આઈપીએલ 2021માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની સામે રવિવારે રમાનારી મેચ પહેલા જ પંજાબ કિંગ્સ (Punjab Kings)ના કેપ્ટનને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) આ મેચમાં નહીં રમી શકે. પંજાબ કિંગ્સ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ રાહુલના પેટમાં તકલીફ થવાને લઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં આજે તેમની સર્જરી કરવામાં આવશે. જેને લઈને રાહુલ આ મેચમાં રમી નહીં શકે.
https://twitter.com/PunjabKingsIPL/status/1388821436819771396?s=20
પંજાબ કિંગ્સ ફેન્ચાઈઝી મુજબ લોકેશ રાહુલને ગઈ રાતથી જ પેટમાં દુખાવાની ફરીયાદ વર્તાઈ રહી હતી. જેના બાદ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને જેમાં એપેન્ડીક્સની તકલીફ હોવાનું નિદાન થયુ હતુ. જેને લઈને તેને સર્જરી કરવા માટેની જરુરીયાત સર્જાઈ હતી. પંજાબ તેની આઠમી મેચમાં અમદાવાદમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.
આ પણ વાંચો: IPL 2021: હૈદરાબાદે ડેવિડ વોર્નર ને કેપ્ટન તરીકે હટાવ્યા બાદ, હવે ટીમમાં પણ સ્થાન ના અપાયુ