AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહિલા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના હોદ્દેદાર પર લગાવ્યો યૌન શોષણનો આરોપ, રમતગમત મંત્રાલયે 72 કલાકમાં માગ્યો જવાબ

એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં વિનેશ ફોગાટ બુધવારે રડી પડી હતી. વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો હતો કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ ઘણા વર્ષોથી મહિલા રેસલર્સનું યૌન શોષણ કરી રહ્યા છે.

મહિલા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના હોદ્દેદાર પર લગાવ્યો યૌન શોષણનો આરોપ, રમતગમત મંત્રાલયે 72 કલાકમાં માગ્યો જવાબ
Women wrestlers accuse wrestling federation of sexual harassment
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 10:40 AM
Share

રમતગમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) પાસે મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના મામલામાં “આગામી 72 કલાકની અંદર” જવાબ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે રમતગમત મંત્રાલય પાસેથી આ જવાબ ત્યારે માંગવામાં આવ્યો છે, જ્યારે ઘણા દિગ્ગજ ખેલાડીઓએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં વિનેશ ફોગાટ બુધવારે રડી પડી હતી. વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો હતો કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ, છેલ્લા ઘણા વર્ષોથી મહિલા રેસલર્સનું યૌન શોષણ કરી રહ્યા છે.

વિનેશ અને અન્ય ટોચના ભારતીય કુસ્તીબાજોએ બુધવારે નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કુસ્તીબાજોએ WFI પ્રમુખને હટાવવાની માંગ કરી હતી. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના સાંસદે આ આરોપોને ફગાવી દીધા છે. કેન્દ્રએ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે જો WFI આગામી ત્રણ દિવસમાં જવાબ નહીં આપે, તો રમતગમત મંત્રાલય “રાષ્ટ્રીય રમત વિકાસ સંહિતા, 2011 ની જોગવાઈઓના સંદર્ભમાં ફેડરેશન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરશે”.

એક અખબારી નિવેદનમાં, રમતગમત મંત્રાલયે જણાવ્યું હતું કે, “મંત્રાલયે દિલ્લીમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સહિત કુસ્તીબાજો દ્વારા આયોજિત વિરોધ અને એક પ્રેસ કોન્ફરન્સની ગંભીર નોંધ લીધી છે. રમતગમત મંત્રાલયે કામકાજમાં ગેરવહીવટ અંગે WFI સાથે વાત કરી છે. ફેડરેશન.” પાસે ખુલાસો પણ માંગ્યો છે અને આગામી 72 કલાકની અંદર તેમની સામે લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.” ડબલ્યુએફઆઈને લખેલા તેના પત્રમાં મંત્રાલયે કહ્યું છે કે, “આ મામલો એથ્લેટ્સના કલ્યાણ સાથે સંબંધિત છે. તેથી મંત્રાલયે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે.” મંત્રાલયે વધુમાં કહ્યું છે કે, જો WFI આગામી 72 કલાકમાં જવાબ રજૂ કરવામાં નિષ્ફળ જશે તો મંત્રાલય રાષ્ટ્રીય રમત વિકાસ સંહિતા, 2011ની જોગવાઈઓ અનુસાર ફેડરેશન સામે કાર્યવાહી શરૂ કરશે.

વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અને ઓલિમ્પિયન વિનેશે ફોગાટે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, લખનૌમાં રાષ્ટ્રીય શિબિરમાં કેટલાક કોચ દ્વારા મહિલા કુસ્તીબાજોનું શોષણ કરવામાં આવ્યું હતું. તેણે આરોપ લગાવ્યો કે શિબિરમાં કેટલીક મહિલાઓ છે જે WFI પ્રમુખના કહેવા પર કુસ્તીબાજોનો સંપર્ક કરે છે. 28 વર્ષીય કુસ્તીબાજએ જોકે સ્પષ્ટતા કરી હતી કે, તેણીએ પોતે આ પ્રકારના કોઈ દુર્વ્યવહારનો સામનો કર્યો નથી.

વિનેશ એટલી નારાજ હતી કે તે ત્રણ મહિના પહેલા ટોક્યો ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળી હતી. દેશના ટોચના કુસ્તીબાજોમાંના એક બજરંગ પુનિયાએ પીટીઆઈને કહ્યું, “અમે ગૃહ પ્રધાનને મળ્યા હતા અને તેમણે અમને ખાતરી આપી હતી કે તમને ન્યાય મળશે.” તેમને નજીકના અધિકારીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી કારણ કે તેણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોરવાની હિંમત કરી હતી. મોદીએ ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવ બાદ તેમની મુલાકાત દરમિયાન આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">