Rahul Dravidએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા માટે અરજી કરી, T20 વર્લ્ડ કપ પછી જવાબદારી સંભાળશે!

|

Oct 26, 2021 | 5:39 PM

રાહુલ દ્રવિડ (Rahul Dravid)ની ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે પસંદગી કરવામાં આવી શકે છે. મુખ્ય કોચ પદ માટે મંગળવારે દ્રવિડ આ પદ માટે અરજી કરી છે.

Rahul Dravidએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા માટે અરજી કરી, T20 વર્લ્ડ કપ પછી જવાબદારી સંભાળશે!
rahul dravid

Follow us on

Rahul Dravid: ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ ભારતીય ટીમને નવો મુખ્ય કોચ મળવા જઈ રહ્યો છે અને રાહુલ દ્રવિડે પણ આ પદ માટે અરજી કરી છે. રાહુલ દ્રવિડે મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદ માટે અરજી કરી હતી.તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)પછી વર્તમાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Head Coach Ravi Shastri)નો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને માનવામાં આવે છે કે રાહુલ દ્રવિડ તેમની જગ્યા લેશે.ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રાએ ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના ફિલ્ડિંગ કોચના પદ માટે અરજી કરી છે.

તમને જણાવી દઈએ કે પહેલા રાહુલ દ્રવિડ મુખ્ય કોચ બનવા માટે તૈયાર ન હતા, પરંતુ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ લાંબી વાતચીત બાદ તેને મનાવી લીધો હતો. હાલમાં જ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકા (Sri Lanka)ના પ્રવાસે ગયો હતો. જ્યાં તેણે મુખ્ય કોચની જવાબદારી નિભાવી હતી. રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ભારતીય ટીમે શ્રીલંકાને વનડે સીરિઝમાં હરાવ્યું હતું. જો કે T20 સિરીઝમાં ભારતના ઘણા મહત્વપૂર્ણ ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, જેના કારણે ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો.

તમને જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) પછી ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડથી હોમ સિરીઝ રમવાની છે અને ત્યાંથી રાહુલ દ્રવિડ ટીમની કમાન સંભાળી શકે છે. એવા પણ અહેવાલો છે કે રાહુલ દ્રવિડ (Rahul Dravid)ની ભૂમિકા મુખ્ય કોચ કરતા વધુ હોઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વાસ્તવમાં રાહુલ દ્રવિડે ઘણા વર્ષોથી ભારતના જુનિયર ખેલાડીઓ માટે કામ કર્યું છે. તેણે અંડર-19 ટીમ માટે વર્લ્ડ કપ જીત્યો છે અને ઈન્ડિયા Aમાં ખેલાડીઓ માટે ઘણું કામ કર્યું છે. માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા છતાં રાહુલ દ્રવિડ ઈન્ડિયા-A અને અંડર-19 ટીમો પર નજર રાખશે. તે આ ટીમોના કોચના વડા બની શકે છે.

દ્રવિડનો પગાર કેટલો હશે?

જો દ્રવિડની ભૂમિકા મુખ્ય કોચ કરતા મોટી હશે તો તેનો પગાર પણ વધારે હશે. BCCI ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને સાડા આઠ કરોડ રૂપિયા આપે છે, પરંતુ દ્રવિડને તેમના કરતા વધુ પગાર મળી રહ્યો છે. BCCI દ્રવિડને 10 કરોડ રૂપિયા સુધી આપી શકે છે.

અજય રાત્રા બનશે ફિલ્ડિંગ કોચ?

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રાએ ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના ફિલ્ડિંગ કોચના પદ માટે અરજી કરી છે. રાત્રાએ 6 ટેસ્ટ અને 12 વનડે સિવાય 99 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં હરિયાણાની કેપ્ટનશિપ કરી ચૂકેલા આ ભૂતપૂર્વ ખેલાડી પાસે કોચિંગનો સારો અનુભવ છે.

હાલમાં તેઓ આસામના મુખ્ય કોચ છે. આઈપીએલમાં તેણે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)સાથે કામ કર્યું છે અને ભૂતકાળમાં તે ભારતીય મહિલા ટીમ સાથે પણ સંકળાયેલી છે. રાત્રાએ નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિદ્ધિમાન સાહા અને રિષભ પંત જેવા વિકેટકીપર સાથે પણ કામ કર્યું છે.

આ પણ વાંચો : IPLની 2 નવી ટીમો પર પૈસાનો વરસાદ જોઈને શેન વોર્ન કહ્યું, માનવું પડશે કેમ ક્રિકેટ વિશ્વની બીજી લોકપ્રિય રમત છે ?

Published On - 5:29 pm, Tue, 26 October 21

Next Article