AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Indians 1083 દિવસ પછી વાનખેડેમાં રમવા ઉતરી, સચિન તેંડુલકરના જન્મદિવસે વિજય સાથે ઉજવણી કરવાનો ઇરાદો

IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સે (MI) છેલ્લી મેચ વાનખેડે ખાતે 5 મે 2019ના રોજ રમી હતી. એટલે કે ત્યારે તે માત્ર 3 વખત IPL ચેમ્પિયન બની હતી અને હવે જ્યારે તે અહીં મેચ રમી રહી છે ત્યારે તે 5 વખતની IPL ચેમ્પિયન છે.

Mumbai Indians 1083 દિવસ પછી વાનખેડેમાં રમવા ઉતરી, સચિન તેંડુલકરના જન્મદિવસે વિજય સાથે ઉજવણી કરવાનો ઇરાદો
Mumbai Indians (PC: IPL)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 8:36 PM
Share

IPL 2022 માં જો કોઈ ટીમની હાલત સૌથી ખરાબ છે તો તે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) છે. પોઈન્ટ ટેબલ આ ટીમની વાસ્તવિક વાર્તા કહે છે. અત્યાર સુધી આ ટીમ 7 મેચ રમી છે અને તમામમાં તેને હાર મળી છે. પરંતુ બની શકે છે કે આજે લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેની હારનો સિલસિલો સમાપ્ત થઈ જશે. એવું નથી કે લખનૌની ટીમ પાસે તાકાત નથી. તે સારી ટીમ છે. પણ આજે મુંબઈની જીતની આશા જાગી છે કારણ કે તે પોતાના હોમ ગ્રાઉન્ડમાં પરત ફરી છે. 1083 દિવસ બાદ તે પોતાના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડે (Wankhede Stadium) સ્ટેડિયમ પર પ્રથમ મેચ રમવા આવી છે. આ રીતે આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વાનખેડે પર તેની પ્રથમ મેચ રમશે.

મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી મેચ વાનખેડે ખાતે 5 મે 2019 ના રોજ રમી હતી. એટલે કે ત્યારે તે માત્ર 3 વખત IPL ચેમ્પિયન બની હતી અને હવે જ્યારે તે અહીં મેચ રમી રહી છે ત્યારે તે 5 વખતની IPL ચેમ્પિયન છે. એટલે કે વાનખેડે સ્ટેડિયમ પર મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ અને આ મેચ વચ્ચે ઘણું બદલાઈ ગયું છે.

સચિન તેંડુલકરના કારણે પણ આજની મેચ ખાસ છે

જો કે, આજની મેચ માત્ર એટલા માટે ખાસ નથી કારણ કે તેના દ્વારા મુંબઈ ઈન્ડિયન્સ ઘરે પરત ફરી રહી છે. તેના બદલે, આ મેચ મુંબઈ ઈન્ડિયન્સના માર્ગદર્શક સચિન તેંડુલકરના જન્મદિવસ માટે પણ ખાસ છે. આજે 24મી એપ્રિલ એટલે કે સચિન તેંડુલકરનો જન્મદિવસ છે. આજના દિવસે 49 વર્ષ પહેલા માસ્ટર બ્લાસ્ટરનો જન્મ થયો હતો. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ હારની કળી તોડીને જીતને ગળે લગાવીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને તેના જન્મદિવસની ભેટ આપશે.

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ટીમે 62.7 % મેચ જીતી છે

વાનખેડે સ્ટેડિયમ માત્ર IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સનું હોમ ગ્રાઉન્ડો છે જ પણ આ સિવાય અહીં આ ટીમનો રેકોર્ડ પણ શાનદાર છે. મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે પર તેની 62.7 ટકા મેચ જીતી છે. આ એક બીજું કારણ છે જેણે મુંબઈની ટીમ હાર પર લગામ લગાવીને જીતનો સ્વાદ ચાખશે તેવી આશા જગાવી છે.

આ પણ વાંચો : IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સે મોહસીન ખાનને મુંબઈ સામે ઉતારવાનો ખેલ્યો દાવ, જાણો કોણ છે જે પહેલા ‘પલટન’ નો હતો હિસ્સો

આ પણ વાંચો : IPL 2022: સતત 7 હાર બાદ ઝહીર ખાને મુંબઈ ઈન્ડિયન્સ વિશે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">