National Sports Day : આજે છે ‘રાષ્ટ્રીય રમત દિવસ’, જાણો શા માટે આ દિવસ 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે

દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રીય રમત પુરસ્કાર પણ આપવામાં આવે છે.

National Sports Day : આજે  છે 'રાષ્ટ્રીય રમત દિવસ', જાણો શા માટે આ દિવસ 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે
મેજર ધ્યાનચંદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 12:28 PM

National Sports Day : દેશ દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ (National Sports Day)ની ઉજવણી કરે છે. આ દિવસ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ (Major Dhyan Chand)ના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના નામાંકિત લોકોને પુરસ્કાર આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કોણ હતા મેજર ધ્યાનચંદ, જેમની યાદમાં આજે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

કોણ હતા ધ્યાનચંદ

મેજર ધ્યાનચંદને હોકીના જાદુગર કહેવામાં આવે છે. તેનો જન્મ 29 ઓગસ્ટ 1905 ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લામાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમને હોકી (Hockey)ના મહાન ખેલાડી તરીકે યાદ કરવામાં આવે છે. તેને હોકીનો જાદુગર કહેવા પાછળનું કારણ મેદાનમાં તેનું પ્રદર્શન છે. તેણે 1928, 1932 અને 1936 વર્ષોમાં ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ (Olympic Gold Medal) જીત્યા હતા.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ ખેલાડીની સફળતાની વાર્તા અહીં સમાપ્ત થતી નથી. ધ્યાનચંદે પોતાની કારકિર્દીમાં 400 થી વધુ ગોલ કર્યા હતા. ભારત સરકારે 1956 માં ધ્યાનચંદને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેથી તેનો જન્મદિવસ એટલે કે 29 ઓગસ્ટ ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વર્ષ 1928:

1928 માં પ્રથમ વખત ઓલિમ્પિક (Olympic) રમવા ગયેલા ધ્યાનચંદે આ સમગ્ર ટુર્નામેન્ટમાં પોતાની હોકીનો એવો જાદુ બતાવ્યો હતો કે, મેદાન પર તેને જોયા બાદ જ વિરોધી ટીમો ડરવા લાગી હતી. 1928 માં નેધરલેન્ડમાં રમાયેલી ઓલિમ્પિકમાં ધ્યાનચંદે 5 મેચમાં 14 ગોલ કર્યા અને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. આ જીત બાદ હજારો લોકોએ બોમ્બે હાર્બરમાં ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

વર્ષ 1932:

ધ્યાનચંદને 1928 ના કરિશ્માનું પુનરાવર્તન કરવામાં કોઈ સમસ્યા નહોતી. ભારતે લોસ એન્જલસમાં 1932 ઓલિમ્પિકમાં જાપાન સામે 11-1 થી પ્રથમ મેચ જીતી હતી. એટલું જ નહીં, આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતે યુએસએને 24-1 થી હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જે બાદમાં વર્ષ 2003 માં તૂટી ગયો હતો. આ ઓલિમ્પિકમાં ભારત ફરી એકવાર ગોલ્ડ મેડલ (Gold Medal) વિજેતા બન્યું.

વર્ષ 1936:

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (Aligarh Muslim University)માં અભ્યાસ કરનારા ધ્યાનચંદ માટે આ ઓલિમ્પિક સૌથી યાદગાર બની રહ્યું હતું. ધ્યાનચંદની કેપ્ટનશીપ હેઠળ બર્લિન પહોંચેલી ભારતીય ટીમ પાસેથી ફરી એકવાર ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં આવી હતી. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં પણ અપેક્ષાઓ પર ખરી ઉતરી અને વિરોધી ટીમોને હરાવીને ફાઇનલમાં પહોંચી. ફાઇનલમાં ભારતને જર્મની તરફથી જર્મન ચાન્સેલર એડોલ્ફ હિટલરની ટીમનો સામનો કરવાનો હતો.

આ મેચ જોવા માટે ખુદ હિટલર પણ પહોંચી ગયો હતો. પરંતુ હિટલર (Hitler)ની હાજરી અથવા ગેરહાજરી ભારતીય ટીમ અથવા ધ્યાનચંદના પ્રદર્શનને અસર કરતી ન હતી. જોકે આ મેચ પહેલા ભારતીય ટીમ ટેન્શનમાં હતી કારણ કે, અગાઉની મેચમાં ભારતીય ટીમને જર્મની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ મેદાનમાં ઉતર્યા પછી, તે તણાવ જાતે જ ગયો.

જર્મનીએ મેચના પહેલા હાફમાં ભારતને એક પણ ગોલ કરવા દીધો ન હતો. આ પછી, બીજા હાફમાં, ભારતીય ટીમે એક પછી એક ગોલ કરવાનું શરૂ કર્યું. જર્મનીએ બીજા હાફમાં પણ એક ગોલ (Goal) ફટકાર્યો હતો, જે આ ઓલિમ્પિકમાં ભારત સામે એક માત્ર ગોલ હતો. હિટલર મેચ પૂરી થતા પહેલા સ્ટેડિયમ છોડી ગયો કારણ કે તે પોતાની ટીમને હારતો જોવા માંગતો ન હતો. એટલું જ નહીં, આ મેચ દરમિયાન હિટલરે મેજર ધ્યાનચંદની હોકી સ્ટિક પણ તપાસવા માટે કહ્યું હતું.

વર્ષ 1948:

મેજર ધ્યાનચંદે તેમની છેલ્લી મેચ વર્ષ 1948 માં રમી હતી અને તેમના સમગ્ર કાર્યકાળમાં 400 થી વધુ ગોલ કર્યા હતા. જે એક રેકોર્ડ છે.

આ પણ વાંચો : Tokyo Paralympics:ગુજરાતની ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">