IPL 2021: મુંબઈમાં વાનખેડે સ્ટેડીયમમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજીયાત કરાયો

|

Apr 10, 2021 | 6:05 PM

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં પ્રવેશ માટે કોવિડ-19 નેગેટીવ રિપોર્ટ સાથે લાવવો ફરજીયાત કરી દીધો છે. MCAએ એપેક્સ કાઉન્સિલના સદસ્યોને કોવિડ-19 નેગેટીવ રિપોર્ટનું સર્ટીફિકેટ મેળવી લેવા માટે કહી દેવામાં આવ્યું છે.

IPL 2021: મુંબઈમાં વાનખેડે સ્ટેડીયમમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજીયાત કરાયો
Wankhede Stadium (File )

Follow us on

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં પ્રવેશ માટે કોવિડ-19 નેગેટીવ રિપોર્ટ સાથે લાવવો ફરજીયાત કરી દીધો છે. MCAએ એપેક્સ કાઉન્સિલના સદસ્યોને કોવિડ-19 નેગેટીવ રિપોર્ટનું સર્ટીફિકેટ મેળવી લેવા માટે કહી દેવામાં આવ્યું છે. મુંબઈમાં કોરના સંક્રમણના વધતા કહેરને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં IPL 2021ની 10 મેચ રમાનારી છે. મુંબઈમાં IPLની સિઝન 14ની મેચ શનિવારે એટલે કે આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Chennai Super Kings vs Delhi Capitals) વચ્ચે રમાનારી છે.

 

એમસીએ સચિવ સંજય નાઈક દ્વારા તમામ સદસ્યો માટે એક નોટીસ મોકલવામાં આવી હતી. જેમાં લખ્યુ હતુ કે, એપેક્સ કાઉન્સિલના સદસ્ય બીસીસીઆઈના પ્રોટોકોલ મુજબ જે તમામ અધિકારી આઈપીએલ મેચમાં હિસ્સો લેશે. તેમણે મેચ શરુ થવા પહેલાથી આરટીપીસીઆર નેગેટીવ રિપોર્ટ લાવવો પડશે. તે રિપોર્ટ મેચ શરુ થવાના 48 કલાકના સમયની અંદર હોવો જોઈએ. જે લોકોને કોરોના 19 વેક્સીન લગાવી હશે, તેમણે પણ આ રીપોર્ટ સાથે રાખવો ફરજીયાત રહેશે. પ્રત્યેક મેચ દરમ્યાન સ્ટેડિયમમાં પ્રવેશ સમયે રિપોર્ટ તૈયાર રાખવો પડશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આઈપીએલ શરુ થવાના પહેલા વાનખેડે સ્ટેડિયમમાં 10 ગ્રાઉન્ડ કર્માચારીઓ કોવિડ પોઝિટીવ હોવાનું જણાઈ આવ્યુ હતુ. જેમાં ઘણાં ખરા કર્મચારીઓનો રિપોર્ટ બાદમાં નેગેટીવ હોવાની જણાઈ આવ્યુ હતુ. મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિકએન્ડમાં મુંબઈ સહિત અન્ય શહેરોમાં આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યુ હતુ. શુક્રવારે મુંબઈમાં 9 હજારથી વધારે કોરોના પોઝિટીવ કેસ જણાયા હતા. પાંચ લાખથી વધારે લોકો અત્યાર સુધીમાં મુંબઈમાં પોઝિટીવ જણાઈ આવ્યા છે. જ્યારે કોરોનાને લઈને અત્યાર સુધીમાં 11,909 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.

 

આ પણ વાંચો: IPL 2021 CSK vs DC: ઋષભ પંત તેના ગુરુ ધોની સામે આપશે કેપ્ટનશીપની પરિક્ષા, ધોની માટે પણ સ્વમાનનો જંગ

Next Article