1 ફેબ્રુઆરીએ રજૂ થનાર સામાન્ય બજેટ પહેલા આવકવેરાના સ્લેબમાં મહત્વપૂર્ણ ફેરફારોની અટકળો ચાલી રહી છે. ભારત વ્યક્તિગત કરદાતાઓ માટે પ્રોગ્રેસીવ ટેક્સ સ્લેબ સિસ્ટમને અનુસરે છે જેમાં ઇન્કમટેક્સ સ્લેબ વિવિધ પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે. આ પરિબળોમાં વય જૂથ અને આવકના વિવિધ સ્તરો સહિતના વિવિધ પરિબળોનો સમાવેશ થાય છે જેના આધારે ભારતમાં આવકવેરાના દરો નક્કી કરવામાં આવે છે. ભારત સિવાયના ઘણાં દેશોમાં ઇન્કમટેક્સ સ્લેબના નિર્ધારણ અંગેના નિયમો લગભગ સમાન છે પરંતુ રેટ અલગ-અલગ છે. આવકવેરાના દર આવકવેરાના દરો નક્કી કરતા આ પરિબળો ધ્યાનમાં લેવાય છે.
દરેક દેશના વિકાસમાં ટેક્સ ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે. કરમાંથી મળેલી રકમ સરકારને તેના નાગરિકો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ પર ખર્ચ કરવા સક્ષમ બનાવે છે. એવા ઘણા પરિબળો છે જે દેશોને કાર્યક્ષમ કર પ્રણાલી વિકસાવવામાં મદદ કરે છે – જેમ કે વસ્તીનું કદ અને રચના, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) રેશિયો, મેક્રો-ઈકોનોમિક પોલિસી, ફુગાવાનો દર વગેરે.
વિશ્વના કેટલાક દેશો સમાન કરના દર પ્રણાલીને અનુસરે છે, મોટાભાગના દેશો જેમ કે યુએસ, કેનેડા, જાપાન વગેરે પ્રોગ્રેસિવ ટેક્સ સ્લેબ રેટ સિસ્ટમને અનુસરે છે. રહેઠાણ, વૈવાહિક સ્થિતિ, આવકના સ્ત્રોત વગેરેના આધારે કર દરો પણ અલગ-અલગ હોય છે. મધ્ય પૂર્વના દેશોમાં વ્યક્તિગત આવકવેરો નથી અન્ય દેશોમાં કર દરો 10% થી 60% સુધીની છે.
ભારતમાં ટેક્સનો મહત્તમ દર વિશ્વના અન્ય દેશોની બરાબર છે. જો કે, મૂળભૂત મુક્તિ મર્યાદા, કપાત, મુક્તિ વગેરે દરેક દેશમાં અલગ-અલગ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તુલનાત્મક રીતે ઊંચા ફુગાવાના દરો સાથે વ્યક્તિગત કરદાતાઓ માટે ખૂબ જ જરૂરી ટેક્સ રાહત લાવવા માટે આગામી બજેટમાં મૂળભૂત મુક્તિ મર્યાદામાં વધારો કરવો યોગ્ય રહેશે.