એર ઇન્ડિયાના કર્મચારીઓને મળી ક્વાર્ટર ખાલી કરવાની નોટિસ, યુનિયનોએ આપી હડતાલની ચેતવણી

એર ઇન્ડિયા યુનિયનોએ મુંબઈમાં કંપનીના સ્ટાફ ક્વાર્ટર્સને ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ હડતાલની ધમકી આપી છે. કંપનીના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા કર્મચારીઓને વીનિવેશ ડીલના ટ્રાન્ઝેક્શનની અંતિમ તારીખના છ મહિનાની અંદર તેમને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.

એર ઇન્ડિયાના કર્મચારીઓને મળી ક્વાર્ટર ખાલી કરવાની નોટિસ, યુનિયનોએ આપી હડતાલની ચેતવણી
એર ઇન્ડિયા યુનિયનોએ મુંબઈમાં કંપનીના સ્ટાફ ક્વાર્ટર્સને ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ હડતાલની ધમકી આપી છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 5:29 PM

Air India Privatization:  એર ઇન્ડિયા યુનિયનોએ મુંબઈમાં કંપનીના સ્ટાફ ક્વાર્ટર્સને ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ હડતાલની ધમકી આપી છે. મુંબઈમાં કલિના સ્થિત કંપનીના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા કર્મચારીઓને ડિસઇન્વેસ્ટમેન્ટ ડીલની લેવડદેવડની અંતિમ તારીખના છ મહિનાની અંદર તેમને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.

2 નવેમ્બરથી અનિશ્ચિત કાળ માટે હડતાલની ચેતવણી

એર ઇન્ડિયા યુનિયનોની જોઇન્ટ એક્શન કમિટીએ બુધવારે મુંબઇના પ્રાદેશિક શ્રમ કમિશનરને નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે તેઓ આ મામલે 2 નવેમ્બરથી અનિશ્ચિત હડતાલ પર જઈ શકે છે. નિયમો અનુસાર, યુનિયનને હડતાલ પર જતા પહેલા બે સપ્તાહની નોટિસ આપવી પડે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હડતાલની સૂચના સાથેના પત્રમાં કહેવામાં આવ્યું છે કે કંપનીની વસાહતોમાં રહેતા એર ઇન્ડિયાના કર્મચારીઓને 5 ઓક્ટોબરના રોજ એક પત્ર મળ્યો છે, જેમાં તેમને 20 ઓક્ટોબર, 2021 સુધીમાં એક બાંહેધરી આપવાનું કહેવામાં આવ્યું છે કે તેઓ આ માટે તૈયાર છે. એરલાઇનના ખાનગીકરણના છ મહિનાની અંદર ઘર ખાલી કરી દેશે.

એર ઇન્ડિયાની મુંબઈના કલિના અને દિલ્હીના પોશ વિસ્તાર વસંત વિહારમાં કોલોની છે. આ બાબતે યુનિયનનું કહેવું છે કે યુનિયનો દિલ્હી અને મુંબઈની સ્થિતિ પર દરરોજ ચર્ચા કરી રહ્યા છે અને તેઓ સાથે મળીને હડતાલ અંગે નિર્ણય લેશે.

પરિપત્ર પાછો ખેંચવા કહ્યું

યુનિયનના પત્રમાં કહેવામાં આવ્યું છે કે જાણવા મળ્યું છે કે જે જમીન પર કોલોનીઓ આવેલી છે તે એરપોર્ટ ઇન્ડિયાને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા લીઝ પર આપવામાં આવી હતી. AAI માલિક છે અને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એકમાત્ર ભાડૂત છે.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે આની પાછળ કોઈ કારણ નથી કે એર ઈન્ડિયાએ આટલી ઉતાવળમાં વસાહતો ખાલી કરવી જોઈએ અને જમીન અદાણી જૂથને સોંપી દેવી જોઈએ.  એરપોર્ટની જમીન પર ઘણી ઝૂંપડપટ્ટીઓ છે, જેમને કોઈ નોટિસ આપવામાં આવી નથી. મહારાષ્ટ્ર સરકાર જમીન રેકોર્ડની કસ્ટોડિયન છે અને ટ્રાન્સફર માટે તેમની પરવાનગી જરૂરી છે.

સંયુક્ત મંચે માગણી કરી છે કે 5 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલ પરિપત્ર પાછો ખેંચવામાં આવે અને કર્મચારીઓને તેમની નિવૃત્તિ સુધી તેમના ઘરમાં રહેવાની છૂટ આપવામાં આવે. તેમણે કહ્યું છે કે આવું ન કરવા પર, તેમની પાસે 2 નવેમ્બર 2021 થી અનિશ્ચિત સમય માટે હડતાલ પર જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચશે નહીં.

આ પણ વાંચો :  Share Market : શેરબજારની તેજી આજે પણ યથાવત, Sensex 61200 અને Nifty 18300 ને પાર દેખાય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">