આ સિવાય વાર્ષિક આવકના 10 ટકા ભાડા પર ખર્ચવામાં આવે તો પણ તેનો લાભ પણ મળે છે.

આ પણ વાંચો :  અર્થવ્યવસ્થાના સુધાર માટે દરેક વ્યક્તિએ રસી લેવી જરૂરી, પડકારો પણ ઓછા નથી – નાણામંત્રીએ આપ્યુ નિવેદન

આ પણ વાંચો : એર ઇન્ડિયાના કર્મચારીઓને મળી ક્વાર્ટર ખાલી કરવાની નોટિસ, યુનિયનોએ આપી હડતાલની ચેતવણી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">