Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેન્દ્ર સિંહ ધોનીના IPL પ્રોમોને લઈને થયો હંગામો, ASCIએ કંપનીને જાહેરાત હટાવવાનો નિર્દેશ આપ્યો

એમએસ ધોનીની આઈપીએલ (IPL 2022) જાહેરાતને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ આ જાહેરાતને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોનીના IPL પ્રોમોને લઈને થયો હંગામો, ASCIએ કંપનીને જાહેરાત હટાવવાનો નિર્દેશ આપ્યો
MS Dhoni - IPL PromoImage Credit source: SCREEN SHOT
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 7:21 PM

IPL : મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) તેની નવી IPL (IPL 2022) જાહેરાતને લઈને મુશ્કેલીમાં છે. ધોનીને લઈને એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (Advertising Standard Council Of India) માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ આ એડને હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે. IPL 2022ની શરૂઆત 26 માર્ચથી થઈ હતી. લીગની શરૂઆત પહેલા આ એડની મદદથી પ્રમોશન કરવામાં આવતું હતું. આ જાહેરાત મેચ દરમિયાન પણ બતાવવામાં આવી રહી હતી, જોકે હવે ASCIના આદેશ બાદ તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રેસ સોસાયટી (CUTS)એ આ જાહેરાત સામે ફરિયાદ નોંધાવી હતી. તેમનું માનવું હતું કે, આ જાહેરાત દ્વારા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને સારી બાબત તરીકે બતાવવામાં આવી રહી છે, જે ખોટું છે. ASCI પણ આ સાથે સહમત છે અને આ જ કારણ છે કે તેઓએ એડને હટાવવાની માગ કરી છે.

આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP

જાહેરાત પ્રતિબંધ

જાહેરાતમાં ધોનીને બસ ડ્રાઈવર તરીકે બતાવવામાં આવ્યો છે. તે ટ્રાફિકથી ભરેલા રસ્તાની વચ્ચે બસને રોકે છે. એક ટ્રાફિક પોલીસ અધિકારી તેની પાસે આવે છે જે તેને આવું ન કરવાનું કહે છે. ત્યારે ધોની તેમને જવાબ આપે છે અને કહે છે કે તે IPLની સુપર ઓવર જોઈ રહ્યો છે. આ પછી પોલીસકર્મી ત્યાંથી નીકળી જાય છે.

ફરિયાદ બાદ કન્ઝ્યુમર કમ્પ્લીટ્સ કમિટીએ આ એડ બનાવનાર કંપનીના ઓફિસર સાથે જાહેરાત જોય. તેમણે ફરિયાદીઓના અભિપ્રાય સાથે સંમત થયા અને કંપનીને 20 એપ્રિલ સુધીમાં જાહેરાત બદલવા અથવા દૂર કરવા કહ્યું. કંપનીએ લેખિતમાં આ વાત સ્વીકારી છે અને કહ્યું છે કે તેઓ આ જાહેરાતને હટાવી દેશે.

IPL નવા અવતારમાં જોવા મળી રહી છે

લગભગ બે વર્ષ બાદ સમગ્ર આઈપીએલ ભારતમાં યોજાઈ રહી છે. ચાહકોને પણ સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ જ કારણ છે કે, આ વખતે આઈપીએલને લઈને ચાહકોનો ઉત્સાહ અલગ જ છે. આ વખતે લીગમાં આઠ નહીં પરંતુ 10 ટીમો ભાગ લઈ રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : PM મોદી સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, બજેટ સત્રના અંતે વિપક્ષી નેતાઓને પણ મળ્યા વડાપ્રધાન

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">