T20 World Cupમાં ભારતના ખરાબ પ્રદર્શન બાદ આ દિગ્ગજ ખેલાડીએ બ્રોડકાસ્ટર પર પ્રહારો કર્યા, કહ્યું શેડ્યુલિંગમાં મનમાની કરી, ICCએ આપ્યો સાથ

ભારતીય ટીમને ICC T20 વર્લ્ડ કપ-2021માં જીતની દાવેદાર તરીકે જોવામાં આવી રહી હતી પરંતુ ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકી ન હતી અને સુપર-12માંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

T20 World Cupમાં ભારતના ખરાબ પ્રદર્શન બાદ આ દિગ્ગજ ખેલાડીએ બ્રોડકાસ્ટર પર પ્રહારો કર્યા, કહ્યું શેડ્યુલિંગમાં મનમાની કરી, ICCએ આપ્યો સાથ
Indian Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 3:56 PM

T20 World Cupજ્યારે ICC T20 વર્લ્ડ કપ 2021 શરૂ થયો ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ને જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. જોકે, ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારે ટીમ ઈન્ડિયાની બે મેચ બાદ જે સામે આવ્યું અને આ ટીમ સેમીફાઈનલમાં જઈ શકશે નહીં તે લગભગ નક્કી થઈ ગયું હતું. બરાબર એવું જ થયું. 

આવી સ્થિતિમાં, ન્યુઝીલેન્ડ (New Zealand)ના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને હાલમાં કોમેન્ટેટર (Commentator)ની ભૂમિકામાં જોવા મળેલા સિમોન ડૌલે બ્રોડકાસ્ટર સ્ટાર ઈન્ડિયાને ફટકાર લગાવી છે. સિમોને કહ્યું કે, બ્રોડકાસ્ટરે ભારતની મેચોનું ખરાબ શેડ્યુલિંગ કર્યું હતું.

સાયમને એક વેબસાઈટ શોમાં વાત કરતા કહ્યું કે, તે દિવાળીની સિઝન હતી અને તેથી બ્રોડકાસ્ટર ટીમ ઈન્ડિયાની મેચ રજાના દિવસોમાં રાખવા માંગતો હતો અને તેણે આઈસીસીના હસ્તક્ષેપથી તે કર્યું. તેણે કહ્યું, “મને લાગે છે કે, શેડ્યૂલ નક્કી કરવામાં ભૂલ કરી છે. શેડ્યૂલ નક્કી કરવાનું પણ બ્રોડકાસ્ટરના હાથમાં છે. તે શું ઇચ્છતો હતો. જેમાં આઈસીસીની સાથે બ્રોડકાસ્ટર (Broadcaster)નો પણ સમાવેશ થતો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રજાઓ આવી રહી હતી અને દિવાળી પણ આવી રહી હતી. મને લાગે છે કે પાકિસ્તાનની મેચ યોગ્ય સમયે હતી, તે હંમેશા ભારત માટે પ્રથમ મેચ હોવી જોઈએ. પરંતુ ન્યુઝીલેન્ડ સાથેની મેચ છેલ્લી હોવી જોઈતી હતી. ભારતીય ટીમે આમાં કશું કર્યું નથી, તેઓ કરી પણ શકતા નથી. તે બ્રોડકાસ્ટર્સ પર આધારિત છે. ટીમ સારી રીતે રમી શકી નથી, તે ટીમની જ ભૂલ છે. પરંતુ સમયપત્રક તેમની ભૂલ નથી.

આવો ભારતનો કાર્યક્રમ હતો

ભારતે વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમી હતી, જેમાં તેનો પરાજય થયો હતો. તેના છ દિવસ બાદ 31 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા તેની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હતી. આ પછી ભારતે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે મેચ રમી. પ્રથમ બે મેચમાં મળેલી હારથી એવું લાગી રહ્યું હતું કે, 2007ની વિજેતા ટીમ આ વખતે સેમીફાઈનલમાં પહોંચી શકશે નહીં.

દિનેશ કાર્તિકે જણાવ્યું

આ શોમાં ભારતના વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક પણ સામેલ હતો. તેણે કહ્યું, “બધાએ વિચાર્યું કે પ્રથમ મેચ સરળતાથી જીતી જશે. પરંતુ પહેલી જ મેચમાં વસ્તુઓ બદલાઈ ગઈ. તે પછી, ટીમ એક અઠવાડિયા સુધી રમી ન હતી અને પછી સીધા ન્યુઝીલેન્ડના મજબૂત બોલિંગ આક્રમણ પર ગઈ, ટોસ હારીને, મેચ હારીને ઘણી બધી બાબતો સાફ કરી દીધી હતી. જો ભારતની છેલ્લી ત્રણ મેચ પ્રથમ ત્રણ મેચ હોત તો જે આત્મવિશ્વાસ સાથે અમે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે આવ્યા હોત તે ખૂબ જ અલગ હોત.

આ પણ વાંચો : Birthday Special: IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન Sanju Samsonનો આજે છે જન્મદિવસ, વર્ષ 2013થીઆઈપીએલમાં પ્રવેશ કર્યો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">