Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sports: કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ગાંધીનગર સહિતના SAI કેન્દ્રોમાં યૌન શૌષણની ફરિયાદોને લઇને આપી મહત્વની જાણકારી, જાણો શુ કહ્યુ

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) જણાવ્યું કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) માં ક્યાંથી અને કેટલી યૌન શોષણની ફરિયાદો આવી છે.

Sports: કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ગાંધીનગર સહિતના SAI કેન્દ્રોમાં યૌન શૌષણની ફરિયાદોને લઇને આપી મહત્વની જાણકારી, જાણો શુ કહ્યુ
Anurag Thakur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 11:56 AM

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું છે કે 2018 થી ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટી (Sports Authority of India) ને જાતીય શોષણની 17 ફરિયાદો મળી છે. ઠાકુરે મંગળવારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. મીડિયા અહેવાલ મુજબ, સદનમાં આ સવાલ અનુરાગ ઠાકુરના પક્ષના સહિત સાત લોકોએ પૂછ્યો હતો. માહિતી આપતા ખેલ પ્રધાન અનુરાગે કહ્યું કે, તિરુવનંતપુરમ, બેંગ્લોર, કોલકાતા, ગાંધીનગર, લખનૌ અને દિલ્હી એનસીઆરમાં સ્થિત સાઈના કેન્દ્રોમાંથી જાતીય શોષણની ફરિયાદો આવી છે. તેમણે કહ્યું કે આમાંથી સાત ફરિયાદો 2018 માં આવી હતી, જ્યારે 2019માં છ ફરિયાદો આવી હતી. 2020માં ફરિયાદ મળી હતી.

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સાઈના કર્મચારીઓ દ્વારા 16 ફરિયાદો કરવામાં આવી હતી. જ્યાં સાઈ કોમ્પ્લેક્સમાં જ ઘટના બની હતી. તેમણે કહ્યું, બીજા કિસ્સામાં, SAIના કોચ પર SAI પરિસરમાં જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં ફોજદારી કાર્યવાહી ચાલુ છે.

આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?

અગાઉ પણ કરાયો હતો ખુલાસો

ગયા વર્ષે, મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે 2010 થી 2019 સુધીમાં, રમત મંત્રાલય હેઠળના SAI કેન્દ્રોમાં કુલ 45 જાતીય શોષણના કેસ નોંધાયા હતા. આ અહેવાલ પછી, SAIના ભૂતપૂર્વ મહાનિર્દેશકે કહ્યું હતું કે યૌન શોષણના આંકડા ઘણા વધારે હોઈ શકે છે કારણ કે ઘણા કેસ નોંધાયા પણ ન હોત.

ભર્યા આ પગલા

અનુરાગ ઠાકુરે ગૃહમાં એમ પણ કહ્યું કે આવા મામલાઓને રોકવા અને ફરિયાદ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું, યૌન શોષણ અટકાવવા અને ફરિયાદ નોંધાવવા માટે SAIના તમામ કેન્દ્રો પર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. SAI ના જુદા જુદા કેન્દ્રો પર આંતરિક ફરિયાદ સમિતિઓની રચના કરવામાં આવી છે.

આ સમિતિના અધ્યક્ષ વરિષ્ઠ મહિલા અધિકારી છે. SAI માં 24*7 કોલ સેન્ટરની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે જ્યાં તાલીમાર્થીઓ તેમની ફરિયાદો નોંધાવી શકે છે. જ્યારે ખેલાડીઓ બહાર જાય છે, ત્યારે મહિલા કોચ/મહિલા મેનેજર તેમની સાથે રહે છે.

અનુરાગ ઠાકુરે આ વર્ષે ખેલ મંત્રીનું પદ સંભાળ્યું છે. તેને ઓગસ્ટમાં ટોક્યો ઓલિમ્પિક-2020 પહેલા આ જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ જુલાઈના શરૂઆતના સપ્તાહમાં આ પદ પર બેઠા હતા.તેમના પહેલા કિરેન રિજજુ રમતગમત મંત્રી હતા. અનુરાગ ઠાકુરને હંમેશાથી રમતગમતમાં રસ રહ્યો છે. તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ સિવાય તે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Cricket: રોહિત શર્માને પરેશાન કરનાર હેમસ્ટ્રિંગ ની સમસ્યા શુ છે ? ખેલાડીઓ સતાવતી આ ઇજા કેવી રીતે પહોંચે છે ? જાણો

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલી ODI કેપ્ટનશિપ હટવા બાદ પ્રથમ વાર આવશે સામે, આ 4 સવાલોના આપશે જવાબ!

g clip-path="url(#clip0_868_265)">