RCB vs KKR: RCBની ટીમ 92 રનમાં ઓલઆઉટ, KKRને જીતવા માટે માત્ર 93 રનનો સરળ ટાર્ગેટ
આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ તે 100 રન પણ બનાવી શકી નહોતી. KKRને માત્ર 93 રનનો ટાર્ગેટ મળ્યો .
RCB vs KKR : આઈપીએલ 2021ની 31મી મેચ યુએઈમાં રમાઈ રહી છે, RCB અને KKR ની ટીમો રમી રહી છે. RCB (Royal Challengers Bangalore)ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહી છે. પરંતુ તેની સારી શરૂઆત થઈ નથી. એકવાર ટીમની વિકેટ પડવા લાગી, તે પ્રક્રિયા અટકી નહીં. આખી ટીમ 20 ઓવર પણ રમી શકી નહોતી અને માત્ર 92 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. KKRને જીતવા માટે 93 રનનો ટાર્ગેટ મળ્યો છે.
RCB (Royal Challengers Bangalore)ની ટીમ KKR સામે 19મી ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરાટની RCBએ માત્ર 92 રન બનાવ્યા અને આમ KKRને જીતવા માટે 93 રનનો ટાર્ગેટ મળ્યો. આરસીબી તરફથી દેવદત્ત પડિકલે સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. એસ ભરતે તેના પછી 16 રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટે પોતાની 200મી IPL મેચ રમતી વખતે 5 રન બનાવ્યા હતા. જ્યારે ડી વિલિયર્સ (De Villiers)ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.
આ પણ વાંચો : IPL 2021: RCBની બ્લુ જર્સીની હરાજી કેમ થશે, ફ્રેન્ચાઈઝી તેમાંથી મળેલા પૈસાનું શું કરશે, જાણો