AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેન્દ્ર સિંહ ધોનીના IPL પ્રોમોને લઈને થયો હંગામો, ASCIએ કંપનીને જાહેરાત હટાવવાનો નિર્દેશ આપ્યો

એમએસ ધોનીની આઈપીએલ (IPL 2022) જાહેરાતને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ આ જાહેરાતને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોનીના IPL પ્રોમોને લઈને થયો હંગામો, ASCIએ કંપનીને જાહેરાત હટાવવાનો નિર્દેશ આપ્યો
MS Dhoni - IPL PromoImage Credit source: SCREEN SHOT
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 7:21 PM
Share

IPL : મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) તેની નવી IPL (IPL 2022) જાહેરાતને લઈને મુશ્કેલીમાં છે. ધોનીને લઈને એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (Advertising Standard Council Of India) માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ આ એડને હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે. IPL 2022ની શરૂઆત 26 માર્ચથી થઈ હતી. લીગની શરૂઆત પહેલા આ એડની મદદથી પ્રમોશન કરવામાં આવતું હતું. આ જાહેરાત મેચ દરમિયાન પણ બતાવવામાં આવી રહી હતી, જોકે હવે ASCIના આદેશ બાદ તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રેસ સોસાયટી (CUTS)એ આ જાહેરાત સામે ફરિયાદ નોંધાવી હતી. તેમનું માનવું હતું કે, આ જાહેરાત દ્વારા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને સારી બાબત તરીકે બતાવવામાં આવી રહી છે, જે ખોટું છે. ASCI પણ આ સાથે સહમત છે અને આ જ કારણ છે કે તેઓએ એડને હટાવવાની માગ કરી છે.

જાહેરાત પ્રતિબંધ

જાહેરાતમાં ધોનીને બસ ડ્રાઈવર તરીકે બતાવવામાં આવ્યો છે. તે ટ્રાફિકથી ભરેલા રસ્તાની વચ્ચે બસને રોકે છે. એક ટ્રાફિક પોલીસ અધિકારી તેની પાસે આવે છે જે તેને આવું ન કરવાનું કહે છે. ત્યારે ધોની તેમને જવાબ આપે છે અને કહે છે કે તે IPLની સુપર ઓવર જોઈ રહ્યો છે. આ પછી પોલીસકર્મી ત્યાંથી નીકળી જાય છે.

ફરિયાદ બાદ કન્ઝ્યુમર કમ્પ્લીટ્સ કમિટીએ આ એડ બનાવનાર કંપનીના ઓફિસર સાથે જાહેરાત જોય. તેમણે ફરિયાદીઓના અભિપ્રાય સાથે સંમત થયા અને કંપનીને 20 એપ્રિલ સુધીમાં જાહેરાત બદલવા અથવા દૂર કરવા કહ્યું. કંપનીએ લેખિતમાં આ વાત સ્વીકારી છે અને કહ્યું છે કે તેઓ આ જાહેરાતને હટાવી દેશે.

IPL નવા અવતારમાં જોવા મળી રહી છે

લગભગ બે વર્ષ બાદ સમગ્ર આઈપીએલ ભારતમાં યોજાઈ રહી છે. ચાહકોને પણ સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ જ કારણ છે કે, આ વખતે આઈપીએલને લઈને ચાહકોનો ઉત્સાહ અલગ જ છે. આ વખતે લીગમાં આઠ નહીં પરંતુ 10 ટીમો ભાગ લઈ રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : PM મોદી સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, બજેટ સત્રના અંતે વિપક્ષી નેતાઓને પણ મળ્યા વડાપ્રધાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">