Sports: કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ગાંધીનગર સહિતના SAI કેન્દ્રોમાં યૌન શૌષણની ફરિયાદોને લઇને આપી મહત્વની જાણકારી, જાણો શુ કહ્યુ

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) જણાવ્યું કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) માં ક્યાંથી અને કેટલી યૌન શોષણની ફરિયાદો આવી છે.

Sports: કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ગાંધીનગર સહિતના SAI કેન્દ્રોમાં યૌન શૌષણની ફરિયાદોને લઇને આપી મહત્વની જાણકારી, જાણો શુ કહ્યુ
Anurag Thakur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 11:56 AM

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું છે કે 2018 થી ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટી (Sports Authority of India) ને જાતીય શોષણની 17 ફરિયાદો મળી છે. ઠાકુરે મંગળવારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. મીડિયા અહેવાલ મુજબ, સદનમાં આ સવાલ અનુરાગ ઠાકુરના પક્ષના સહિત સાત લોકોએ પૂછ્યો હતો. માહિતી આપતા ખેલ પ્રધાન અનુરાગે કહ્યું કે, તિરુવનંતપુરમ, બેંગ્લોર, કોલકાતા, ગાંધીનગર, લખનૌ અને દિલ્હી એનસીઆરમાં સ્થિત સાઈના કેન્દ્રોમાંથી જાતીય શોષણની ફરિયાદો આવી છે. તેમણે કહ્યું કે આમાંથી સાત ફરિયાદો 2018 માં આવી હતી, જ્યારે 2019માં છ ફરિયાદો આવી હતી. 2020માં ફરિયાદ મળી હતી.

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સાઈના કર્મચારીઓ દ્વારા 16 ફરિયાદો કરવામાં આવી હતી. જ્યાં સાઈ કોમ્પ્લેક્સમાં જ ઘટના બની હતી. તેમણે કહ્યું, બીજા કિસ્સામાં, SAIના કોચ પર SAI પરિસરમાં જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં ફોજદારી કાર્યવાહી ચાલુ છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

અગાઉ પણ કરાયો હતો ખુલાસો

ગયા વર્ષે, મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે 2010 થી 2019 સુધીમાં, રમત મંત્રાલય હેઠળના SAI કેન્દ્રોમાં કુલ 45 જાતીય શોષણના કેસ નોંધાયા હતા. આ અહેવાલ પછી, SAIના ભૂતપૂર્વ મહાનિર્દેશકે કહ્યું હતું કે યૌન શોષણના આંકડા ઘણા વધારે હોઈ શકે છે કારણ કે ઘણા કેસ નોંધાયા પણ ન હોત.

ભર્યા આ પગલા

અનુરાગ ઠાકુરે ગૃહમાં એમ પણ કહ્યું કે આવા મામલાઓને રોકવા અને ફરિયાદ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું, યૌન શોષણ અટકાવવા અને ફરિયાદ નોંધાવવા માટે SAIના તમામ કેન્દ્રો પર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. SAI ના જુદા જુદા કેન્દ્રો પર આંતરિક ફરિયાદ સમિતિઓની રચના કરવામાં આવી છે.

આ સમિતિના અધ્યક્ષ વરિષ્ઠ મહિલા અધિકારી છે. SAI માં 24*7 કોલ સેન્ટરની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે જ્યાં તાલીમાર્થીઓ તેમની ફરિયાદો નોંધાવી શકે છે. જ્યારે ખેલાડીઓ બહાર જાય છે, ત્યારે મહિલા કોચ/મહિલા મેનેજર તેમની સાથે રહે છે.

અનુરાગ ઠાકુરે આ વર્ષે ખેલ મંત્રીનું પદ સંભાળ્યું છે. તેને ઓગસ્ટમાં ટોક્યો ઓલિમ્પિક-2020 પહેલા આ જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ જુલાઈના શરૂઆતના સપ્તાહમાં આ પદ પર બેઠા હતા.તેમના પહેલા કિરેન રિજજુ રમતગમત મંત્રી હતા. અનુરાગ ઠાકુરને હંમેશાથી રમતગમતમાં રસ રહ્યો છે. તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ સિવાય તે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Cricket: રોહિત શર્માને પરેશાન કરનાર હેમસ્ટ્રિંગ ની સમસ્યા શુ છે ? ખેલાડીઓ સતાવતી આ ઇજા કેવી રીતે પહોંચે છે ? જાણો

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલી ODI કેપ્ટનશિપ હટવા બાદ પ્રથમ વાર આવશે સામે, આ 4 સવાલોના આપશે જવાબ!

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">